કોરોના કાળમાં જે પ્રમાણે રેપિડ કે અન્ટિજન ટેસ્ટ કરવામાં આવતો હતો તે પ્રમાણે હવે અનાજમાં પણ ફંગસ છે કે નહીં તે એક ટેસ્ટના માધ્યમથી જાણી શકાશે
દેશની પ્રથમ સ્વદેશી ટેક્નોલોજીનો આવિષ્કાર
3 મિનિટમાં જ અનાજ-પાકમાં રહેલુ માઇકોટોક્સિન શોધી શકાશે
ચોખા-મગફળી જેવા પાક સહિત મસાલામાં માઇટોક્સિન હોય છે
દેશ અને રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે હવે પહેલા જેટલા કોરોના કેસ સામે આવતા નથી પરતું હજુ પણ દેશ અને રાજ્યાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો જોવાઈ રહ્યો છે ત્યારે કોરોના માટે ઉપયોગમાં લેવામાં આવતી રેપીડ ટેસ્ટને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે.
કોરોના રેપીડ ટેસ્ટની જેમ અનાજમાં ફંગસનો પણ રેપીડ ટેસ્ટ
કોરોના કાળમાં જે પ્રમાણે રેપિડ કે અન્ટિજન ટેસ્ટ કરવામાં આવતો હતો તે પ્રમાણે હવે અનાજમાં પણ ફંગસ છે કે નહીં તે એક ટેસ્ટના માધ્યમથી જાણી શકાશે, મહત્વનું છે કે કોરોના સંક્રમિત થયેલા દર્દીઓ સાજા થયા બાદ તેમનામાં ફંગસના રોગ જોવા મળ્યા હતા.
દેશની પ્રથમ સ્વદેશી ટેક્નોલોજીનો આવિષ્કાર
બ્લેક ફંગસ, વાઈટફંગસ જેવી અનેક ફંગસ સામે આવી હતી. જેમાં તારણ સામે આવ્યું હતું કે ફંગસ એક પ્રકારની ફુંગ જેવી હોય છે જેના દ્વારા પણ સંક્રમણનો ખતરો રહે છે. ત્યારે હવે અનાજમાં ફંગસ છે કે નહીં તે હવે માત્ર એક ટેસ્ટના માધ્યમથી જાણી શકાશે.
માઇોકટોક્સિન શોધવા માટે કરાશે રેપિડ ટેસ્ટ
કોરોનાના રેપીડ ટેસ્ટની જેમ હવે અનાજમાં પણ ફંગસનો રેપીડ ટેસ્ટ કરવામાં આવશે દેશની પ્રથમ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે જેમાં 3 મિનિટમાં જ અનાજ કે પાકમાં રહેલું માઈક્રોટોક્સિન શોધી શકાશે તેમજ ચોખા મગફળી જેવા પાક અને મસાલામાં માઈક્રો ટોક્સિન હોય છે માઈક્રોટોક્સિન શોધવા માટે રેપીડ ટેસ્ટ કરવામાં આવશે.
પાક રિજેક્ટ થવા પાછળ માઇકોટોક્સિન પણ જવાબદાર
ફૂડ ફોરેન્સિક લેબોરેટરી દ્વારા આ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે પાક રિજેક્ટ થવા પાછળ પણ માઈક્રોટોક્સિન જવાબદાર છે નિકાસ કરતાં પહેલા માઈક્રોટોક્સિન અંગે ચકાસણી કરવામાં આવશે. મહત્વનું છે કે આ ટેક્નોલોજીના ઉપયોગથી અનાજમાં ફંગસ છે કે નહીં તે જાણી શકાશે
કોરોના રેપીડ ટેસ્ટની જેમ અનાજમાં ફંગસ શોધવામાટેની ટેક્નિકનો ઉપયોગ થયા છે, મહત્વનું છે કે દેશની પ્રથમ સ્વદેશી ટેક્નોલોજી થકી હવે માત્ર 3 મિનિટમાં જ અનાજ-પાકમાં રહેલુ માઇકોટોક્સિન શોધી શકાશે તેમજ ચોખા-મગફળી જેવા પાક સહિત મસાલામાં માઇટોક્સિન હોય છે તેની નિકાસ કરતા પહેલા માઈક્રોટોક્સિન અંગે ચકાસણી કરી શકાશે. આપને જણાવી દઈ કે પાક રિજેક્ટ થવા પાછળ આ માઈક્રોટોક્સિન જ જવાબદાર હોય છે ફુટ ફોરેન્સિક લેબોરેટરીએ પ્રથમવાર સ્વદેશી ટેક્નોલોજીનો આવિશષ્કાર કરી અનાજમાં રહેલા ફંગસને શોધી કાઢવાની ટેક્નિક વિક્સાવી છે.