UANને આધાર સાથે લિંક કરવાની નવી ડેડલાઈન 1 સપ્ટેમ્બર 2021 છે.
પહેલી સપ્ટેમ્બર સુધી પતાવી લો આ કામ
15 દિવસમાં આ કામ કરવું જરૂરી
નહીં તો અટકી જશે PFના પૈસા
જો તમે નોકરીયાત છો તો આ ખબર તમારા માટે મહત્વપૂર્ણ છે. હકીકતે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)આ મહિનાથી પોતાના લગભગ 6 કરોડ સબ્સક્રાઈબર્સના ખાતામાં EPFનું વ્યાજ જમા કરી શકે છે. EPFનું વ્યાજ એજ ખાતામાં જેમાં થશે જેનો UAN નંબર આધાર સાથે લિંક હોય. UANને આધાર સાથે લિંક કરાવવાની નવી ડેડલાઈન 1 સપ્ટેમ્બર 2021 છે. જો તમે 15 દિવસમાં આ કામ નહીં કર્યું હોય તો તમારા પીએફ એકાઉન્ટમાં પૈસા અટકી શકે છે. માટે જો તમે આ કામ હજુ સુધી નથી કર્યું તો આજે જ તેને પુરુ કરી લો.
જણાવી દઈએ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગંઠન EPF0એ નોકરીયાતોએ સુચન કર્યું છે કે ECRની અનુમતિ ફક્ત એ EPFO સદસ્યો માટે છે જેમનું ખાતું આધાર સાથે લિંક છે. જો કોઈ ઈપીએફ ખાતું આધાર નંબર સાથે લિંક નથી તો તેવા ઈપીએફ ખાતામાં કર્મચારીનું યોગદાન જમા નહીં થાય.
સપ્ટેમ્બર સુધી કરો આ કામ
EPFOએ 15 જૂને આદાર અને UANને લિંક કરવાની ડેડલાઈન 3 મહિના માટે વધારી દીધી હતી. હવે તેની નવી ડેડલાઈન 1 સપ્ટેમ્બર 2021 છે. EPFOએ જણાવ્યું છે કે જ્યારે પણ વ્યાજ જમા કરવામાં આવશે તેની સંપૂર્ણ ચુકવાણી કરવામાં આવશે. ઈપીએફઓ ટૂંક સમયમાં જ 8.5 ટકા ઈપીએફ વ્યાજ જમા કરી શકે છે. રિટાયરમેન્ટ ફંડ રેગ્યુલેટરી બોડીએ નાણાકીય વર્ષ 2020-21 માટે EPF વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યા.