વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ની ફાઈનલ મેચ પહેલા ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન કોણ રહ્યું છે? જીતની ટકાવારી અનુસાર ટોપ 5 ટેસ્ટ કેપ્ટન કોણ છે ચાલો જોઈએ
7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTCની ફાઈનલ મેચ
ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન કોણ રહ્યું છે?
જીતની ટકાવારી અનુસાર ટોપ 5 ટેસ્ટ કેપ્ટન કોણ છે, જોઈએ
હાલ જ IPL પૂરો થયો જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ટીમ CSK એ પંચમી વખત ટ્રોફી જીતી હતી. હવે 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ WTCની ફાઈનલ મેચ શરૂ થશે. એવામાં આ મેચ પહેલા જો આપણે ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન કોણ રહ્યું છે એ વિશેની વાત કરીએ તો વિરાટ કોહલીનું નામ એમએસ ધોની, સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજોથી પણ ઉપર આવે છે. ચાલો જોઈએ કે જીતની ટકાવારી અનુસાર ટોપ 5 ટેસ્ટ કેપ્ટન કોણ છે:-
5- સુનીલ ગાવસ્કરે કેપ્ટન તરીકે ભારત માટે 47 ટેસ્ટ રમી હતી, જેમાં તે 9 જીત્યો હતો અને 8 હારી ગયો હતો, બાકીની 30 ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ હતી, તેની જીતની ટકાવારી 19.15 હતી.
4- મોહમ્મદ અઝહરુદ્દીને પણ કેપ્ટન તરીકે 47 ટેસ્ટ રમી હતી, જેમાંથી તેણે 14માં જીત મેળવી હતી અને 14માં હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે 19 મેચ ડ્રો રહી હતી. તેની જીતની ટકાવારી 29.79 હતી.
2- એમએસ ધોની ભારતના બીજા સૌથી સફળ કેપ્ટન હતા અને તેમની જીતની ટકાવારી 45 હતી. તેમની કપ્તાની હેઠળ, ભારતે 60 માંથી 27 મેચ જીતી અને 18 હારી જ્યારે 15 મેચ ડ્રો રહી.
1- વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન રહ્યો છે, તેણે 57માંથી 33 મેચ જીતી છે અને માત્ર 14માં હારનો સામનો કરવો પડ્યો છે. 10 ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. તેની જીતની ટકાવારી 57.89 છે.