કોરોના વેક્સિન ડેવલપમેન્ટની તૈયારીઓની સમીક્ષાને લઈને આજે પીએમ મોદી ત્રણ વેક્સિન પ્રયોગશાળાઓની મુલાકાતે હતા, જેના ભાગરૂપે હવે તેઓ પૂણેમાં પહોંચી ગયા છે, અહી હાલ તેઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી, સાથે જ કંપનીના સીઇઓ અદાર પૂનાવાલા સાથે પણ વાતચીત કરી હતી.
સીરમ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકો સાથે કરી મુલાકાત
આ પહેલા હૈદરાબાદ અને અમદાવાદની મુલાકાતે હતા પીએમ મોદી
દિલ્હી રવાના થયા પીએમ મોદી
આખો દિવસ 'રસીભ્રમણ' કર્યા બાદ પીએમ મોદી હવે દિલ્હી માટે રવાના થયા છે.
ટીમ સાથે સારી વાત થઇ : પીએમ મોદી
પુણેની સિરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાની મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે ટીમ સાથે ખૂબ સારી વાત થઇ. તેમણે અત્યાર સુધીની પ્રગતિ વિશે જાણકારી આપી અને વેક્સિન નિર્માણને લઈને આગળ વધવા માટે શું યોજના બનાવી છે તે વિશે જાણકારી આપી.
Had a good interaction with the team at Serum Institute of India. They shared details about their progress so far on how they plan to further ramp up vaccine manufacturing. Also took a look at their manufacturing facility. pic.twitter.com/PvL22uq0nl
કોરોના વાયરસ સામે દેશ લડી રહ્યો છે ત્યા આજે પીએમ મોદી દેશમાં બની રહેલ વિવિધ વેક્સિન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસે તેમના પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુર્જેવાલાએ કહ્યું કે પીએમ મોદી કંપનીઓની ઓફીસમાં જઈને ફોટો પડાવી રહ્યા છે અને લાખો ખેડૂતો દિલ્હીના રસ્તા પર સંઘર્ષ કરી રહ્યા છે. સુરજેવાલાએ કહ્યું કે પીએમ મોદી જમીન પર ખેડૂતોને મળવા પહોંચ્યા હોત.
હાલ પીએમ મોદી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરવાના છે, નોંધનીય છે કે સીરમ સંસ્થાએ એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની સાથે રસી નિર્માણ માટે કરાર કર્યા છે. જેને લઈને ભારતમાંઅ તેના પરીક્ષણ પણ હાથ ધરાયા હતા.
Maharashtra: Prime Minister Narendra Modi visits Serum Institute of India in Pune to review COVID-19 vaccine development. pic.twitter.com/pLhQkVtjlw
પ્રધાનમંત્રી મોદી આજે તેમના અગાઉથી નક્કી કરાયેલા કાર્યક્રમ પ્રમાણે હૈદરાબાદના ભારત બાયોટેકના પ્લાંટ પર પહોંચ્યા હતા, અહી ICMR ના સહયોગમાં બની રહેલી સ્વદેશી કોવેક્સિનના વૈજ્ઞાનિક ટ્રાયલ્સ અંગે માહિતી મેળવી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી, ત્યાર બાદ ભારત બાયોટેકના વૈજ્ઞાનિકોને વેક્સિન પ્રોજેક્ટમાં થઈ રહેલી પ્રગતિ માટે અભિનંદન પાઠવ્યા હતા. આ અંગે તેમણે ટ્વિટ પણ કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદની ભારત બાયોટેક પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન અંગેની માહિતી મેળવી હતી. જેના પછી તેમણે ટ્વિટ કર્યું હતું જેમઆ તેમણે કહ્યું હતું કે આજે સ્વદેશી રસી વિશે માહિતી મેળવી હતી, અને વૈજ્ઞાનિકોને ટ્રાયલ્સની પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી. આ ટીમ ICMRના સહયોગમાં વધુ પ્રગતિ માટે કામ કરી રહી છે.
At the Bharat Biotech facility in Hyderabad, was briefed about their indigenous COVID-19 vaccine. Congratulated the scientists for their progress in the trials so far. Their team is closely working with ICMR to facilitate speedy progress. pic.twitter.com/C6kkfKQlbl
નોંધનીય છે કે ભારત બાયોટેકની કોરોના વેક્સિનના અત્યારે દેશમાં ત્રીજા અને અંતિમ ચરણના ટ્રાયલ્સ ચાલી રહયા છે.જેમાં દિલ્હીની એઇમ્સ અને અમદાવાદની સોલા સિવિલ પણ સામેલ છે. આ પછી તેઓ પુણે ખાતેના સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો પ્લાન્ટ પણ વિઝીટ કરશે.
ભારતમાં વકરેલી કોરોના મહામારીને જોતા મોદી સરકાર હવે કોરોના સામેની લડાઈ માટે સતર્ક બની છે, અને હાલમાં વિશ્વમાં એકી સાથે ઘણી વેક્સિન ના અંતિમ ચરણના ટ્રાયલ્સ ચાલી રહયા હોઈ સરકાર પણ ભારત માટે વેક્સિનની યોજના કરવાની તૈયારીમાં પડી છે. આ પહેલા પીએમ મોદી આજે અમદાવાદની મુલાકાતે હતા, જ્યા તેમને ઝાયડસ બાયોટેક પાર્ક ફેસિલિટીની મુલાકાત લીધી હતી અને ઝાયડસની ઝાયકોવડી વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
Visited Zydus Biotech Park in Ahmedabad to know more about the indigenous DNA based vaccine being developed by Zydus Cadila. I compliment the team behind this effort for their work. Govt of India is actively working with them to support them in this journey: PM Modi#COVID19https://t.co/EyiJfxjMxNpic.twitter.com/5yEn2b31tH
આ મુદ્દે તેમણે ટ્વીટ પણ કર્યું હતું અને કહ્યું હતું કે આજે ડીએનએ બેઝડ ઝાયડસની કોરોના વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરી હતી, અને આ પ્રયત્નો પાછળની ટીમની કામગીરીને વધાવી હતી અને કહ્યું હતું કે ભારત સરકાર તેમના દરેક કદમમાં તેમને સહકાર આપવા માટે તેમની સાથે છે.
#WATCH PM Narendra Modi greets the crowd gathered outside Zydus Biotech Park in Ahmedabad during his vaccine review visit pic.twitter.com/3pKjlGlBP3
નોંધનીય છે કે દેશમાં રસીકરણ મુદ્દે આજે વડાપ્રધાન મોદીનું દેશમાં વિકસિત થઇ રહેલી ત્રણ મુખ્ય કોરોના વેક્સિનની ફેસિલિટીની મુલાકાત લઈ વેક્સિન તૈયારીઓની સમીક્ષા કરવાનું આયોજન હતું, તેના જ ભાગરૂપે સવારે અમદાવાદમાં ઝાયડસ કેડિલાના બાયોટેક પ્લાંટની મુલાકાત કરી હતી અને હાલમાં હૈદરાબાદની ભારત બાયોટેક પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા છે. તેના પછી પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જવાનું તેમનું આયોજન છે, જ્યા ઓક્સફોર્ડ અને એસ્ટ્રેઝનેકાની કોવિદ રસીનું નિર્માણ થઇ રહ્યું છે.
નોંધનીય છે કે ભારતમાં રસીકરણના મુદ્દે આ અગાઉ પીએમ મોદી રાજયોના મુખ્યમંત્રીઓ સાથેની એક બેઠકમાં સામેલ થયા હતા.