સુરતને 12500 જેટલા રેમડેસિવિર ઈન્જેક્શનનો સ્ટોક આપવામાં આવતા કિરણ હોસ્પિટલની બહાર દર્દીઓના પરિવારની લાઈન લાગી હતી
કિરણ હોસ્પિટલ ખાતે લાગી લાંબી લાઇન
ઇન્જેક્શન માટે દર્દીના સગાઓની લાગી લાઇન
હોબાળો ન થાય તે ધ્યાને લઇ ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
સુરતની કિરણ હોસ્પિટલ ખાતે રેમડેસિવિરની અછત વચ્ચે દર્દીના સગાઓની લાંબી લાઈન લાગી હતી. રેમડેસિવિર ઇન્જેક્શન માટે દર્દીના સગાઓની લાઇન લાગી રહી છે. હોબાળો ન થાય તે ધ્યાને લઇ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે. કિરણ હોસ્પિટલ ખાતે લાઈન એટલા માટે લાગી હતી. કારણ કે, 12500 જેટલા ઈન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે.
સાંજે 5 વાગ્યે ઈન્જેક્શનનું વેચાણ શરૂ કરવામાં આવે છે. જો કે, સુરતને ફળવાયેલા 12500 જેટલા ઈન્જેક્શનના સ્ટોકને લઈ રાહતના સમાચાર છે. પરંતુ ઈન્જેક્શનની માગમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. 12500 ઈન્જેક્શનનો જથ્થો ખાલી જતાં ફરી લાઈનો જોવા મળશે. તો બીજી તરફ ભાજપના કાર્યાલય પર પણ સવારે લાઈન જોવા મળી હતી. સી.આર પાટીલે પણ 5 હજાર ઈન્જેક્શનનું મફતમાં વિતરણ કરવામાં આવશે. તેવી જાહેરાત કરાઈ હતી.
તો બીજી તરફ રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ફરી રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ શરૂ કરાશે. આવતીકાલથી રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ થઈ રહ્યું છે. ઝાયડ્સ હોસ્પિટલ ખાતે જ દર્દીઓ માટે ઈન્જેક્શન પ્રાપ્ત થઈ જશે. મહત્વનું છે કે, સ્ટોકના અભાવે ઇન્જેક્શન વેચાણ અટકાવાયું હતું. પરંતુ રાજ્ય સરકાર સાથે ચર્ચા બાદ ઝાયડ્સ હોસ્પિટલે નવો નિર્ણય કર્યો છે. મંત્રી મનસુખ માંડવિયાએ પણ સવારે પંકજ પટેલ સાથે વાત કરી હતી.
મહત્વનું છે કે, રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછતના કારણે ગઈકાલે ઝાયડસ હોસ્પિટલે મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં આજથી ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન ન આપવાની જાહેરાત કરાઈ હતી. ઝાયડ્સ હોસ્પિટલ પાસે પણ ઇન્જેક્શનનો સ્ટોક ન હોવાના કારણે મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય કરાયો હતો. આ અંગે ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી. રેમડેસિવિર માટે ઝાયડ્સ હોસ્પિટલ બહાર રોજ લાંબી લાઈનો હોય છે.