સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડાઓ અનુસાર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસ વધીને 20,471 થઇ ગયા છે. ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનાર નો આંકડો 652 પર પહોંચી ગયો છે. જ્યારે ગત 24 કલાકમાં કોરોના વાયરસના 1,486 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 49 લોકોના મોત થયા છે. જોકે થોડી રાહતની વાત એ છે કે કોરોના બીમારીથી અત્યાર સુધીમાં કુલ 3960 લોકો ઠીક થયા છે. દેશમાં કોરોના મહામારીને રોકવા માટે 3 મે સુધી લૉકડાઉન જાહેર કરાયું છે.
ભારતમાં કોરોનાની વધુ અપડેટ્સ માટે ક્લિક કરોઃ https://www.mohfw.gov.in/
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેના બંગલા પર તહેનાત કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ
મુંબઇમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકાર મંત્રી રામદાસ અઠાવલેના બંગલા પર તહેનાત એક કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. મંગળવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના માલાબાર હિલ્સ પર તહેનાત બે મહિલા પોલીસ કર્મી પણ કોરોના વાયરસ પોઝિટિવ આવી હતી. ત્યારબાદ ત્યાં તહેનાત 6 પોલીસ કર્મીઓને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે.
દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધીને 2248 થઇ ગયા
દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધીને 2248 થઇ ગયા. રાષ્ટ્રીય રાજધાનીમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 92 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ દરમિયાન માત્ર 1 દર્દીનું મોત થયું છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 48 લોકોના મોત થઇ ચૂક્યા છે.
જમ્મૂ કાશ્મીર સરકારે એ પ્રેસ રિલીઝ પાછી લઇ લીધી છે. જેમા કહેવામાં આવ્યું હતું કે કોરોના વાયરસની મહામારીને કારણે આ વર્ષે અમરનાથ યાત્રા રદ્દ કરી દેવાઇ છે.
57 સ્વાસ્થ્યકર્મી ક્વૉરન્ટાઇન
દિલ્હીના રોહિણી આમ્બેડકર હોસ્પિટલના 57 સ્વાસ્થ્યકર્મચારીઓને ક્વૉરન્ટાઇન કરાયા છે. આ તમામ કોરોના વાયરસ પોઝિટિવના એક દર્દીના સંપર્કમાં આવ્યા હતા.
UPમાં આજે કોરોનાના 112 નવા કેસ
ઉત્તર પ્રદેશમાં આજે કોરોના વાયરસના 112 નવા કેસ સામે આવ્યા. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 1449 થઇ ગઇ છે. પ્રદેશમાં હાલ 1255 એક્ટિવ કેસ છે અને 21 લોકોના મોત થઇ ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી 18 લોકોના મોત, કુલ 269 લોકોના મોત થયા
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર જારી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, 24 કલાકમાં 18 લોકોના મોત થયા છે. જ્યારે 431 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 269 લોકોના મોત થઇ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 5649 પર પહોંચી ગઇ છે. મુંબઇમાં અત્યાર સુધીમાં 161 લોકોના મોત થયા છે જ્યારે ગત 24 કલાકમાં જ 10 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ધારાવીમાં 9 નવા કેસ
મુંબઇમાં ધારાવીમાં કોરોના વાયરસના 9 નવા કેસ સામે આવ્યા છે. ધારાવીમાં કોરોના વાયરસના કુલ 189 કેસ થઇ ગયા છે અને 12 લોકોના મોત થઇ ચૂક્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં આજના દિવસ દરમિયાન 135 કેસ નોંધાયા છે. આજે 35 લોકો સાજા થયાં છે. આ સાથે અત્યાર સુધીમાં 179 લોકોને સાજા થઇ જતા રજા અપાઇ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2407 કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં બપોર બાદ 67 સૌથી વધુ કેસ નોંધાયા હતા. આજના દિવસમાં 8 લોકોના મોત થયાં છે. આજે બીજા નંબર પર સુરતમાં 51 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. રાજ્યમાં 13 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 2112 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 39421 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 2407 પોઝિટિવ આવ્યા છે તો 37014 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સાથે જણાવ્યું કે હવેથી દર 24 કલાકે જ તમામ ડેટા એકવાર જાહેર કરવામાં આવશે.
કેન્દ્રે બુધવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓને સુરક્ષા ઉપલબ્ધ કરાવવા કહ્યું છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે
કોરોના વાયરસથી 24 કલાકમાં 50 લોકોના મોત
કોરોના વાયરસને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી જાણકારી આપવામાં આવી છે. ગત 24 કલાકમાં કોરોના વાયરસના 1383 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 50 લોકોના મોત થયા છે.
રાજસ્થાનમાં કોરોના વાયરસથી 55 વર્ષની મહિલાનું મોત
રાજસ્થાનમાં કોરોના વાયરસે કારણે વધુ એક મોત થયું છે. રાજસ્થાનમાં એક 55 વર્ષી મહિલાનું કોરોના સંક્રમણને કારણે મોત થયું છે. આમ રાજસ્થાનમાં કોરોનાને કારણે કુલ 27 લોકોના મોત થયા છે.
રાજસ્થાનમાં કોરોના વાયરસે કારણે વધુ એક મોત થયું છે. રાજસ્થાનમાં એક 55 વર્ષી મહિલાનું કોરોના સંક્રમણને કારણે મોત થયું છે. આમ રાજસ્થાનમાં કોરોનાને કારણે કુલ 27 લોકોના મોત થયા છે. જ્યારે આજે કોરોના વાયરસના નવા 69 કેસ સામે આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1868 થઇ ગઇ છે.
ગુજરાતમાં 94 નવા કેસ નોંધાયા, કુલ 2272 કોરોના પોઝિટિવ
ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 94 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને કુલ 2272 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય વિભાગ મુજબ, બુધવારે સવારે અમદાવાદમાં 61, સુરતમાં 17, વડોદરામાં 8, રાજકોટમાં 1, અરવલ્લીમાં 5 અને બોટાદમાં 2 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે પાંચ લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 95 લોકોના મોત થયા છે.
ફ્લાઇટ સંચાલનને લઇને કોઇ નિર્ણય નહી: જાવડેકર
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ફ્લાઇટનું સંચાલન શરૂ કરવાને લઇને હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
No decision has been taken yet on the resumption of flight operations. An announcement will be made on time as to when it will resume: Union Minister Prakash Javadekar pic.twitter.com/1M1tPMvt4X
રેપિડ ટેસ્ટિંગ કીટની ખામીને લઈને ચીને કરી સ્પષ્ટતા
કોરોના રેપિડ ટેસ્ટ કીટ અંગે ઉભા થયેલા પ્રશ્નો અંગે ચીન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ બુધવારે કહ્યું હતું કે નિકાસ કરવામાં આવેલા તબીબી ઉત્પાદનોની ગુણવત્તાને ચીન ખૂબ મહત્વ આપે છે. અમે સંબંધિત ભારતીય એજન્સી સાથે સંપર્કમાં છીએ અને જરૂરી મદદ કરીશું. ભારતમાં 133 કરોડની વસ્તી સાથે રેપિડ ટેસ્ટને કોરોના પરીક્ષણ માટે એક ગેમ ચેન્જર માનવામાં આવતું હતું. પરંતુ આરોગ્ય મંત્રાલય અને આઇસીએમઆરએ આ પરીક્ષણના પરિણામો પર સવાલ ઉઠ્યા પછી બે દિવસ માટે રેપિડ ટેસ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. આ બે દિવસમાં કેન્દ્રની નિષ્ણાંત ટીમો રેપિડ ટેસ્ટ કીટનું પરીક્ષણ કરશે અને ત્યારબાદ કોઈ નિર્ણય લેવાશે.
3 મેના લૉકડાઉન બાદ થઈ શકે છે આવી વ્યવસ્થા
3 મેના રોજ દેશમાં લૉકડાઉનનો બીજો તબક્કો પૂરો થતાં, કેટલીક કડક શરતો સાથે ગ્રીન ઝોન તરીકે ચિહ્નિત થયેલ વિસ્તારોને છૂટ આપવાની કવાયત શરૂ થઈ ગઈ છે. જો કે, કોરોના વાયરસ ચેપથી ખરાબ રીતે પ્રભાવિત રેડ ઝોન વિસ્તારોને હાલમાં રાહત આપવામાં આવશે નહીં. મંત્રીઓનું જૂથ (જીએમએમ) દિલ્હી, મુંબઇ, નોઈડા, ઇન્દોર સહિત કેટલાક અન્ય 'હૉટસ્પોટ' શહેરો માટે એક અલગ રોડમેપ તૈયાર કરી રહ્યું છે. કયા શહેરોમાં, આગળની આર્થિક પ્રવૃત્તિઓને કયા પ્રકારની છૂટ આપવામાં આવે તે અંગે સતત ચર્ચા ચાલી રહી છે. હૉટસ્પોટ વિસ્તારોને પહેલાની જેમ સીલ કરવામાં આવશે.
અમદાવાદમાં નોંધાયા 61 કેસ
અમદાવાદમાં આજે કોરોનાના વધુ 61 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં દાણીલીમડા, રાયપુર, જમાલપુર, મેઘાણીનગર, ગોમતીપુર, શાહીબાગ, બહેરામપુરા, આસ્ટોડિયા થલતેજમાં નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં દર્દીઓનો આંકડો વધીને 1434એ પહોંચ્યો. અમદાવાદમાં અત્યાર સુધી 57 લોકોના મોત થયા છે. 56 લોકોએ અમદાવાદમાં કોરોનાને મ્હાત આપી છે.
મધ્યપ્રદેશ પોલીસની કડક કાર્યવાહી
લૉકડાઉનમાં મધ્યપ્રદેશ પોલીસની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. ઇન્દોરમાં બિનજરૂરી બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. લોકો ઘરની બહાર ન નીકળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિનજરૂરી બહાર નીકળતા લોકોને પોલીસે ઉઠક બેઠક કરાવી હતી.
કોરોનાની વધુ એક વેક્સિન તૈયાર કરાયાનો દાવો
કોરોનાની ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ વેક્સિન તૈયાર કરી હોવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારથી વેક્સિનનુ ટ્રાયલ શરૂ કરાશે.
કોરોનામાં આ દેશોને મળશે મદદ
કોરોનાને લઈને ગરીબ દેશોને G20ના દેશો મદદ કરશે. આ મદદમાં તમામને ભોજન મળે તેવો G20 દેશોનો સંકલ્પ છે. કોરોના સંકટ સામે જજૂમતા દેશોની G20 દેશો મદદ કરશે.
राज्य उन्हें शहीद का दर्ज़ा देकर राजकीय सम्मान के साथ उनका अंतिम संस्कार करेगी। उनके बलिदान को पहचानते हुए पुरस्कारों की एक विस्तृत योजना स्थापित की जाएगी। ये पुरस्कार राष्ट्रीय दिवस पर दिए जाएंगे: ओडिशा के मुख्यमंत्री नवीन पटनायक https://t.co/URA8DHUQsN
ઓરિસ્સામાં કોરોના વોરિયર્સને શહિદનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવિન પટનાયકે આ વાતની જાહેરાત કરી છે. તેમના અંતિમ સંસ્કાર પણ રાજકિય સન્માન સાથે થશે. આ સાથે જ કોરોના વોરિયર્સના મોતને શહિદનો દરરજો આપનાર ઓરિસ્સા પહેલું રાજ્ય છે.
કોરોના મુદ્દે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર
અમદાવાદ મનપા કમિશનર વિજય નેહરાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે મે મહિનામાં અમદાવાદમાં કોરોના કંટ્રોલમાં આવી શકે છે. જો જનતા સાથ સહકાર આપશે તો કન્ટ્રોલ લાવી શકાશે, હાલમાં કોરોનાનો કહેર ઓછો થઇ રહ્યાનું દેખાઈ રહ્યું છે.
हमने टेस्टों के लिए ICMR के सभी दिशानिर्देशों को ध्यान में रखा फिर भी यह मानकों पर खरा नहीं उतरा इसलिए हमने रैपिड टेस्ट रोक दिए।हमने ICMR को लिखा है कि सटीकता सही नहीं होने के कारण हम इसका संचालन नहीं करेंगे।हम उत्तर की प्रतीक्षा कर रहे हैं:राजस्थान स्वास्थ्य मंत्री डॉ. रघु शर्मा https://t.co/VnpwJhnpVE
રેપિડ ટેસ્ટ કીટને લઈને કેન્દ્ર અને ICMR દ્રારા મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે પછી ICMRના દિશા નિર્દશ બાદ જ કીટનો ઉપયોગ થશે. ચીને 6.5 લાખ રેપિડ કીટ ભારતમાં મોકલી અને હવે રેપિડ ટેસ્ટ કીટની વિશ્વસનિયતા પર સવાલ ઉઠ્યા છે. રાજસ્થાને રેપિટ ટેસ્ટ કીટની વિશ્વસનિયતા પર સવાલ ઉઠાવ્યા હતા. ગુજરાતમાં પણ રેપિડ ટેસ્ટ કીટ હાલમાં ચકાસણી હેઠળ છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર
રાજ્યમાં 2 હજાર 178 લોકો કોરોના સંક્રમિત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 139 દર્દીઓ સાજા થયા છે. તો ફક્ત અમદાવાદમાં 1378, વડોદરામાં 194 કેસ નોંધાયા
અત્યાર સુધીમાં સુરતમાં 347, રાજકોટમાં 40 કેસ નોંધાયા છે. કોરોનાથી રાજ્યમાં કુલ 90 લોકોના મોત થયા તો અમદાવાદમાં કુલ 53 લોકોના મોત થયા છે.
કોરોનાને લઈને રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર
રાહુલ ગાંધીએ ચોખામાંથી ઈથેનોલ બનાવવાની સરકારની મંજૂરીની આલોચના કરી છે. ઈથેનોલનો ઉપયોગ સેનેટાઈઝર બનાવવા કરી શકાશે. ચોખાથી અમીરોનુ સેનેટાઈઝર બની રહ્યુ છે અને એક તરફ ભૂખથી ગરીબો મરી રહ્યા છે. આ વાતને લઈને રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા છે.
કોરોના મુદ્દે મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય
મહારાષ્ટ્ર સરકારે હવે કોરોનાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. હવે મહારાષ્ટ્ર સરકાર 6 લાખ શ્રમિકો માટે રહેવાની વ્યવસ્થા કરશે. આ સાથે જ સરકાર 6 લાખ શ્રમિકોના જમવાની પણ વ્યવસ્થા કરશે.
मध्यप्रदेश में कोरोना वायरस के आज 67 नए मामले सामने आए, कुल कोरोना मामलों की संख्या 1552 हो गई है, प्रदेश में अभी तक कुल 80 मौते हुई हैं, 148 लोगों को डिस्चार्ज किया गया है। pic.twitter.com/ltPFRBxduK
કોરોના મુદ્દે મધ્યપ્રદેશ માટે રાહતના સમાચાર આવ્યા છે. ઈંદોરમાં 48 દર્દીઓ સાજા થઈ ઘરે ગયા છે તો કુલ કોરોના પોઝિટિવ બાદ 48 લોકો સાજા થયા છે.
લૉકડાઉનને લઈને ઉદ્ધવ ઠાકરેની કેન્દ્ર પાસે માંગ
ફસાયેલા શ્રમિકો માટે વિશેષ ટ્રેન ચલાવવી અ્ને શ્રમિકોને ઘરે પહોંચાડવા માટે વિશેષ વાહનોની વ્યવસ્થા કરવામાં આવે. આ માંગ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પાસે કરી છે.