ઘરમાં અમુક જીવ જેવા કે કીડીઓ, વંદા, ઉંદર, બિલાડી, ગરોળી, વગેરે દેખાવવું સામાન્ય વાત છે. તેમાંથી એક જીવ ભલે તમને બિલકુલ પસંદ ન હોય પરંતુ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ઘરમાં આ જીવ જોવાથી થાય છે લાભ
ધન-સમૃદ્ધિમાં થશે લાભ
આવા સંકેતો મળે તો થશે લાભ
અમુક જીવ એવા હોય છે જેના નામથી જ લોકો ડરી જાય છે જેવા કે સાંપ. ત્યાં જ અમુક જીવો લોકોને બિલકુલ પસંદ નથી આવતા. પરંતુ દરેક જીવનું પ્રકૃતિમાં પોતાનું અલગ મહત્વ હોય છે. ત્યાં જ ધર્મ શાસ્ત્ર, જ્યોતિષ વગેરેમાં અમુક જીવોને ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે. તેમાંથી અમુકની પૂજા પણ કરવામાં આવે છે. જેમ કે સનાતન ધર્મમાં ગાયને માતાની જેમ પુજવામાં આવે છે.
ઘરમાં આ જીવનું દેખાવવું અપાવે છે ધન-સમૃદ્ધિ
આવા જ શુભ માનવામાં આવતા જીવોમાં ગરોળીનું નામ પણ શામેલ છે. આમ તો મોટાભાગના લોકો ગરોળીનું નામ સાંભળતા જ મોઢુ બગાડે છે. અથવા તો ઘણા લોકોને તેનાથી ડર પણ લાગે છે. વધુ ધન-સંપત્તિ માટે ગરોળીને શુભ માનવામાં આવે છે. અહીં સુધી કે નવા ઘરની વાસ્તુ પુજામાં ચાંદીની ગરોળી મુકીને તેમની પુજા કરવામાં આવે છે. ઘરમાં ગરોળીનું હોવું ઘણા ફાયદો આવે છે. તેનાથી ઘરમાં હંમેશા આર્થિક સ્થિતિ સારી રહે છે. ઘરના લોકોની વચ્ચે પણ પ્રેમ વધે છે.
ગરોળી સાથે જોડાયેલા સંકેત
ગરોળીની મંદિરની આસપાસ જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
દિવાળીની રાત્રે જો ઘરમાં ગરોળી જોવા મળે તો માની લો કે આખુ વર્ષ માતા લક્ષ્મી તમારા પર કૃપા બનાવી રાખશે.
નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે જો ગરોળી જોવા મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે તમારા પર પૂર્વજોનો આશીર્વાદ હોવાનો ઈશારો કરે છે.
ઘરમાં એક સાથે એક જગ્યા પર 3 ગરોળી જોવી પણ શુભ માનવામાં આવે છે.