રાજસ્થાન હ્યુમન રાઇટ્સ કમિશને રાજ્ય સરકારને લિવ-ઇન રિલેશનશિપ અથવા લગ્નની પ્રકૃતિ જેવા સંબંધો માટે એક વ્યાપક કાયદો ઘડવાની ભલામણ કરી છે અને આવા સંબંધોની તમામ શરતો અને લાયકાત નક્કી કરવામાં આવે તેવું પણ જણાવવામાં આવ્યું છે.
કમિશનનું માનવું છે કે મહિલાઓને લિવ ઇન રિલેશનશિપ જેવા સંબંધોથી દૂર રાખવા જાગૃતિ અભિયાન હાથ ધરવા જોઈએ, કારણ કે આવા સંબંધો મહિલાઓ માટે સમસ્યા રૂપ સાબિત થાય છે.
રાજસ્થાન માનવાધિકાર આયોગના અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ તાટિયા અને સભ્ય મહેશચંદ્ર શર્માની ખંડપીઠે બુધવારે આ મામલે આ આદેશ આપ્યો છે. રાજસ્થાન હ્યુમન રાઇટ્સ કમિશન લાંબા સમયથી લાઇવ-ઇન રિલેશનશિપના માનવાધિકારના પ્રભાવોનો અભ્યાસ કરી રહ્યું છે.
જેના માટે આયોગે સરકાર અને સામાન્ય લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા. સરકાર તરફથી પોલીસે અનેક મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા, કારણ કે પોલીસને જ આવા કેસોમાં સૌથી વધુ જોતરાવુ પડે છે. કમિશને તેના આદેશમાં કહ્યું છે કે ભારતનું બંધારણ દરેક વ્યક્તિને માનભેર જીવવાનો અધિકાર આપે છે.
આવી સ્થિતિમાં, લિવ ઇન રિલેશનશિપ જેવા સંબંધોને પ્રોત્સાહિત કરવા સિવાય, મહિલાઓને આવા સંબંધોથી દૂર રાખવા સઘન જાગૃતિ અભિયાન હાથ ધરવા જોઈએ. તે તમામ માનવાધિકાર રક્ષકો, કમિશન અને સરકારી વિભાગો અને સરકારની ફરજ હોવી જોઈએ. આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારે તાત્કાલિક કામ કરવું જોઈએ.
કમિશનનું માનવું છે કે ઘરેલું હિંસા અધિનિયમ 2005 થી મહિલાઓએ લગ્નની પ્રકૃતિ જેવા સંબંધોને કાનૂની માન્યતા આપી છે, પરંતુ કેટલીક મુંઝવણ અને ભ્રમ દ્વારા મહિલાઓને ગેરમાર્ગે દોરીને લિવ ઇન રિલેશનશિપને સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેને અટકાવવો ખુબ જ જરૂરી છે.