ઇલેક્ટ્રોથર્મ કંપનીના ડિરેક્ટર શૈલેષ ભંડારીના ઘરે રેડ પાડતા દારૂ અને જૂની ચલણી નોટો મળી આવી
ઇલેક્ટ્રોથર્મ કંપનીના કૌભાંડનો મામલો
શૈલેષ ભંડેરીના ઘરે CBIની રેડ
ઇમ્પોર્ટેડ દારૂ સહિત ચલણી નોટો મળી આવી
અમદાવાદ સ્થિત ઈલેક્ટ્રોથર્મ કંપનીના ડિરેક્ટર શૈલેષ ભંડેરીના નિવાસસ્થાને રેડ મામલે ચોંકાવનારી વસ્તુઓ મળી આવી છે. સીબીઆઇએ રેડ કરતા તેના નિવાસ સ્થાનેથી ઇમ્પોર્ટેડ દારૂ મળી આવ્યો છે. તેમજ 500-100ના દરની રદ થયેલી ચલણી નોટો મળી આવી છે. શૈલેષ ભંડેરી સહિત 2 શખ્સો સામે ફરિયાદ નોઁધી તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનુ છે કે ઇલેક્ટ્રોથર્મ કંપનીના ડાયરેક્ટરો અને એમડીએ બેંક ઓફ ઇન્ડિયા સાથે 632 કરોડની ઠગાઇ આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી. બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર અજય ઠાકુરે પાંચ દિવસ અગાઉ સીબીઆઇમાં ફરિયાદ નોઁધાવી હતી જેને પગલે સીબીઆઇએ ગુનો દાખલ કર્યાના પાંચમા દિવસે ઇલેક્ટ્રોથર્મ કંપની તેમજ તેના ડાયરેક્ટરો અને એમડીના ઘર સહિત જુદા જુદા સ્થળે મંગળવાર સાંજે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી.
ઇલેક્ટ્રોથર્મ કંપની સામે શું છે ફરિયાદ
બેંક ઓફ ઇન્ડિયાએ ઇલેક્ટ્રોથર્મ કંપનીને વર્ષ 2011માં રૂ.703 કરોડની કેશ ક્રેડિટ ફેસિલીટી આપી હતી
કંપની આર્થિક રીતે ખોટમાં જતા બેંકના પૈસા ભરી ન શકી જેથી વર્ષ 2012માં કંપનીના અકાઉન્ટને એનપીએ કરવામાં આવ્યુ.
31-12-2012 રોજ કંપનીના એકાઉન્ટનું ફોરેન્સિક ઓડિટ કરાતા કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન ડીલરના એકાઉન્ટમાં થયા હતા.
માલ મોકલ્યા વગર ખોટા બિલ સામેલ કરવામાં આવ્યા હતા
2014 સુધી ઇલેક્ટ્રોથર્મ કંપની પાસેથી બેંક ઓફ ઇન્ડિયાના બાકી લેણાં રૂ.631.93 કરોડ
NCLTના સ્થાપક મુકેશ ભંડેરીને અંધારામાં રાખી કંપનીના એમ.ડી રહેલા શૈલેષ ભંડારી સાથે નાગેશ ભંડારી, વિવેક ભંડારી, અશોક ભંડારી સહિત 16 લોકો કૌભાંડ આચર્યું હોવાની વાત સામે આવી હતી. કૌભાંડ બાદ ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં કેસ પહોંચ્યો હતો. કંપનીના ફાઉન્ડર અને ચેરમેન મુકેશ ભંડારી અને કંપનીના પૂર્વ ડાયરેક્ટ સિદ્ધાર્થ ભંડારીએ રિટ દાખલ કરી હતી. સમગ્ર ઘટનામાં 480 કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનું સામે આવ્યું હતું. જે અંતર્ગત કોર્ટ દ્વારા CID ક્રાઈમને 90 દિવસનો સમયગાળો આપી તપાસ કરવા માટે 2019ના વર્ષમાં આદેશ કર્યો હતો.ચીફ મેટ્રો કોર્ટના આદેશ છતાં 90 દિવસમાં તપાસનો અહેવાલ રજૂ થઈ શક્યો નહોતો. જે બાદ ફરિયાદીઓ દ્વારા હાઈકોર્ટમાં કેસ રજૂ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા બે અરજદારોની બે રિટ પર CID ક્રાઈમ અને ગુજરાત સરકારને કારણદર્શક નોટિસ જાહેર કરાઈ હતી.