ગુલાબ વાવાઝોડાને કારણે દેશમાં ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે નુકશાન થયું હતું. ત્યારે વધુમાં અંદમાન સાગરમાં દબાણ વધી રહ્યું છે. જેથી બંને રાજ્યોમાં ફરી વાવાઝોડું આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
ફરી એક નવું વાવઝોડું સક્રિય થાય તેવી શક્યતા
અંદમાન સાગરમાં દબાણને કારણે ફરી નવું વાવાઝોડું આવી શકે છે
ખેડૂતોના પાકને તઈ શકે છે ભારે નુકશાન
Southwest monsoon has further withdrawn from some more parts of Gujarat, most parts of Rajasthan, entire Punjab, Haryana, Chandigarh & Delhi, Jammu & Kashmir, Ladakh, Himachal Pradesh, Uttarakhand and some parts of Uttar Pradesh & Madhya Pradesh today, the 08th October 2021.
— India Meteorological Department (@Indiametdept) October 8, 2021
સપ્ટેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ગુલાબ વાવાઝોડાની અસર જોવા મળી જેના કારણે આ રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો હતો. સાથે ઝારખંડ, બિહાર અને ઉત્તરપ્રદેશના પણ અમુક વિસ્તારોમાં ઓક્ટોબરના શરૂઆતમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે હવે અંદમાન સાગરમાં ફરી દબાણ વધી રહ્યું છે. જેના કારણે ફરી ચક્રવાત થાય તેવી આશંકા સેવાઈ રહી છે.
10 ઓક્ટોબરથી અંદમાન સાગરમાં બનશે લો પ્રેશર
ખેડૂતોનો પાક ઘણા વિસ્તારોમાં હાલ તૈયાર થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે જો વાવાઝોડું આવશે. તો પાકને ભારે નુકશાન તઈ શકે છે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ (IMD)ના પૂર્વાનુમાન પ્રમાણે 10 ઓક્ટોબરની આસપાસ અંદમાન સાગરમાં લો પ્રેશર બનવાની સંભવના છે. જે 4થી 5 દિવસમાં ઓડિશા અને ઉત્તરી આંધ્ર પ્રદેશ તરફ વધશે.
ઓડિશામાં સૌથી વધું વાવાઝોડા આવ્યા
આપને જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધીના સૌથી ભયાનક વાવાઝોડા ઓડિશામાં આવ્યા છે. 1999માં 29 ઓક્ટોબર રોજ સુપર સાયક્લોન પણ ઓડિશામાં આવ્યું હતું જેના કારણે 10 હજાર લોકોના મોત થયા હતા. તે સિવાય પણ ઓડિશામાં મોટા વાવાઝોડા આવ્યા છે. જેમા કારણે ત્યા જાનમાલને ઘણું નુકશાન થયું છે.
ચોમાસા પછી આવતા ઓડિશામાં વધારે વાવાઝોડાની શક્યતા
સામાન્ય રીતે ઓડિશામાં ચક્રવાતી તોફાનના બે સમયગળામાં આવે છે. જેમા ચોમાસા પહેલા અને ચોમાસા પછી પણ આવી શકે છે. ભુવનેશ્વર સ્થિત મૌસમ વિજ્ઞાન કેન્દ્રના વર્તમાન નિર્દેશક સરત સાહૂએ જણાવ્યું કે ચોમાસા પછીના સમયગાળામાં ઓડિશામાં સૌથી વધારે વાવાઝોડા આવતા હોય છે.
ખેડૂતોમાં ચીંતાના વાદળ
ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ ચોમાસું વિદાય લઈ રહ્યું છે. જોકે અદમાન સાગરમાં વધી રહેલા દબાણને લઈને ચોમાસું થોડુંક મોડા વિદાય લેશે તેવી શક્યતા વર્તાઈ રહી છે. જેના કારણે ખેડૂતોમાં હવે ચીંતાના વાદળો જોવા મળી રહ્યા છે.