ગુજરાતમાં ભલે સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો બનાવાયો. પરંતુ રાજ્યમાં દારૂબંધીની દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે. કચ્છ, સુરત, ભરૂચ અને પાટણમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. જેને લઇને કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં છે.
ભરતસિંહ સોલંકીના ભાજપ પર વાર
"ભાજપના મળતીયાઓ દારૂ વેચે છે"
"દારૂબંધીનો અમલ નથી થવા દેતા"
કોંગ્રેસ દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી આજરોજ ખેડાની મુલાકાતે પહોંચ્યાં હતા. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ દારૂબંધીની અમલવાહીમાં સરકારની નિષ્ફળતાને લઇને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે.
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ભાજપના મળતીયાઓ જ દારૂ વેચે છે. ભાજપના જ નેતા દારૂબંધીનો અમલ થવા દેતા નથી. ભરતસિંહે કહ્યું કે સરકાર દારૂબંધીની અમલવારીમાં સરકાર નિષ્ફળ નીવડી છે.
દારૂ પ્રતિબંધિત રાજ્યમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરીની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. ત્યારે પ્રજાના મનમાં વારંવાર સવાલ ઉઠે છે કે દારૂબંધી હોવા છતાં દારૂ આવે છે ક્યાંથી? શું પોલીસની રહેમ નજર હેઠળ રાજ્યમાં દારૂ ઘુસાડાય છે? શું ચેકપોસ્ટ પરથી દારૂની સરળતાથી હેરફેર થઈ રહી છે?, વારંવાર દારૂની મહેફિલના વીડિયો કેમ આવે છે સામે?, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે?, દારૂબંધીના નામે રાજ્યમાં હપ્તારાજ ચાલે છે?, શું પોલીસની રહેમનજર વિના રાજ્યમાં દારૂ ઘુસી શકે ખરો?