તાલિબાન હેઠળ અફઘાનિસ્તાનનું ભવિષ્ય શું હશે, તે ત્યાંના શિક્ષણ મંત્રીના નિવેદનથી સ્પષ્ટ થાય છે. શિક્ષણ મંત્રી મુનીર જણાવ્યું કે,આજના સમયમાં ડિગ્રીની કોઈ કિંમત નથી
આજના સમયમાં ડિગ્રીની કોઈ કિંમત નથી
મારી પાસે પણ કોઈ ડિગ્રી નથી
તાલિબાનને આંતકવાદીને ગૃહમંત્રી બનાવ્યા
શું મુનીર આ શિક્ષણમંત્રી લાયક છે?
તાલિબાને પોતાની સરકારની જાહેરાત કરી છે. જ્યાં મુલ્લા મોહમ્મદ હસન અખુંદને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જ સમયે, શિક્ષણ મંત્રાલયનો આદેશ શેખ મોલવી નુરુલ્લા મુનીરના હાથમાં આપવામાં આવ્યો છે. જો કે, એવું લાગતું નથી કે મુનીર આ માટે સક્ષમ છે. શિક્ષણ મંત્રી કહે છે કે પીએચડી અને માસ્ટર ડિગ્રીની કોઈ કિંમત નથી, કારણ કે મુલ્લાઓ પાસે ડિગ્રી નથી અને છતાં તેઓ મહાન છે.
મારી પાસે કોઈ ડિગ્રી નથી
અફઘાનિસ્તાનના શિક્ષામંત્રી મુનીરે જણાવ્યું હતું કે, હાલ સમયમાં કોઈ ડિગ્રીને પુછતું નથી. હું પણ પોતે પણ ડિગ્રી વગર અહીં સુધી પહોંચ્યો છું. તમે જોઈ શકો છો કે, મુલ્લાઓ અને સત્તામાં સામેલ તાલિબાની નેતાઓ પાસે પણ કોઈ ડિગ્રીઓ નથી. તેનાથી વધારે કોઈએ હાઈસ્કુલનો અભ્યાસ પણ પુર્ણ કર્યો નથી. તેમ છતાં આજે તેઓ તાકતવર છે. આજના સમયમાં ડિગ્રીથી વધારે તાકાત વાધરે મહત્વની છે
આતંકીઓ સંભાળશે ગૃહ મંત્રાલાય
તાલિબાનની આ સરકારમાં આંતકીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તાલિબાનને સિરાજુદ્દીન હક્કાનીને ગૃહમંત્રી બનાવવામાં આવ્યાં છે. આંતકી સંગઠન હક્કાની નેટવર્કના ચીફ સિરાજુદ્દીન અમેરિકાના આંતકીઓના લિસ્ટમાં મોસ્ટ વોન્ટેડ છે. અમેરિકા તેના પર લગભગ 37 કરોડ રુપિયાનું ઈનામ જાહેર કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, સિરાજુદ્દીન હક્કાનીનું નેટવર્ક પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યું છે. દુનિયાભરમાં ઘણાં આંતકવાદી ઘટનાઓ પાછળ તેનો હાથ છે તે સામે આવ્યું છે.