આધાર કાર્ડ સંબંધિત નિયમોમાં અવારનવાર ફેરફાર થતાં રહે છે. હવે તો નિયમ ન ફોલો કરવામાં ન આવે તો દંડ પણ કરવામાં આવશે.
આધાર કાર્ડ સાથે જોડાયેલ વધુ એક નિયમમાં ફેરફાર થયો છે.
જો તમે પોતાના પાન કાર્ડને આધાર સાથે લિન્ક ન કર્યું હોય તો 31 માર્ચ 2022 પહેલા કરાવી લેજો કારણ કે 31 માર્ચ 2022 સુધીમાં PAN CARD ને ADHAR CARD સાથે લિન્ક કરાવવું અનિવાર્ય બની ગયું છે.
દંડ ભરવો પડશે
જો તમે આવું ન કર્યું હોય તો હવે તમારે દંડ ભરવો પડશે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 31 માર્ચ પછી લિન્ક ન કરાવેલા લોકોએ 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
આ નિયમ લાગુ
ઇન્કમ ટેક્સ નિયમ 1961 માં લાગુ કરવામાં આવ્યા હતા. જેની ધાર 234 H હેઠળ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. સરકારે 23 માર્ચ 2021 ના રોજ લોકસાભમાં બિલ પાસ કરાવ્યું હતું. જેની ડેટ અગાઉ 30 સપ્ટેમ્બર હતી.
ઘરે બેઠા કરો લિન્ક
1) જો તમે પોતાના પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક કરી લીધું હોય તો સ્ટેટ્સ ચેક કરી શકો છો.
2) સૌથી પહેલા તો ઇન્કમ ટેક્સ વિભાગની અધિકૃત વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in/home પર ક્લિક કરો
3) અહીં નીચે 'LINK AADHAR' ના વિકલ્પ પર ક્લિક કરો
4)પોતાનું સ્ટેટ્સ ચેક કરવા માટે Click here પર ક્લિક કરો
5) હવે અહીં આધાર કાર્ડ અને પાન કાર્ડની ડિટેલ્સ ભરો
6) જો અગાઉથી તમારું પાન કાર્ડ અને આધારકાર્ડ લિન્ક હોય તો તમને your PAN linked to adhar number લખ્યું હશે.
7) જો તમે પોતાનું આધાર કાર્ડ અને પણ કાર્ડ લિન્ક નહીં કર્યું હોય તો ઉપરના રસ્તે લિન્ક આધાર લખેલા પર ક્લિક કરવાથી તમારુ કામ થઈ જશે
SMSથી કેવી રીતે લિંક થશે પાન અને આધાર કાર્ડ?
જો તમારો પાન અને આધાર લિંક થયેલ નથી, તો પછી તમે રજિસ્ટર્ડ મોબાઈલના મેસેજ દ્વારા આ કરી શકો છો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી UIDPAN ટાઈપ કરો, પછી 12 અંકનો આધાર નંબર લખો, પછી 10 અંકનો પાન નંબર લખો અને તેને 567678 અથવા 56161 પર મોકલો. મેસેજ લખતી વખતે સ્પેસનો ઉપયોગ ન કરો.
અહીં જરૂરી છે કે તમારા પાન અને આધારના નામના અક્ષરો સાચા હોય. જો બંનેના અક્ષરોમાં તફાવત હશે તો લિંક થશે નહીં.જો પાનમાં સુધારો કરવો હોય તો તમે તેને NSDLની વેબસાઈટ જઈને સુધારી શકો છો. જો આધારની ઇન્ફોર્મેશનમાં કોઈ સુધારો કરવો હોય તો તમે UIDAIની વેબસાઈટ ઉપર જઈને તેને સુધારી શકો છો. આ પ્રક્રિયા ઓનલાઇન છે જે OTP વડે આસાનીથી સુધરી શકે છે. આમ પાન અને આધારની માહિતી મેચ થાય છે તેવું એક વખત ચેક કરી લો.
જો 31 માર્ચ 2021 સુધી પાન કાર્ડ લિંક ન કરવામાં આવે તો તે અમાન્ય થઇ જશે. આ સ્થિતિમાં તમને ઇન્કમ ટેક્સના રિટર્ન ભરવામાં પરેશાની આવશે. 50 હજારથી વધુના ટ્રાન્સેક્શન નહીં થાય કારણ કે તે માટે પાનની જરૂર પડે છે.