કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022 પૂરા થયા પછી તરત જ ભારત પરત ફર્યો હતો અને આ કારણે ઘણા પૂર્વ ક્રિકેટરો રોહિતની ટીકા કરી રહ્યા હતા.
ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના ટુર બાદ બાંગ્લાદેશ જવા માટે રવાના થશે
કેપ્ટન રોહિત શર્મા પણ કમબેક કરવા માટે તૈયાર
વિરાટ કોહલીને અનુસરે છે રોહિત શર્મા
ભારતીય ટીમ 4 ડિસેમ્બરથી બાંગ્લાદેશ ટુર શરૂ કરશે
ટીમ ન્યૂઝીલેન્ડ ટુર પર ટી-20 સીરિઝ બાદ વનડે સીરિઝ રમી રહી છે. શિખર ધવન આ ટુર પર હાર્દિક પંડ્યા પછી કેપ્ટનશીપની કેપ પહેરેલો જોવા મળ્યો છે. અને આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022 પૂરા થયા પછી તરત જ ભારત પરત ફર્યો હતો અને આ કારણે ઘણા પૂર્વ ક્રિકેટરો રોહિતની ટીકા કરી રહ્યા હતા.
હિટમેન કરશે કમબેક
જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડના ટુર બાદ તુરંત જ બાંગ્લાદેશ જવા માટે રવાના થશે. જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં ટીમ વનડે અને ટેસ્ટ સીરિઝ રમવાની છે અને આ સીરિઝની સાથે ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા પણ કમબેક કરવા માટે તૈયાર છે. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલ હિટમેન તેના કમબેક માટે હાલ ઘણી મહેનત કરી રહ્યા છે.
માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો રોહિત
T20 વર્લ્ડ કપમાં હિટ મેન કહેવાતા રોહિત શર્મા બેટ્સમેન તરીકે સારું પ્રદર્શન નહતા કરી શક્યા અને આ આખી ટુર્નામેંટમાં તેને માત્ર એક અડધી સદી ફટકારી હતી. જો કે સારી શરૂઆત છતાં રોહિત શર્મા સતત સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો અને આ કારણે તેની ફિટનેસ પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા હતા.ખાસ કરીને પાકિસ્તાનના ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોનું કહેવું હતું કે રોહિત શર્મા એક ખેલાડી અને કેપ્ટન તરીકે અનફીટ છે. આ સાથે જ કેટલાક ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટરો પણ એ લોકો સાથે સહમત થતાં દેખાતા હતા.
વિરાટ કોહલીને અનુસરે છે રોહિત શર્મા
ટી-20 સીરિઝ બાદ રોહિત ન્યૂઝીલેન્ડ ન ગયા તેના પરથી જ ઘણા લોકો સમજી ગયા હતા કે એમની ફિટનેસ ખરેખર ખરાબ છે અને આ કારણે જ તેણે વિરાટ કોહલીનો રસ્તો અનુસરવાનું શરૂ કર્યું છે. જણાવી દઈએ કે હાલ રોહિત શર્મા નેટ્સ પર લાંબા સમય સુધી પરસેવો પાડતો જોવા મળે છે અને આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી રહી છે. યાદ હોય તો એક સમયે જ્યારે વિરાટ કોહલી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઈંગ્લેન્ડથી ભારત પરત ફર્યો હતો, જ્યારે ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો. એ જ રીતે હાલ રોહિત શર્મા મુંબઈમાં નેટ્સ અને જીમમાં સખત મહેનત કરતો જોવા મળ્યો છે.
આવી જ રીતે કિંગ કોહલી ફોર્મમાં પરત ફર્યો હતો
આપણએ બધા જાણીએ છીએ કે વિરાટ કોહલીની મહેનત રંગ લાવી હતી અને તે એશિયા કપથી તે ફોર્મમાં પાછો ફર્યો હતો. આ પછી કોહલી એ T20 વર્લ્ડ કપમાં જે પ્રદર્શન દેખાડ્યું હતું તે ઔતિહાસિક હતું. ખાસ કરીને પાકિસ્તાન સામેની મેચમાં કિંગ કોહલી આશ્ચર્યજનક જીત અપાવી હતી. એ જ રીતે જ્યારે રોહિત શર્મા બાંગ્લાદેશ ટુર પર જશે ત્યારે તે પણ કોહલીની જેમ રન બનાવવાનો પ્રયાસ કરશે.