પૅનકાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે બંને લિંક કરવુ જરૂરી છે નહીતર તમારુ કાર્ડ નિષ્ક્રિય થઇ જશે.
30 જૂન પહેલા પતાવી લો આ કામ
પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવી લો
જો લિંક નહી કરાવો તો ભરવો પડશે દંડ
નિષ્ક્રિય થઇ ગયેલુ કાર્ડ રિએક્ટિવેટ કરાવવા માટે તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.ઉલ્લેખનિય છે કે સરકાર પૅનને આધારકાર્ડ સાથે લિંક કરવા માટેની તારીખ ઘણીવાર વધારી ચૂકી છે. પહેલા 31 માર્ચ 2021 તારીખ આપી હતી પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે તારીખ વધારીને 30 જૂન કરી દેવામાં આવી હતી.
જો હજુ સુધી તમે પૅન કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યુ તો આ રીતે કરી લો અને દંડથી બચો.
જાણી લો આધાર અને પાન કાર્ડ લિન્ક કરવા માટેની રીત
સૌથી પહેલા ઇનકમ ટેક્સની વેબસાઇટ incometaxindiaefiling.gov.in પર જવાનું રહેશે.
અહીં ડાબી તરફ આધાર લિંક કરવાનો વિકલ્પ જોવા મળશે.
ત્યાર બાદ નવું પેજ ખુલશે, જેની સૌથી ઉપર લાલ કલરમાં લખ્યું છે Click here.
જો તમે અગાઉન પાનકાર્ડ અને આધાર લિંક કર્યું હશે તો તેનું સ્ટેટ્સ અહીં ક્લિક કરી વેરિફાઇ કરી શકો છો.
જો લિંક નહીં કર્યું હોયતો Click her ની નીચે આપવામાં આવેલ બોક્સમાં પાન, આધાર નંબર અને પોતાનું નામ અને આપવામાં આવેલ કેપ્ચર નાંખવાનું રહેશે.
ત્યાર બાદ Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે. આ સાથે જ લિંકિંગનું કામ પુર્ણ થઇ જશે.
આ સાતે 567678 અથવા 56161 પર SMS કરી આધારને પેન સાથેના લિંકના સ્ટેટસની જાણકારી મેળવી શકો છો.
ઉદાહરણ રૂપ સમજીએ તો UIDPAN (સ્પેસ) < 12 આંકડાનો આધાર નંબર> (સ્પેસ) <10 આંકડાનો પાન નંબર> ટાઇપ કરી SMS કરવાનો રહેશે.