દિલ્હી: લિંગાયત સમુદાયના ખુબ જ જાણીતા ધર્મગુરૂ અને સિદ્ધગંગા મઠના મહંત શિવકુમાર સ્વામીનું 111 વર્ષની ઉંમરે નિધન થતાં અનુયાયીઓમાં શોકનું મોજૂ ફરી વળ્યું હતું.
Karnataka CM HD Kumaraswamy: Siddaganga Math seer Sri Shivakumara Swamiji passed away at 11.44 am today. The cremation will be done on 22nd January at 4.30 pm. pic.twitter.com/xG9O70vSbE
બીમારીને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમના દેહાવસાનની જાહેરાત કર્ણાટકના મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીએ કરતા કહ્યું કે શિવકુમાર સ્વામીનું આજરોજ 11.44 કલાકે દેહાવસાન થયેલ છે. જેમના અંતિમ સંસ્કાર મંગળવારે સાંજે સાડા ચાર કલાકે કરવામાં આવશે.
ನಡೆದಾಡುವ ದೇವರು ಶ್ರೀ ಶಿವಕುಮಾರ ಶ್ರೀಗಳು ದೈವಾಧೀನರಾಗಿದ್ದು ಅಪಾರ ನೋವು ತರಿಸಿದೆ. ಇವರ ಅಗಲಿಕೆಯಿಂದ ದೇಶವೇ ಬಡವಾಗಿದೆ. ಯಾವುದೇ ಸಂದರ್ಭದಲ್ಲೂ ಸಲಹೆ ಸೂಚನೆ ನೀಡುತ್ತಿದ್ದ ಇವರು ದೂರವಾಗಿದ್ದು ವೈಯಕ್ತಿಕವಾಗಿ ತುಂಬಾ ನಷ್ಟವನ್ನುಂಟು ಮಾಡಿದೆ. ಶ್ರೀಗಳ ಅಗಲಿಕೆಯ ನೋವು ಭರಿಸುವ ಶಕ್ತಿಯನ್ನು ಅವರ ಲಕ್ಷಾಂತರ ಭಕ್ತರಿಗೆ ದೇವರು ಕರುಣಿಸಲಿ. pic.twitter.com/cYzjT6H3hh
કુમાર સ્વામીએ કહ્યું કે મહંત શિવકુમાર જીવતા ભગવાન હતા. તેમણે દેશ માટે જે કર્યું છે તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમના જવાથી દેશને મોટી ખોટ પડશે.
HH Dr. Sree Sree Sree Sivakumara Swamigalu remained at the forefront of ensuring better healthcare and education facilities for the marginalised.
He represents the best of our traditions of compassionate service spirituality and protecting the rights of the underprivileged. pic.twitter.com/Tp6o5ULU2d
તેમના અવસાનને પગલે કર્ણાટકમાં 3 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. અત્રે જણાવી દઇએ કે શિવકુમારનું કર્ણાટકની રાજનીતિમાં સારો પ્રભાવ રહ્યો છે.
પિત્તાશય અને યકૃતની થઇ હતી બાયપાસ સર્જરી
આપને જણાવી દઇએ કે ગત માસના રોજ ચેન્નાઇની એક જાણીતી હોસ્પિટલમાં સ્વામીના પિત્તાશય અને યકૃતની બાયપાસ સર્જીરી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને બેંગલુરૂ લાવવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને તુમકુરના સિદ્ધગંગા મઠના એક દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભારત રત્ન આપવા માટે થઇ હતી માગ
કર્ણાટકના રાજકારણના પીઢનેતા બીએસ યેદિયુરપ્પા અને જગદીશ શેટ્ટાર બાદ કર્ણાટકના વર્તમાન મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીએ પણ સિદ્ધગંગા મઠના પ્રમુખ ડો.શિવકુમાર સ્વામીને ભારત રત્ન આપવાની માંગણી કરી હતી. કુમારસ્વામીએ તાજેતરમાં જ 111 વર્ષીય આ સંતને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગણી કરી હતી.