જો તમારુ ખાતુ SBIમાં છે તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. જો આ કામ નહી કરો તો ખાતુ બંધ થઇ જશે.
SBIના ગ્રાહકો કરી લેજો આ કામ
30 સપ્ટેમ્બર પહેલા પાન આધાર સાથે કરો લિંક
જો નહી કરો તો ખાતુ ફ્રીઝ થઇ જશે
બેન્કે હાલમાં જ પોતાના ગ્રાહકોને પેન અને આધાર લિંક કરાવવાની અપીલ કરી છે. હાલમાં જ SBIએ કહ્યું કે, જો 30 સપ્ટેમ્બર 2021 સુધી પાન અને આધાર લિંક નહી કરાવો તો તમારી બેન્કીંગ સર્વિસ અટકી જશે.
શું કહ્યું બેન્કે?
ભારતીય સ્ટેટ બેન્કે કહ્યું કે જો આધાર અને પાનને એક સાથે લિંક નહી કરો તો તમારો પેન નંબર નિષ્ક્રિય થઇ જશે. આ કારણે બેન્કે ગ્રાહકોને કહ્યું છે કે જલ્દી થી જલ્દી પાન અને આધાર લિંક કરી લો. તેના માટે છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.
SBI બેન્ક અકાઉન્ટ થઇ જશે સસપેન્ડ
જો તમે 30 સપ્ટેમ્બર સુધી પોતાની KYC નહી કરાવો તો તમારી સાથે શું થશે ? તમારા અકાઉન્ટમાં રહેલા પૈસા ફ્રીઝ થઇ જશે અને તમને કોઇ પણ સરકારી યોજનાનો લાભ નહી મળી શકે.
કેવી રીતે આધાર લિંક કરાવશો
તમારી પાસે પાન અને આધાર લિંક કરાવવાની 2 રીત છે. પહેલા SMS અને બીજુ ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર જઇને કરાવી શકો છો.
જો તમે SMS દ્વારા પાન કાર્ડને લિંક કરવા માગો છો તો UIDPAN સ્પેસ 12 અંકનો આધાર નંબર સ્પેસ અને 10 આંકડાનો પાન નંબર લખીને 567678 અથવા 56161 પર SMS કરી દો.