તામિલનાડુના કુન્નુરમાં ગઇકાલે હેલિકૉપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત, તેમના પત્ની સહિત કુલ 13 લોકોના મોત થયા હતા. ત્યારે આજે તમામ 13 લોકોના પાર્થિવદેહ દિલ્હી લવાયા છે.
કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 13ના નિધન થયા હતા
દિલ્હી લવાયા તમામ 13 લોકોના પાર્થિવ દેહ
આવતીકાલે CDS બિપિન રાવતના અંતિમ સંસ્કાર
દેશનાં મહાન રાષ્ટ્રયોદ્ધા CDS જનરલ બિપિન રાવતને યાદ કરી આજે આખો દેશ ગમગીન થયો છે, ત્યારે બિપિન રાવત, તેમના પત્ની સહિત તમામ 13 લોકોના પાર્થિવ દેહ દિલ્હી લવાયા છે.
The 3 service chiefs - Army Chief Gen MM Naravane, Navy Chief Admiral R Hari Kumar & IAF chief Air Chief Marshal VR Chaudhari pay last respects to CDS Gen Bipin Rawat, his wife Madhulika Rawat & other 11 Armed Forces personnel who lost their lives in military chopper crash y'day. pic.twitter.com/HoXt8Jw0U6
પીએમ મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ, NSA અજિત ડોભાલે પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.
Defence Minister Rajnath Singh pays last respects to CDS General Bipin Rawat, his wife Madhulika Rawat and other 11 Armed Forces personnel who lost their lives in the #TamilNaduChopperCrash yesterday. pic.twitter.com/TZI0XoAUZd
Delhi | NSA Ajit Doval pays tributes to CDS General Bipin Rawat, his wife Madhulika Rawat and other 11 Armed Forces personnel who lost their lives in the IAF chopper crash yesterday pic.twitter.com/7owdaiZPfh
દિલ્હીના પાલમ એરપોર્ટ પર પહોંચી CDS જનરલ બિપિન રાવત અને અન્ય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે. ત્યારબાદ પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના આપી હતી.
Delhi | National Security Advisor Ajit Doval at Palam airbase, where mortal remains of CDS General Bipin Rawat, his wife Madulika Rawat and 11 others who lost their lives in military chopper crash yesterday, have been placed pic.twitter.com/042DSmNmpB
દિલ્હીના પાલમ એરપોર્ટ પર બિપિન રાવતની બન્ને દીકરીઓ પણ હાજર રહી છે. પાર્થિવ દેહના અહીં પહોંચતા જ તેમની આંખોથી આંસૂ વહેવા લાગ્યા. આ સિવાય અહીં અન્ય સેન્ય કર્મીઓના પરિવારજનો પણ હાજર રહ્યા છે.
મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં માત્ર CDS બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડ્ડર અને લાંસ નાયક વિવેક કુમારના મૃતદેહોની જ ઓળખ થઇ છે.
જનરલ બિપિન રાવતનો પાર્થિવ દેહ 10 ડિસેમ્બરે એટલે શુક્રવાસે તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. 11થી 12:30 વાગ્યા સુધી નેતા અને સામાન્ય નાગરિક અંતિમ દર્શન કરશે. જ્યારે બપોરે 12:30થી 13:30 વાગ્યા સુધી સેન્ય કર્મચારી જનરલ બિપિન રાવતના અંતિમ દર્શન કરશે.
સાંજ સુધીમાં દિલ્હી લાવવામાં આવશે તમામ શહીદોના પાર્થિવ દેહ
સાંજ સુધીમાં તમામ શહીદોના પાર્થિવ દેશ દિલ્હી લાવવામાં આવશે અને પાલમ એરપોર્ટ પર આજે જ પ્રધાનમંત્રી મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંઘ, અને NSA અજીત ડોભાલ જનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપવા જશે.
લોકોએ રસ્તામાં ફૂલ વરસાવ્યા
જનરલ બિપિન રાવત અને તેમની પત્નીનો પાર્થિવ દિલ્હી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં લોકોએ શહીદોના વાહન પર પુષ્પવર્ષા કરી અને ભારત માતા કી જયનાં નારા લગાવ્યા.
દલાઇ લામાએ વ્યક્ત કરી સંવેદના
તિબેટના ધર્મગુરુ દલાઇ લામાએ પણ આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે હું સીડીએસ બિપિન રાવત અને તેમના સાથીઓ માટે પ્રાર્થના કરું છું.
પૂર્વોત્તરનાં રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ તથા તમામ હસ્તીઓ દ્વારા CDS બિપિન રાવત અને તેમની સાથે મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામા આવી હતી
દુર્ઘટનામાં મૃત્યુ પામેલ અન્ય જવાનો:
ડાબેથી જમણે તસવીરોમાં - હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભારતીય વાયુસેનાના ચાર જવાનો વિંગ કમાન્ડર પીએસ ચૌહાણ, સ્ક્વોડ્રન લીડર કે સિંઘ, JWO રાણા પ્રતાપ દાસ અને JWO પ્રદીપ
In photos from left to right - Naik Jitender Kumar 3 Para (SF), Lt Col Harjinder Singh, Brigadier LS Lidder, Havaldar Satpal Raj
Gen Bipin Rawat, his wife, & 11 Army, IAF personnel died in a chopper crash in Coonoor, Tamil Nadu today pic.twitter.com/slh2EWV8ob
In pictures from left to right- Madhulika Rawat, wife of CDS Gen Bipin Rawat, Lance Naik Vivek Kumar 1 Para (SF), NK Gurushewak Singh 9 Para (SF), Lance Naik BS Teja 11 Para (SF)
Gen Rawat, his wife, & 11 Army, IAF personnel died in a chopper crash in Coonoor, Tamil Nadu today pic.twitter.com/8wy5qKxFFl
શિવસેનાનાં નેતા સંજય રાઉતે કહ્યું હતું કે આ ખૂબ દુર્ભાગ્યની વાત છે કે દેશના સર્વોચ્ચ સેનાપતિ એ સૌથી આધુનિક હેલિકોપ્ટરમાં મુસાફરી દરમિયાન અકસ્માતનો ભોગ બને છે. આ ઘટના લોકોના મનમાં શંકા નિપજાવનારી છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કર્યું હતું કે હું ગ્રુપ કેપ્ટન શ્રી વરુણ સિંહ જી માટે ભગવાનને પ્રાર્થના કરું છું, જે ગઈકાલની પ્લેન દુર્ઘટનામાં ઘાયલ થયા હતા. ભગવાન તેમને સ્વાસ્થ્ય લાભ આપે.
તેલંગાણાના ગવર્નર દ્વારા પુષ્પાંજલિ
તેલંગાણાના ગવર્નર અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર ડૉ. તમિલિસાઈ સુંદરરાજને નીલગીરી જિલ્લામાં મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટર ખાતે કુન્નૂર હેલિકોપ્ટર ક્રેશમાં શહિદ થયેલા CDS બિપિન રાવત અને અન્ય લોકોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Tamil Nadu | Governor of Telangana & Lieutenant Governor Puducherry Dr Tamilisai Soundararajan paid floral tribute to CDS Bipin Rawat and others who died in the Coonoor chopper crash, at Madras Regimental Centre in Nilgiris district. pic.twitter.com/2KvhsgPRfN
ઉત્તરાખંડ વિધાનસભામાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોએ CDS જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેઓ તેમની પત્ની અને 11 અન્ય લોકો સાથે ગઈકાલે તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. તો સાથે ઉત્તરાખંડમાં ત્રણ દિવસનો શોક પણ જાહેર કરવામાં આવ્યો હતો અને એક દિવસ માટે વિધાનસભાની કામગીરી
We have dedicated the first day of the State Assembly's Winter session to CDS Gen Bipin Rawat. He was our pride. I am going to Delhi to attend his funeral: Uttarakhand CM Pushkar Singh Dhami pic.twitter.com/1XkE0CdbFx
તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને પુષ્પાંજલિ આપી
આ ઘટનાના પગલે તામિલનાડુ મુખ્યમંત્રી સ્ટાલિને નિલગિરી જિલ્લાના મદ્રાસ રેજિમેન્ટલ સેન્ટરમાં કુન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા CDS બિપિન રાવત અને અન્ય લોકોને પુષ્પાંજલિ આપી હતી.
Tamil Nadu CM MK Stalin pays floral tribute to CDS Bipin Rawat and others who died in the Coonoor chopper crash, at Madras Regimental Centre in Nilgiris district pic.twitter.com/1b9vB0yOct
તમિલનાડુના નિલગિરી જિલ્લાના કુન્નુર વિસ્તારમાં બુધવારે ભારતીય વાયુસેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં દેશે તેના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત ઉપરાંત 11 સૈનિકો પોતાનો જીવ ગુમાવ્યા હતા.