ગુજરાતમાં કોરોનાનો કહેર લૉકડાઉન વચ્ચે પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 247 કોરોનાના કેસ, 11ના મોત થવાના કારણે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. હવે અમદાવાદીઓ જાગ્યા છે અને તેઓએ બિન જરૂરી બહાર નીકળવાનું ટાળ્યું છે તો સાથે જ અમદાવાદના રામોલમાં શાકભાજીઓની લારી વચ્ચે અંતર રાખીને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવી રહ્યું છે. અહીં 2 લારી વચ્ચે 6 ફૂટનું અંતર રખાયું છે.
ગુજરાતમાં વકર્યો કોરોના
અમદાવાદીઓમાં વધી જાગૃતતા
કોરોનાના પગલે આ શાકમાર્કેટમાં લેવાયો મહત્વનો નિર્ણય
છેલ્લા 24 કલાકમાં લોકોના 11 મોત
આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 લોકોના દુ:ખદ અવસાન થયાં હોવાની વાત પણ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે કરી હતી.
અમદાવાદમાં બે કેદી આવ્યા કોરોનાની ઝપેટમાં
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોનાએ ચિંતા વધારી છે. કેદી ઇઝારયલ ખાન અને નવાબ ખાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાનું સંક્રમણ જેલ સુધી પહોંચતા અન્ય કેદીઓમાં ભય જોવા મળી રહ્યો છે. કેદીઓના સંપર્કમાં આવેલ અન્ય કેદીઓ ક્વોરન્ટાઇન કરાયા હતા.
જિલ્લા
પોઝિટિવ કેસ
સાજા થયા
મૃત્યુ
Ahmedabad
2378
212
109
Baroda
240
56
13
Surat
556
20
19
Rajkot
46
15
0
Bhavnagar
40
19
5
Anand
51
15
3
Bharuch
29
14
2
Gandhinagar
30
12
2
Patan
17
11
1
Panchmahal
20
0
2
Banaskantha
28
1
1
Narmada
12
1
0
Chhota Udepur
13
3
0
Kutch
6
3
1
Mehsana
7
2
0
Botad
13
0
1
Porbandar
3
3
0
Dahod
4
1
0
Gir Somnath
3
2
0
Kheda
6
1
0
Jamnagar
2
0
1
Morbi
1
1
0
Sabarkantha
3
2
0
Arvalli
18
0
1
Mahisagar
10
0
0
Tapi
1
0
0
Valsad
5
0
1
Navsari
3
0
0
Dang
2
0
0
Surendranagar
1
0
0
Junagadh
0
0
0
Devbhoomi Dwarka
0
0
0
Amreli
0
0
0
TOTAL
3548
394
162
31 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 31 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 2691 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 53575 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 3548 પોઝિટિવ આવ્યા છે તો 50027 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.