સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, કોરોના વાયરસના કેસ હવે 7.5 દિવસમાં ડબલ થઇ રહ્યા છે. જ્યારે લૉકડાઉનથી પહેલા લગભગ 3.4 દિવસોમાં કેસની સંખ્યા ડબલ થઇ રહી હતી. ગત 24 કલાકમાં કોરોના વાયરસના 1553 કેસ નોંધાયા અને 36 લોકોના મોત થયા. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 17,656 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 559 લોકોના મોત થયા છે અને 2842 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે.
નવી દિલ્હીના ચાંદની મહલ પોલીસ સ્ટેશનમાં 8 પોલીસ કર્મચારીઓ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા છે. દિલ્હી પોલીસે ચાંદની મહલને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી ચૂકી છે. દિલ્હી સરકાર આ ક્ષેત્રની ડ્રોનથી દેખરેખ રાખી રહી છે.
#WATCH Delhi: Drones are being used for surveillance by Police in #COVID19 hotspot, Chandni Mahal area which has been declared a 'containment zone'. (Video source: Delhi Police)
Till now 8 police personnel from Chandni Mahal Police Station have tested positive for COVID-19. pic.twitter.com/WAWK3AlgPv
વિદેશ મંત્રાલયથી ઇરાનમાં ફસાયેલા ભારતીય માછીમારોને પાછા લાવવા મદદની માંગ
તમિલનાડુ સરકારે સોમવારે કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો કે તે ઇરાનમાં ભારતીય દૂતાવાસને ત્યાં ફસાયેલા 1,000 ભારતીય માછીમારોને ભોજન અને અન્ય પાયાકીય વસ્તુઓની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો. ઇરાનમાં ફસાયેલા ભારતીય માછીમારોમાંથી 650 માછીમાર તમિલનાડુના છે.
કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોવિડ 19ને લઇને મુંબઇ, પૂણે, ઇન્દોર, જયપુર, કોલકાતા અને પશ્ચિમ બંગાળના કેટલાક અન્ય સ્થાનો પર સ્થિતિ 'વિશેષ રૂપે ગંભીર' છે અને લૉકડાઉનના નિયમોના ઉલ્લંઘનથી કોરોના વાયરસ વધુ ફેલાવાનો ખતરો છે. ગૃહ મંત્રાલયે આ સંબંધમાં કાર્યવાહી કરતા જાહેરાત કરી કે 6 આઇએમસીટી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પ.બંગાળ અને રાજસ્થાનના આ ચિન્હિત સ્થાનો પર આવનારા 3 દિવસ પ્રવાસ કરશે અને ઘટના સ્થળની સ્થિતિનું આકલન કરી કેન્દ્રને રિપોર્ટ આપશે.
કાશ્મીરમાં કોરોના વાયરસ સંક્રમણના નવા 4 કેસ
જમ્મૂ કાશ્મીરમાં કોરોના વાયરસ સંક્રમણના ચાર નવા કેસ સામે આવવાની સાથે કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં કુલ કેસ વધી ને 354 થઇ ચૂક્યા છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે 93 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 196 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના કુલ 1939 કેસ નોંધાયા, આજે 4 લોકોના મોત થયા : આરોગ્ય અગ્રસચિવ
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1939 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં બપોર બાદ સૌથી વધુ 61 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં 25 અને વડોદરામાં 7 કેસ નોંધાયા હતા. આ સાથે આજે 19 લોકો વેન્ટિલેટર પર છે તો 25 લોકો સાજા થઇ જતા તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. આજે કોરોના વાયરસની સારવાર દરમિયાન 4 લોકોના મોત થયાં છે. જ્યારે એક્ટિવ 1718 લોકો સ્ટેબલ છે. ગત 24 કલાકમાં 4212 ટેસ્ટ કરાયા છે અને 196 કેસ પોઝિટિવ આવ્યા છે. રાયખડ, જીવરાજ પાર્ક, ખાનપુર, નવા નરોડા, વટવા, વાસણા, અસારવામાં કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સોમવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે કોરોના વાયરસના કેસ હવે 7.5 દિવસમાં ડબલ થઇ રહ્યા છે. જ્યારે લૉકડાઉનથી પહેલા લગભગ 3.4 દિવસોમાં કેસની સંખ્યા ડબલ થઇ રહી હતી. 18 રાજ્યોમાં વધારે સારુ પ્રદર્શન જોવા મળ્યું છે. લવ અગ્રવાલે જણાવ્યું કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રાજીવ ગાંધી સ્પેશિયાલિટીની મુલાકાત લીધી અને સ્વાસ્થ્ય કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરી છે. તેઓએ કહ્યું કે ગત 24 કલાકમાં કોરોના વાયરસના 1553 કેસ નોંધાયા અને 36 લોકોના મોત થયા. જ્યારે દેશમાં કોરોના વાયરસના કુલ 17,265 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 543 લોકોના મોત થયા છે અને 2547 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. તેઓએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસથી સ્વસ્થ થવાનો દર 14.75 ટકા છે. ઓરિસ્સા અને કેરળમાં કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આપી ખાસ માહિતી
કોરોના વાયરસ અંગે માહિતી આપતાં તેઓએ કહ્યું કે અમદાવાદમાં આજે નોંધાયલા કેસોમાં સોથી વધુ હૉટસ્પોટ વિસ્તારના છે. ત્યારે દર્દીઓને હાલ ઉચ્ચ કક્ષાની સુવિધાઓ આપવામાં આવી રહી છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી તૈયારીના મહિના હતા. માર્ચ મહિનો જનજાગૃતિનો હતો જેમાં 8 માર્ચ સુધી સ્થિતિની ગંભીરતા સમજાઇ અને 15માર્ચથી અમદાવાદમાં ત્રીજો તબ્બકો શરૂ થયો હતો. જ્યારે એપ્રિલમાં માસમાં ચોથો તબ્બકો શરૂ થઇ ગયો હતો. જેને લઇ અમે અમે માસ્ક પહેલાથી ખરીદી લીધા હતા. ત્યારે અમદાવાદમાં લોકોએ હજુ પણ સતર્ક રહેવું પડશે. લોકડાઉન ખુલશે ત્યારે નાગરિકોએ તૈયારી અને સમજદારી રાખવી પડશે. રેપિડ ટેસ્ટને લઇ વિજય નેહરાએ કહ્યું કે રેપિડ ટેસ્ટમાં 8 લોકો પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં ટેસ્ટિંગની પ્રક્રિયા અન્ય શહેર કરતા ઘણી વધુ છે.
પિતાના અવસાન બાદની વિધિમાં નહી જાય યોગી આદિત્યનાથ. કોરોનાને હરાવવા લોકડાઉનનું પાલન કરવા માટે અંતિમવિધિમાં ભાગ નહી લે યોગી આદિત્યનાથ. તેઓએ માતાને પત્ર લખીને જણાવ્યું છે કે હું નહીં આવી શકું. ઉલ્લેખનીય છે કે યોગીના પિતા દિલ્હીની AIIMSમાં સારવાર લઈ રહ્યા હતા.
દિલ્હીની AIIMSમાં આજે સવારે યોગી આદિત્યનાથના પિતાનું અવસાન થયું છે. તેમના પિતાની અંતિમ વિધિ ઉત્તરાખંડના તેમના પૂર્વાશ્રમના ગામમાં છે.
મધ્યપ્રદેશમાં ગરમાયું રાજકીય સંકટ
કોરોના સંકટ અને લૉકડાઉનની વચ્ચે મધ્યપ્રદેશમાં હાલમાં રાજકીય સંકટ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એક તરફ પોતાની કેબિનેટમાં નવા મંત્રીઓ લાવવાની તૈયારીમાં જોડાયા છે ત્યારે અન્ય તરફ ભાજપમાં મંત્રી પદ માટે ભાગદોડ ચાલી રહી છે.
भारत में कुल #COVID19 मामलों की संख्या 16,116 हो गई है, जिसमें से ठीक या विस्थापित मामले 2302 हैं, अब तक मरने वालों की संख्या 519 है, पिछले 24 घंटों में 1324 नए मामले सामने आए हैं और 31 मौतें हुईं हैं। pic.twitter.com/51tFjoX3YT
દિલ્હીમાં કુલ કેસની સંખ્યા 2003 થઈ, 290 દર્દીઓ સાજા થયા તો 45 લોકોના મોત થયા છે. યુપીમાં કુલ કેસની સંખ્યા 1100 થઈ. અહીં એક જ દિવસમાં 125 કેસ નોંધાયા છે. યુપીમાં 117 લોકો સાજા થયા,17 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. રાજસ્થાનમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1478 થઈ છે. એક જ દિવસમાં રાજસ્થાનમાં 127 કેસ નોંધાયા તો 205 લોકો સાજા થયા અને 23 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશમાં કુલ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1407 થઈ છે. એક જ દિવસમાં 5 કેસ નોંધાયા અને 131 સાજા થયા તો 72 લોકોના મોત થયા છે.
#COVID19 मामलों की संख्या राजस्थान में बढ़कर 1478 हो गई है, जिसमें आज 127 नए मामले सामने आए हैं। 2 और लोगों की मौत हो गई, जिससे राज्य में मरने वालों की संख्या 23 लोगों हो गई है। pic.twitter.com/1Wq3yBk0Ml
કોરોનાની સામેની મજબૂત લડાઇ વખતે ગંભીર બેદરકારી સામે આવી છે. અમદાવાદમાં કોરોના સામે સિવિલ હોસ્પિટલ તંત્ર ગંભીર નથી. હોસ્પિટલમાં યોગ્ય વ્યવસ્થાને અભાવે વારંવાર હોબાળા થાય છે. 25 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ 7 કલાક બહાર રઝળ્યા. અગાઉ નર્સિંગ સ્ટાફે પણ વ્યવસ્થાને લઇ હોબાળો કર્યો હતો.
સેફ્ટી સાધનોનો મુદ્દો નર્સિંગ સ્ટાફે ઉઠાવ્યો હતો. હવે દર્દીઓને હોસ્પિટલમાં એડમીટ ન કરવાનો બનાવ બન્યો છે. મોટા મોટા દાવાઓ વચ્ચે સૌથી મોટી હોસ્પિટલમાં જ લાલિયાવાડી જોવા મળી રહી છે.
पिछले 28 दिनों में पुदुचेरी के माहे और कर्नाटक के कोडागु में कोई नया मामला नहीं मिला, 23 राज्यों / केंद्र शासित प्रदेशों के 54 अन्य जिलों ने पिछले 14 दिनों में कोई नया मामला नहीं मिला है।देश में अब तक 2,231 मरीज ठीक हो चुके हैं:लव अग्रवाल, संयुक्त सचिव,केंद्रीय स्वास्थ्य मंत्रालय https://t.co/3WRDMaBVwU
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 20 એપ્રિલથી નેશનલ હાઇવે પર ટોલ વસૂલવાનો નિર્ણય કરાયો છે. અગાઉ સરકારે કોરોનાને લઇ ટોલટોક્સ ભરવામાંથી મુક્તિ આપી હતી. 25 માર્ચથી ટોલટેક્સની વસૂલાત મુલતવી રાખી હતી. આ સાથે જ ઇમરજન્સી સેવાઓને રાહત આપવા માટે આ નિર્ણય લેવાયો હતો.
महाराष्ट्र: भारतीय राष्ट्रीय राजमार्ग प्राधिकरण (NHAI) ने आज से राष्ट्रीय राजमार्गों पर टोल वसूली शुरू कर दी है। नागपुर में बोरखेड़ी टोल प्लाज़ा से दृश्य। pic.twitter.com/lKcWXMmDLG
તેલંગાણામાં 7 મે સુધી લૉકડાઉન વધારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 3 મે સુધી લૉકડાઉન લંબાવ્યું છે. પરંતુ તેલંગાણા લૉકડાઉન વધારનારું પહેલું રાજ્ય બન્યું છે.
આજથી રેશનકાર્ડ ધારકોના ખાતામાં જમા થશે રકમ
NFSA કાર્ડ ધારકોના ખાતામાં આજથી 1000 રૂપિયા જમા થશે. સરકાર 66 લાખ કાર્ડધારકોના ખાતામાં રકમ જમા કરશે. રૂપિયા જમા કરાવવા માટે કોઈ પણ ફોર્મ ભરવાની જરૂર નથી, છોટાઉદેપુર, પંચમહાલમાં CM શરૂઆત કરાવશે. દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં CM આજે યોજનાની શરૂઆત કરાવશે.
આજથી રાજ્ય સરકારની કચેરીઓમાં કામકાજ શરૂ થશે
રાજ્યમાં આજથી તમામ કચેરીઓમાં કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સ સાથે કામ શરૂ થશે. વર્ગ 1 અને વર્ગ 2ના કર્મચારીઓ કચેરીએ આવશે, 33 ટકા સ્ટાફ સાથે કચેરીઓમાં કામકાજ શરૂ કરાશે. અન્ય સ્ટાફ ઘરેથી કામગીરી કરશે. રોટેશન પદ્વતિથી કર્મચારીઓને ફરજ પર આવશે. હોટસ્પોટ વિસ્તાર, બફર ઝોનમાં આવેલી સરકારી કચેરી બંધ રહેશે. ક્લસ્ટર ક્વોરન્ટાઇન વિસ્તારમાં આવેલી કચેરીઓ પણ બંધ રહેશે.
लॉकडाउन के दौरान ई-कॉमर्स कंपनियों द्वारा गैर-जरूरी सामान की सप्लाई पर रोक: गृह मंत्रालय (MHA) pic.twitter.com/QiHs61kqPN
સીટી વિસ્તાર બહાર આવેલા ઉદ્યોગો આજથી શરૂ થશે. નગરપાલિકા અને મનપા વિસ્તારમાં ઉદ્યોગોને મંજૂરી નહી મળે. 8 મનપા, 162 નપામાં ઉદ્યોગોને મંજૂરી મળી નથી. ઉદ્યોગો કામદારો માટે મહત્તમ 12 કલાકની શિફ્ટ રાખી શકશે. શિફ્ટ કરતા વધારાના કલાક માટે વધારાનો પગાર આપવો પડશે. શિફ્ટના 6 કલાક પૂર્ણ થયા બાદ અડધો કલાક આરામ આપવો જરૂરી છે. મહિલાઓને નાઇટ શિફ્ટમાં કામ માટે નહી બોલાવી શકાય. કારખાનાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે અને સાથે જ કામ પર આવનારા શ્રમિકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવાની રહેશે.
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1758એ પહોંચી
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 373 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે 63 દર્દીઓના મોત થયા છે. રાજ્યના 105 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ઉલ્લેખનીય છે કે ફક્ત અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 239 પોઝિટિવ કેસ નોંધાયા છે તો કુલ આંક 1101 કેસનો થયો છે.
કેન્દ્ર સરકારનો નિર્ણય
વૈશ્વિક મહામારી બની ચૂકેલો કોરોના આખા દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ સમયે દેશમાં કુલ 500થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોનાના દર્દીઓના મોતને લઈને કેન્દ્ર સરકારે નવી જાહેરાત કરી છે કે હવેથી આ દર્દીઓનું પોસ્ટમોર્ટમ નહીં કરવામાં આવે.
66 ટકા દર્દીઓ એવા છે જેમનામાં સંક્રમણના કોઈ લક્ષણો ન દેખાવવા છતાં તેમના રિપોર્ટ પોઝિટિવ
હાલ સુધીમાં કોરોનાના 2/3 દર્દીઓ એવા સામે આવ્યા છે જેમાં કોરોના સંક્રમણના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. છતાં તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ડોક્ટર્સના મત અનુસાર દર્દીઓમાં કોરોનાના લક્ષણો ન દેખાવવા માટેના પણ અનેક કારણો હોઈ શકે છે. હાલના એક આંકડા અનુસાર કુલ દર્દીઓમાં 66 ટકા દર્દીઓ એવા છે જેમનામાં સંક્રમણના કોઈ લક્ષણો ન દેખાવવા છતાં તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
રાજ્યને મળેલ રેપીડ ટેસ્ટિંગ કીટ 2 દિવસથી પડી રહી છે
કોરોનાના ઝડપી ટેસ્ટિંગ માટે 24 હજાર કીટ રાજ્યને મળી છે અને તેનું ટેસ્ટિંગ પણ ઝડપથી શરૂ થવાનું હતું. પરંતુ 2 દિવસથી રેપીડ ટેસ્ટિંગ કીટનું પરીક્ષણ થયું નથી.
આરોગ્ય વિભાગ ટેસ્ટિંગ કેવી રીતે કરવા એની મથામણમાં છે. પોઝિટિવ અને નેગેટિવ દર્દીઓના ટેસ્ટ કરી મૂલ્યાંકન કરાશે અને સાથે જ ડિસ્ચાર્જ થયેલ દર્દીઓના પણ રેપીડ ટેસ્ટિંગ કીટથી નમૂના લેવાશે. યોગ્ય પરિણામ બાદ કીટથી ટેસ્ટિંગ શરૂ કરાશે તેવો દાવો હાલમાં કરવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં 25 પોલીસજવાનો કોરોનાગ્રસ્ત
અમદાવાદમાં 23 પોલીસજવાનો કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ વડોદરામાં 1, રેલવેના 1 પોલીસજવાનો કોરોનાગ્રસ્ત થયા છે. પોલીસજવાનો કોરોના ચેપ લાગતા તંત્રમાં ચિંતા ફેલાઈ છે. આ સાથે જ ફરજ પર રહેનારા પોલીસ જવાનોની ઇમ્યુનિટી વધારવા ઔષધિઓ અપાઇ રહી છે.