પ્રથમ વન ડે મેચમાં ભારતે શાનદાર દેખાવ કરીને ઝળહળતો વિજય મેળવી લીધો છે. ભારતે આપેલા 318 રનના લક્ષ્યની સામે ઈંગ્લેન્ડ 251માં ઓલઆઉટ થઈ ગયું હતું.
ઈંગ્લેન્ડને ભારતે હરાવ્યું
પૂણેની પ્રથમ વનડેમાં ભારતનો વિજય
ભારતનો સ્કોર- 317/5, ઈંગ્લેન્ડ 251માં ઓલઆઉટ થયું
પૂણેમાં રમાયેલી આજની IND vs ENG વચ્ચેની પ્રથમ વન-ડેમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. ભારતે આજે ઈંગ્લેન્ડ સામે પ્રથમ વન-ડે મૅચ બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન વડે 66 રનથી શાનદાર જીત મેળવી લીધી છે.
ભારતે જીત્યો હતો ટોસ
ટીમ ઈન્ડિયાએ આજે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ભારતે 50 ઓવરની અંતે 5 વિકેટે 317 રન કરી ઈંગ્લેન્ડને 318 રનનો જીત માટે લક્ષ્યાંક આપ્યું હતું. જેમાં ઈંગ્લેન્ડ 251 રનમાં ઓલઆઉટ થતાં ભારતે પ્રથમ વન-ડે 66 રનથી જીતી લીધી હતી. ત્રણ મેચોની સીરિઝમાં 1-0થી ભારત આગળ છે.
ભારત તરફથી ઓપનિંગમાં રોહિત શર્મા (28) અને શિખર ધવને (98) મજબૂત શરૂઆત કરી હતી. જો કે 15મી ઓવરમાં 64 રન પર ભારતની પ્રથમ વિકેટ રોહિત શર્માના સ્વરૂપમાં પડી હતી. બેન સ્ટોક્સના બોલમાં રોહિત મોર્ગનના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ ધવન અને કોહલી (56) એ ભારતની ઈનિંગ સંભાળી હતી. આજે જ્યારે સૌ કોઈ કોહલીની સદીની રાહ જોઈ રહ્યું હતું તે ફરીથી એક વખત બની શક્યુ ન હતું. વુડના બોલ પર કોહલી આઉટ થયો હતો.
ઈંગ્લેન્ડ 318 રનના લક્ષ્યાંકને સર કરવા માટે ઓપનિંગમાં જેસન રોય (46) અને જોની બેયરસ્ટો (94) સાથે મેદાનમાં ઉતરી હતી. બંને ઓપનર્સે મજબૂત શરૂઆત કરી હતી ત્યારે લાગી રહ્યું હતું કે આજે ઈંગ્લેન્ડ પોતાની જીત મેળવીને જ રહેશે. 135 રન સુધી એક પણ વિકેટ ન પડતાં ટીમ ઈન્ડિયાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતાં. આવામાં પોતાની ડેબ્યુ મૅચમાં ક્રિષ્નાએ ઉપરાઉપરી બે વિકેટો ખેરવી ઈંગ્લેન્ડની મજબૂત શરૂઆતને નબળી પાડી દીધી હતી. ક્રિષ્નાએ જેસન રોય અને બેન સ્ટૉક્સ (1)ની વિકેટ લીધી હતી.
મૅચના હીરો
ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં આજે સૌથી વધુ મહત્વનો ફાળો બેટ્સમેનની સાથે સાથે બોલરોનો પણ રહ્યો. બેટિંગમાં ગબ્બર કહેવાતા શિખર ધવને 98 રનની ધમાકેદાર ઈનિંગથી પહેલેથી જ જીતના પાયા મજબૂત કરી નાંખ્યા હતાં. જયારે રાહુલ (62) અને કૃણાલ પંડ્યા (58)એ ઝડપી ઈનિંગ રમીને મોટું યોગદાન આપ્યું હતું. બીજી બાજુ બોલિંગમાં ડેબ્યુ કરી રહેલા પી. ક્રિષ્નાએ ગજબ પ્રદર્શન કરતા 4 વિકેટો પોતાના નામે કરી હતી. શાર્દુલ ઠાકુરે પણ 4 વિકેટો ખેરવી હતી જ્યારે ભુવનેશ્વર કુમારે 2 વિકેટો લીધી હતી. કૃણાલ પંડ્યાએ ઓલરાઉન્ડર પર્ફોમન્સ આપતા 1 વિકેટ પણ પોતાના નામે કરી હતી.
બાદમાં બેયરસ્ટોએ મજબૂત ઈનિંગનું પ્રદર્શન કર્યુ હતું અને માત્ર 66 બોલમાં 94 રન ફટકાર્યા હતાં. શાર્દુલ ઠાકુરની 23મી ઓવરમાં શુભમન ગિલ (સબસ્ટિટ્યુટ)ના હાથે કૅચ આઉટ થયો હતો. ટૉપ ઓર્ડર નબળો પડી ગયા બાદ ઈંગ્લેન્ડનો મિડલ ઓર્ડર કંઈ ખાસ કરી શક્યું ન હતું. કોઈ પણ બેટ્સમેનને લાંબી ઇનિંગ સુધી ભારતીય બોલરોએ ટકવા દીધાં ન હતાં.
ભારતીય ટીમ તરફથી ક્રિષ્નાએ 4 વિકેટો, શાર્દુલ ઠાકુરે 3 અને ભુવનેશ્વરકુમારે 2 અને કૃણાલ પંડ્યાએ 1 વિકેટ ખેરવીને ભારતને જીત હાંસલ કરાવી હતી.
ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ પણ રંગ રાખ્યો
ટીમ ઈન્ડિયાએ આજે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઓપનિંગમાં રોહિત શર્મા (28) અને શિખર ધવને (98) મજબૂત શરૂઆત કરી હતી. જો કે 15મી ઓવરમાં 64 રન પર ભારતની પ્રથમ વિકેટ રોહિત શર્માના સ્વરૂપમાં પડી હતી. બેન સ્ટોક્સના બોલમાં રોહિત મોર્ગનના હાથે કેચ આઉટ થયો હતો. ત્યાર બાદ ધવન અને કોહલી (56) એ ભારતની ઈનિંગ સંભાળી હતી. આજે જ્યારે સૌ કોઈ કોહલીની સદીની રાહ જોઈ રહ્યું હતું તે ફરીથી એક વખત બની શક્યુ ન હતું. વુડના બોલ પર કોહલી આઉટ થયો હતો.