દેશમાં એક તરફ જ્યા પ્રવાસી શ્રમિકો પોતાના ગૃહ રાજ્ય પાછા જવા માટે ઝઝુમી રહેલા જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં શ્રમિકો ટ્રાન્સપોર્ટનું કોઇ સાધન ન મળવાને કારણે સેંકડો-હજારો કિલોમીટર ચાલતા જોવા મળી રહ્યા છે. એવામાં મધ્ય પ્રદેશના દારુના એક વેપારીએ ચાર લોકોને ભોપાલથી દિલ્હી લાવવા માટે બુધવારે 180 સીટર વિમાન (એરબસ A320) હાયર કર્યું.
પ્રવાસી શ્રમિકો પોતાના ગૃહ રાજ્ય પાછા જવા માટે ઝઝુમી રહ્યા છે
વેપારીએ ચાર લોકોને ભોપાલથી દિલ્હી લાવવા માટે બુધવારે એરબસ A320 હાયર કર્યું
આ ચાર લોકોમાં વેપારીની પુત્રી, તેના બે બાળકો અને બાળકોની દેખભાળ રાખનારી મહિલા સામેલ હતા. દારુના વેપારી જગદીશ અરોડા મધ્ય પ્રદેશ સ્થિત સોમ ડિસ્ટિલરીઝના માલિક છે. જ્યારે તેમનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો તો તેઓએ પહેલા તો આવા કોઇ એરબસને હાયર કરવાથી ઇનકાર કર્યો હતો. બાદમાં લાઇન કાપતા પહેલા તેઓ કહ્યું કે 'આપ વ્યક્તિગત વસ્તુઓમાં કે દખલ કરી રહ્યા છો?' વિમાનને દિલ્હીથી હાયર કરવામાં આવ્યું હતું.
વિમાને સવારે 9:30 વાગ્યે દિલ્હીથી ટેક ઓફ કર્યું હતું અને લગભગ 10:30 વાગ્યે ભોપાલ પહોંચ્યું. ત્યારબાદ ભોપાલથી ચાર મુસાફરોની સાથે લગભગ 11:30 વાગ્યે વિમાને દિલ્હી વાપસી માટે ટેક ઓફ કર્યું.
ઉડ્ડયન વિભાગના સૂત્રો મુજબ 6 અને 8 બેઠક ધરાવતુ ચાર્ટર્ડ વિમાન જેવા ઘણા અન્ય વિકલ્પ ઉપલબ્ધ હતા પરંતુ દારુ વેપારીએ એરબસની પસંદગી કરી. સૂત્રે કહ્યું કે,' જેમની પાસે પૈસા છે, તે અન્ય મુસાફરોની સાથે યાત્રા નથી કરવા માંગતા કેમકે તેમા જોખમ છે. જોકે, 6 અથવા 8 બેઠક ધરાવતા ચાર્ટર્ડ વિમાનથી હેતુ પૂર્ણ થઇ શકતો હતો.' A320 એરબસને ભાડા પર લેવું એવિએશન ટર્બાઇન ઇંધણના ખર્ચ પર નિર્ભર કરે છે.
સૂત્રો મુજબ, આ ખર્ચ 5થી 6 લાખ રૂપિયા પ્રતિ કલાક વચ્ચે આવી શકે છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે હાલના મહીનાઓમાં ટર્બાઇન ઇંધણની કિંમતમાં ઘટાડો આવ્યો છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક ઇનસાઇડર મુજબ, દારુ વેપારીની તરફથી ભોપાલથી આવેલા ચાર લોકોને દિલ્હી લાવવા માટે 25થી 30 લાખ રૂપિયાની વચ્ચે ખર્ચ કરાયાની સંભાવના છે.