હસ્તરેખા જ્યોતિષમાં લોકોની હાથની રેખા જોઇને એમના ભવિષ્ય માટે ઘણી વાતો જાણી શકાય છે. એક જ્યોતિષના જણાવ્યા અનુસાર એવા જ લોકોના હાથમાં રહેલી સૂર્ય રેખા જોઇને એમના જીવનમાં પૈસાની સ્થિતિ જાણી શકાય છે. જો કોઇ વ્યક્તિના હાથમાં આ રેખા સ્પષ્ટ અને ક્યાંયથી પણ તૂટેલી હોતી નથી તો એને જીવનભર ખૂબ જ પૈસા-પ્રોપર્ટી મળે છે. કેટલીક વખત આ લોકોના હાથમાં અલગ અલગ પરિસ્થિતિઓમાં હોય છે એનાથી ઘણી વખત લોકોને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. સૂર્ય રેખા રિંગ ફિંગરની નીચે વાળા ભાગમાં હોય છે. હથેળીનો આ બાહ સૂર્ય પર્વત કહેવાય છે. અહીંયા ઊભેલી રેખા હોય તો એ સૂર્ય રેખા કહેવાય છે.
હથેળીમાં સૂર્ય રેખા હોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિના હાથમાં આ રેખા દોષ રહિત હોય છે એ જીવનમાં ખૂબ પૈસા કમાય છે.
જો કોઇ વ્યક્તિના હાથમાં આ રેખા ના હોય તો એમને સમાજમાં માન-સમ્માન મોટી મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે.
આ રેખાની લંબાઇ વધારે હોય છે તો આખું જીવન સુખ સમૃદ્ધ અને પૈસાની કમી થતી નથી.
આ રેખા પર સ્વસ્તિકનું નિશાન હોય છે તો સમ્માન અને પૈસાની સાથે સંપત્તિ પણ મળે છે.
આ રેખા લાંબી અને સ્પષ્ટ હોય છે પરંતુ એની પર ઇંડા આકારનું ચિહ્ન હોય તો એનું શુભફળ મળતું નથી.
આ રેખાને બીજી રેખા કાપે છે તો સમ્માન અને પૈસાની કમી આવે છે.