ઓછી સંખ્યા ધરાવતી સરકારી પ્રાથમિક શાળાઓને બંધ કરવામાં આવશે. આ શાળાઓના વિદ્યાર્થીને નજીકની સરકારી શાળામાં ભેળવી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ એ સ્કુલોને લાગુ પડશે જેની સંખ્યા ના બરાબર છે.
વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા ધરાવતી સરકારી શાળાને મર્જ કરવામાં આવશે
સર્વે પૂર્ણ થયા બાદ સરકાર નિર્ણય લેશે
જો વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલ દુર પડતી હોય તો તે સ્કુલ ચાલુ રખાશે
કઈ સ્કુલોને લાગુ પડશે?
ધો.૧ થી પમાં શાળાઓમાં વર્ગદીઠ સંખ્યા જો ૩૦થી ઓછી હશે તો તેવી શાળાને અન્ય શાળામાં વિલીન કરવામાં આવશે. આવી જ રીતે ધો.૬ અને ૭માં જો વિદ્યાર્થીઓની સંખ્યા ૧૭ કરતાં ઓછી હોય તો તેવી શાળાઓને પણ અન્ય શાળામાં મર્જ કરવામાં આવશે. જેમાં અમદાવાદ શહેરમાં આવેલી આવી પર પ્રાથમિક શાળાઓને નજીકમાં આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં મર્જ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
સર્વે પૂર્ણ થયા બાદ સરકાર નિર્ણય લેશે
આ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક એમ. આઈ. જોશીએ જણાવ્યું હતું કે, 'અમારી પાસે જે વિગતો છે. તેનાં આધારે આ યાદી તૈયાર થઈ રહી છે, પરંતુ આ બાબતમાં એ ખ્યાલ રાખવામાં આવશે કે કોઈ સ્કૂલમાં માત્ર પાંચ બાળકો પણ અભ્યાસ કરતાં હશે અને અન્ય સ્કૂલમાં ભણવા જવામાં બાળકોને તકલીફ સર્જાતી હશે તો તેવી સ્કૂલોને ચાલું જ રાખવામાં આવશે. સર્વે પૂર્ણ થયાં બાદ સ્કૂલ મર્જ કરવી કે નહીં તે અંગે સરકાર નિર્ણય કરશે.