આવકવેરા વિભાગે પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવવું ફરજિયાત બનાવ્યું છે. જેથી જો તમે હજી સુધી તમારા પાનકાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તરત જ એલર્ટ થઈ જાઓ, કારણ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ પાન અને આધારને લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2020 નક્કી કરી છે.
આધાર સાથે પાન લિંક ન કર્યું તો પડશો મુશ્કેલીમાં
આ રીતે તમે ચેક કરી શકો છો તમારું સ્ટેટસ
કરદાતાઓને ભોગવવી પડશે આવી પરેશાનીઓ
અગાઉ, છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2019 હતી. જો તમે 31 માર્ચ સુધીમાં આ કામ ન કર્યું તો પાન કાર્ડ નકામું થઈ શકે છે. હજી પણ 17 કરોડથી વધુ પાનકાર્ડ ધારકોએ આ બંને ડોક્યૂમેન્ટ્સ લિંક કરાવ્યા નથી. જેથી તમામ પાનધારકોએ સ્ટેટસ ચેક કરી વહેલી તકે તેને આધાર લિંક કરી દેવું જોઈએ.
આવકવેરા વિભાગની વેબસાઇટ પરથી ચેક કરો સ્ટેટસ
સૌથી પહેલાં આવકવેરા વિભાગની ઓફિશિયલ વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જઓ. અહીં ડાબી તરફ લખેલાં ક્વિક લિંક વિકલ્પના લિંક પર આધાર પર ક્લિક કરો.
હવે નવું પેજ ખુલે તેની ઉપર તરફ હાઈપરલિંક હશે, જ્યાં પહેલાંથી આધાર લિંકની અરજી માટેની જાણકારી આપી હશે.
આ હાઈપર લિંક પર ક્લિક કરીને તમારે પાન અને આધારની ડિટેલ ભરવી પડશે.
ત્યારબાદ વ્યૂ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો. જેથી તમને ખબર પડી જશે કે તમારો આધાર અને પાન લિંક છે કે નહીં.
એસએમએસ દ્વારા
તમારા ફોનમાં કેપિટલ લેટરમાં IDPN ટાઈપ કરો. પછી સ્પેસ આપી આધાર નંબર અને પાન નંબર લખો.
આ મેસેજને 567678 અથવા 56161 પર મોકલી દો.
આ પછી આવકવેરા વિભાગ બંને દસ્તાવેજોને લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરશે.
ઓનલાઈન પણ કરી શકાય
આવકવેરા વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર ડાબી તરફ ક્વિક લિંક આધાર પર ક્લિક કરો.
જો તમારું એકાઉન્ટ બનેલું નથી તો પહેલાં રજિસ્ટ્રેશન કરાવો. અહીં તમારે પાન, આધાર નંબર અને નામ ભરવું પડશે. જેનું ઓટીપી મોબાઈલ નંબર પર આવશે.
ઓટીપી એન્ટર કર્યા બાદ તમારો આધાર અને પાન લિંક થઈ જશે.
કરદાતાઓને થઈ શકે છે પરેશાની
અગાઉ આવકવેરા વિભાગે કહ્યું હતું કે, આધાર વગરનું પાનકાર્ડ આવતા વર્ષથી રદ કરી શકાય છે. ઉપરાંત, આવા કરદાતાઓ આઇટીઆર પણ ફાઇલ કરી શકશે નહીં. આવકવેરા અધિનિયમની કલમ 139AA હેઠળ, આઇટીઆર ફાઇલ કરનારા દરેક નાગરિકને પાન અને આધારને લિંક કરવું જરૂરી છે. જો બંને દસ્તાવેજો જોડાયેલા નથી, તો કરદાતાઓના ટેક્સ રિફંડ પણ અટવાઈ શકે છે. સાથે જ આવકવેરા વિભાગ આવા પાનકાર્ડ રદ કરી શકે છે.