ગ્વાલિયરમાં લખીમપુર ખીરીની ઘટનાના વિરોધમાં પ્રદર્શન યોજાયું હતું. જેમાં કોંગ્રેસના નેતાની જીભ લપસતાં વિડીયો વાયરલ થયો હતો. બાદમાં આ વિડીયો સોશિયલ મીડિયા પરથી હટાવી લેવાયો હતો
કોંગ્રેસના કાર્યકરોએ આજે ગ્વાલિયરમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પૂતળું બાળ્યું.લખીમપુર ખીરીની ઘટના અને પ્રિયંકા ગાંધીની અટકાયતને કારણે કોંગ્રેસના કાર્યકરોએ પુતળા દહન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આ સમય દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય સતીશ સિકરવારની જીભ લપસી ગઈ અને સૂત્રોચ્ચાર કરતી વખતે તેમણે પ્રિયંકા ગાંધી મુર્દાબાદ બોલી ગયાં હતાં. જો કે, કેને તરત જ પોતાની ભૂલનો અહેસાલ થયો અને ભૂલ સુધારી લીધી હતી.હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બાદમાં આ વિડીયોને સોશિયલ મીડિયામાંથી હટાવી લેવામાં આવ્યો હતો
આપને જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધી લખીમપુર ખીરીમાં હંગામો અને ખેડૂતોના મોતના કેસમાં પીડિત પરિવારોને મળવા જઈ રહી હતી, પરંતુ લખીમપુર ખીરીમાં કલમ 144 લાદવાના કારણે પોલીસે તેને રસ્તામાં નજર કેદમાં રાખી હતી. લખનઉખી લખીમપુર ખીરી આ અંગે કોંગ્રેસના કાર્યકરોમાં રોષ છે. મંગળવારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગ્વાલિયરના ફુલબાગ ચોક પર પોલીસ દળની હાજરીમાં વિરોધ કર્યો હતો.
સૂત્રોચ્ચાર કર્યા બાદ ભૂલનો અહેસાસ થતાં પોતાની ભૂલ સૂધારી હતી
આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ યુપીના સીએમ યોગી આદિત્યનાથનું પૂતળું સળગાવ્યું અને તેમની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો. દરમિયાન ગ્વાલિયર પૂર્વના કોંગ્રેસના ધારાસભ્ય, સતિષ સિકરવારે, જે વિરોધનું નેતૃત્વ કરી રહ્યા હતા, એક ભૂલ કરી. હકીકતમાં, સૂત્રોચ્ચાર કરતી વખતે, તેમણે પ્રિયંકા ગાંધીને મુર્દાબાદ કહ્યું. જોકે તેને તરત જ પોતાની ભૂલનો અહેસાસ થયો અને તરત જ ઝિંદાબાદ કહ્યું, પરંતુ ત્યાં સુધીમાં આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ.
સતીશ સિકરવાર તાજેતરમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતાં.
આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા જોવા મળી હતી. જો કે, બાદમાં વિડીયોને સોશિયલ મિડીયામાંથી હટાવી દેવામાં આવ્યો હતો.મહત્વનું છે કે, સતીશ સિકરવાર ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, નેતાની જીભ લપસવાની આ પહેલી ઘટના નથી. તાજેતરમાં જ શિવરાજ સરકારમાં મંત્રી વિજય શાહે પણ કંઈક આવું જ કહ્યું હતું, જેનો વીડિયો પણ ઘણો વાયરલ થવા પામ્યો હતો હકીકતમાં, ખંડવા લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં પક્ષને જીત અપાવવા માટે વિજય શાહ મતદાન મથકના કાર્યકરોને વિજય મંત્ર આપવા ગયા હતા. આ દરમિયાન, મીડિયા સાથે વાતચીત દરમિયાન, તેમણે કહ્યું હતું કે બીજેપીએ માંધાતા વિધાનસભામાં એક પણ મતદાન મથક પરથી જીત ન મેળવવી જોઈએ.