આદિવાસી મંત્રાલયના બીલ પર રાજ્યસભામાં ચર્ચા કરતી વખતે ભાજપના મહિલા સાંસદે પીએમ મોદીને કૃષ્ણ સાથે સરખાવ્યાં.
ભાજપના રાજ્યસભાના મહિલા સાંસદનું નિવેદન
પ્રધાનમંત્રી મોદી કૃષ્ણ જેવા
પીએમ મોદી ધરાવે છે 16 કળાઓ
ભાજપના રાજ્યસભાના એક મહિલા સાંસદને તો પીએમ મોદીનું કામ એટલું પસંદ પડ્યું કે તેમણે પીએમ મોદીને કૃષ્ણ ભગવાન સાથે સરખાવી દીધા એટલું જ નહીં પરંતુ તેઓ એવું પણ બોલ્યાં કે પીએમ મોદી તો સાક્ષાત કૃષ્ણ ભગવાન છે અને તેમનામાં કૃષ્ણ જેવી 16 કળાઓ છે. બુધવારે રાજ્યસભામાં આદિજાતિ બાબતોના મંત્રાલય સાથે સંબંધિત બિલ પર ચર્ચા કરતી વખતે ભારતીય જનતા પાર્ટીની એક મહિલા સભ્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ભગવાન કૃષ્ણ સાથે કરતા કહ્યું કે તેમની પાસે પણ 16. કળા છે.
આજે તમામ દેશો પીએમ મોદીની પ્રશંસા કરે છે-ભાજપ સાંસદ
તેમણે કહ્યું કે અમેરિકા હોય, રશિયા હોય કે પડોશી દુશ્મન દેશ પાકિસ્તાન હોય, તેઓ પણ આજે સ્વતંત્ર ઇચ્છાથી વડાપ્રધાન મોદીની પ્રશંસા કરે છે. માનનીય વડાપ્રધાન આજના યુગના ભગવાન શ્રીકૃષ્ણ છે. સોળ કલાઓ ભગવાન કૃષ્ણમાં હતી, તે કલાઓ માનનીય મોદીજીમાં પણ છે. મહિલા સાંસદ આટલેથી ન અટકતા વડાપ્રધાનના સબકા સાથ, સબકા વિશ્વાસ, સબકા વિકાસ, સબકા પ્રયાસની તુલના પ્રાચીન ભારતના સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરી હતી.મહિલા સાંસદે એવું પણ કહ્યું કે દેશમાં એવા ઘણા વડાપ્રધાન છે જેમણે રાષ્ટ્રના કલ્યાણ માટે કામ કર્યું પરંતુ તેઓ માત્ર ભારત સુધી જ સીમિત રહ્યા.
ચંદ્રગુપ્ત મૌર્યએ જેવું અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું તેવુ પીએમ મોદી કરી રહ્યાં છે
તેમણે કહ્યું કે ચંદ્રગુપ્ત મૌર્યએ અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું, તે જ કામ વડાપ્રધાન મોદી કરી રહ્યા છે. તેના પર ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું કે આ બિલ ઝારખંડ વિશે છે અને ભાજપના સભ્યોએ તેના પર જ બોલવું જોઈએ.