રાજ્યમાં સિંહોની સંખ્યામાં વધારો નોંધાયો છે. અમરેલી જિલ્લામાં એક અંદાજ મુજબ હાલ 600 જેટલાં સિંહો નોંધાયાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વનવિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક ગણતરીમાં સિંહોની સંખ્યામાં વધારો જોવાં મળ્યો.
અમરેલીઃ રાજ્યમાં સિંહોની સંખ્યામાં વધારો નોંધાયો છે. અમરેલી જિલ્લામાં એક અંદાજ મુજબ હાલ 600 જેટલાં સિંહો નોંધાયાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વનવિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક ગણતરીમાં સિંહોની સંખ્યામાં વધારો જોવાં મળ્યો છે. ગીર કાંઠાનાં ગામ તથા બૃહદ ગીરમાં 60થી વધુ બાળ સિંહ નોંધાયાં હતાં. અમરેલીનું જંગલ સિંહબાળોથી ગુંજી ઉઠ્યું છે.
મહત્વનું છે કે, કેનાઈન ડિસટેમ્બર નામક વાયરસનાં કારણે 24 સિંહોનાં મોત થયાં હતાં. દલખાણીયામાં એક સાથે 24 સિંહોનાં મોત થતાં સિંહોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે પૂનમનાં દિવસે વનવિભાગ દ્વારા સિંહોની ગણતરી કરવામાં આવી હતી. 2015ની સિંહ ગણતરીમાં 511 જેટલાં સિંહ નોંધાયાં. ત્યારે હવે ગણતરી કરતાં 600 જેટલાં સિંહો નોંધાયાં છે.
કહેવાય છે કે સિંહ એટલે ગુજરાતનાં ગૌરવ સમા. પૂનમની રાત્રે થયેલી પ્રાથમિક ગણતરીમાં સિંહોની સંખ્યા 600 જેટલી નોંધાઇ છે. ગીરકાંઠાનાં ગામો અને બૃહદ ગીરમાં સિંહબાળની સંખ્યા 60થી વધુ હોવાનું નોંધાયું છે. જેથી ગીરનું જંગલ સિંહબાળોથી ગુંજી ઉઠ્યું છે. આખરે ગુજરાત વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણની કામગીરી રંગ લાવી છે. જો કે સિંહોની સંખ્યામાં વધારો થયો તે અંગે સત્તાવાર રીતે હજુ સુધી કોઇ વન અધિકારી કહેવા તૈયાર નથી.
ઉલ્લેખનીય છે કે દલખાણીયા રેન્જમાં 24 સિંહોનાં રહસ્યમય રીતે મોત નિપજ્યાં હતાં. કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસથી મોત થતાં સિંહોની સંખ્યામાં ઘટાડાને લઇને જે-તે સમયે સિંહપ્રેમીઓમાં ઉગ્ર રોષ ભભૂક્યો હતો. પરંતુ હવે સિંહોની સંખ્યામાં વધારો થતાં આ એક ખુશીનાં પણ સમાચાર છે. 2015ની જો વાત કરીએ તો સિંહની ગણતરીમાં 511 સિંહો નોંધાયાં હતાં. તમને જણાવી દઇએ કે હાલમાં સિંહોનું રહેણાંક એટલે અમરેલી, બૃહદ ગીર, ધારી, ગીર પૂર્વ, જૂનાગઢ, સોમનાથ, ભાવનગર સહિતનાં વિસ્તારો.