ભાવનગરના સિહોરમાંથી 25 લોકો જેમાં 5 પુરુષો 8 મહિલા અને 12 બાળકોનો સમાવેશ થાય છે.
સિંહોના શિકાર કરતી ટોળકી પકડાઇ
સિંહ અને અન્ય પ્રાણીઓના હાડકાઓ મળી આવ્યા
જૂનાગઢ, ભાવનગર, શત્રુંજી વનવિભાગની કામગીરી
ગીરમાં બાળસિંહ અને અન્ય જાનવરના શિકાર કરતી ટોળકીને ગણતરીની કલાકમાં જ વનવિભાગ દ્વારા પકડી પાડવામાં આવી છે. પોલીસ દ્વારા જૂનાગઢ નજીક આવેલા વાડલા ફાટક પાસેથી ઇજાગ્રસ્ત વ્યક્તિ સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા લોકો સુરેન્દ્રનગરના થાન વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.
આરોપીઓ પાસેથી લોખંડના ફાસ્લા સહિત સિંહ અને અન્ય પ્રાણીઓના માસ અને હાડકાઓ મળી આવ્યા છે. સાથે અન્ય સાધન સામગ્રી પણ મળી આવેલી છે. આગળની તપાસ વનવિભાગ અને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
તો આ તરફ સવારે સુત્રાપાડા તાલુકાના પ્રાચી નજીકના ખાંભા ગામમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિને સિંહ દ્વારા ઈજા પહોંચાડવાના સમાચાર વન વિભાગને મળી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિની જાણ ન થતા વન વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન એક સિંહબાળનો પગ ફાસલામાં ફસાયેલ જોવા મળ્યો હતો. સાથે સિંહબાળને રેસ્ક્યૂ કરી બચાવવામાં આવ્યો છે. તેની માતા સાથે મિલન કરવી દેવામાં આવ્યું હતું. જે બાદ વન વિભાગને નાસી ગયેલા ઇજાગ્રસ્ત પર શંકા જતાં તપાસ હાથ ધરી હતી.
વનવિભાગની સઘન તપાસમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ તાલાળા ખાતે સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર લઈ રહ્યો હતો. અને કોઈને જાણ કર્યા વગર નાશી છૂટતા તેમને શોધ કરવા આગળની કામગીરી વન વિભાગે પોલીસને સોંપી હતી. પોલીસે જૂનાગઢ નજીક આવેલ વાડલા ફાટક પાસેથી ઇજાગ્રસ્ત વ્યક્તિ સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. ઈજાગ્રસ્તને જૂનાગઢ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો અને બાકીના ત્રણ વ્યક્તિને પૂછપરછ કરતા ઈજાગ્રસ્તનું નામ ખુલ્યું હતું.
તો ભાવનગરના સિહોરમાંથી 25 લોકો જેમાં 5 પુરુષો 8 મહિલા અને 12 બાળકોનો સમાવેશ થાય છે. આ ઈસમોને ભાવનગરની નારી ચોકડીમાંથી પકડી પાડવામાં આવ્યા. જેની પાસેથી લોખંડના ફાસ્લા સહિત સિંહ અને અન્ય પ્રાણીઓના માસ અને હાડકાઓ મળી આવ્યા છે.