લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા વાર્ષિક કામગીરીનો અહેવાલના આંકડા જાહેર કર્યા છે. જેમાં સૌથી વધુ વર્ગ-3 ના કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. વર્ષ દરમ્યાન 252 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે.
ACBએ વાર્ષિક કામગીરીનો અહેવાલ જાહેર કર્યા આંકડા
94 વચોટીય પણ ACBની ઝપટમાં આવ્યા
કુલ 252 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો(ACB) દ્વારા કરવામાં આવેલ વાર્ષિક કામગીરીના અહેવાલના આંકડા જાહેર કર્યા છે. ત્યારે લાંચ તેવા સૌથી વધુ વર્ગ-3 ના કર્મચારીઓ ઝડપાયા છે. જ્યારે વર્ગ-1 ના 9 અધિકારીઓ એસીબીની ટ્રેપમાં ઝડપાયા છે. વર્ગ-2 ના 30 કર્મચારીઓ જ્યારે વર્ગ-3 ના 114 કર્મચારીઓ એસીબીના હાથે ઝડપાયા છે. જ્યારે વર્ગ 4 ના 5 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. ત્યારે 94 જેટલા વચેટીયાઓ પણ એસીબીની ઝપેટમાં આવ્યા હતા. કુલ 252 જેટલા કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા.
મુંબઈમાંથી અલગ થયા બાદ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. જે બાદ તા.30/09/1963 ના રોજ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરત રાજ્ય અમદાવાદની શરૂઆત કરવામાં આવી હતી.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનાં વડા તરીકે કોની નિમણૂંક કરવામાં આવે છે
લાંચ રુશવત વિરોધી બ્યુરોમાં નિયામક તરીકે મુખ્ય પોલીસ અધિકારીકક્ષાના અધિકારીની નિમણૂક આપવામાં આવી હતી. તેઓને ગૃહ વિભાગના વહીવટી અંકુશ અનેસીધા જ માર્ગદર્શન નીચે ખાતાના વડાનો દરજ્જો આપવામાં આવ્યો છે. નિયામકને મુખ્યપોલીસ અધિકારી અને નિયામક તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો છે. નિયામક તરીકેપોલીસ મહાનિદેશક દરજ્જાના અધિકારીને નિમણૂક આપવામાં આવે છે. હાલમાં નિયામક તરીકે વિશેષ નિયામક (અધિક પોલીસ મહાનિદેશક) દરજજાના અઘિકારીને મુકવામાં આવેલ છે. એકઅધિક નિયામક (પોલીસ મહાનિરીક્ષક) અને એક સંયુકત નિયામક (નાયબ પોલીસમહાનિરીક્ષક) દરજ્જાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
લાંચ-રૂશ્વત ખોરીને નાબૂદ કરવા માટે સરકાદ દ્વારા આ વિભાગ શરૂ કરાયો
લાંચ રુશવત વિરોધી બ્યુરોની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓ પાસે કોઈ વ્યક્તિ કામ લઈને જાય તો તે કામ કરવા માટે પૈસાની માંગણી કરવામાં આવે છે. જેના લાંચ રૂશ્વત કહેવામાં આવે છે. ત્યારે આ લાંચ ખોરીને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા આ વિભાગની શરૂઆત કરવામાં આવી.
લાંચીયા રાજ્ય સેવકો પર છટકાઓ ગોઠવી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું કામ કરે છે આ વિભાગ
આપણું રાજ્યનું તમામ સરકારી કામ ભ્રષ્ટાચાર મુક્ત બને અને નાગરિકોને સરકારી કર્મચારી તરફથી મળતી સેવાઓ કોઈ પણ લેતીદેતી વિના મળી રહે તેવો પ્રયાસ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેમજ કોઈ વ્યક્તિ દ્વારા નાગરિક પાસે લેતીદેતીની માંગણી કરવામાં આવે છે તે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા તેવા રાજ્ય સેવક ઉપર લાંચના છટકાઓ ગોઠવી શક્ય તેટલો ભ્રષ્ટાચાર નાબૂદ કરવા કાર્યરત રહે છે. તેમજ એસીબી આવા ભ્રષ્ટ રાજ્ય સેવકો સામે ગુનો નોંધી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 હેઠળ તપાસ ચલાવે છે. તેમજ આવા રાજ્ય સેવકો પોતાની દેખીતી આવકનાં સાધનોના પ્રમાણમાં અપ્રમાણસર મિલકતો ધરાવતા હોય તેમની વિરુદ્ધની ગુપ્ત માહિતી મેળવીને કાયદેસરનો ગુનો નોંધવાની કાર્યવાહી પણ બ્યુરો કરે છે. સરકાર, વિજિલન્સ કમિશન તથા જાહેર જનતાના સભ્યો તરફથી ભ્રષ્ટ રાજ્ય સેવકો વિરુદ્ધની ભ્રષ્ટાચારના આક્ષેપની અરજીઓની તપાસ પણ બ્યુરો દ્વારા કરવામાં આવે છે.