સૌરાષ્ટ્રમાં દિવાળી સમાન લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર, આ વર્ષે પરિક્રમા તો થશે પણ માત્ર 400 લોકોને જ મંજૂરી.
લીલી પરીક્રમા માટે માત્ર 400 લોકોને મંજૂરી
ગિરનારની લીલી પરિક્રમાને લઈ કલેકટરનો નિર્ણય
કોરોના ગાઇડ લાઇન અનુસાર મર્યાદા નક્કી કરાઈ
સૌરાષ્ટ્રમાં દિવાળી સમાન લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે, દર વર્ષે કારતક સુદ અગિયારસથી કાર્તિક પૂર્ણિમા સુધી યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે ઓછા લોકો સાથે યોજાશે. સૌરાષ્ટ્રમાં આસ્થાનું કેન્દ્ર એવા જૂનાગાઢમાં કોરોના વાયરસનાં કારણે છેલ્લા બે વર્ષથી લીલી પરિક્રમાનું આયોજન કરી શકાયું ન હતું ત્યારે આ વર્ષે કલેકટરની બેઠકમાં લીલી પરિક્રમાને મંજૂરી આપવામાં આવી છે.
ગિરનારની લીલી પરિક્રમાને લઈ કલેકટરનો નિર્ણય
જો કે આ પરિક્રમાં દરમિયાન માત્ર 400 લોકો જ ભાગ લઈ શકશે જેમાં કોરોના ગાઈલ લાઈનનું પણ પાલન કરવાનું રહેશે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશો અનુસાર આ પરિક્રમામાં માત્ર સાધુ સંતો જ જોડાઈ શકશે. જૂનાગઢમાં જે લીલી પરિક્રમામાં દર વર્ષે હજારો લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેતા હતા ત્યાં આ વર્ષે માત્ર 400 લોકોને જ પરિક્રમા માટે પરવાનગી આપવામાં આવી છે. આ મુદ્દે વિશ્વ હિન્દુ સંગઠને નારાજગી વ્યક્ત કરી છે.
લીલી પરીક્રમા કરવા માટે માત્ર 400 લોકોને મંજૂરી
મહત્વનું છે કે ગત વર્ષે કોરોના મહામારીને કારણે લીલી પરિક્રમાને મંજૂરી આપવામાં આવી નહોતી ત્યારે આ વખતે કોરોના સંક્રમણ ઘટ્યું હોવાથી લીલી પરિક્રમાને મંજૂરી મળી છે પરંતુ માત્ર પતિકાત્મક રીતે આ લીલી પરિક્રમા મંજૂરી મળી છે, દર વર્ષે કારતક સુદ અગિયારસથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય છે. ગિરનારની તળેટીમાં 4 દિવસનો મેળો યોજાય છે તથા 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જંગલમાં પરિક્રમા કરે છે.