જેમ જેમ ચોમાસું વેગ પકડી રહ્યું છે તેમ તેમ વીજળી પડવાના કારણે મોતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે યૂપી, રાજસ્થાન અને એમપીમાં 68 લોકો મોતને ભેટ્યા છે.
વીજળી પડવાના કારણે થઈ રહ્યા છે લોકોના મોત
યૂપી, રાજસ્થાન અને એમપીમાં 68 લોકોના મોત
યૂપી, રાજસ્થાન અને એમપીમાં વીજળી પડવાના કારણે રવિવારે 68 લોકોના મોત થયા છે. યૂપીમાં 41 લોકો, રાજસ્થાનમાં 20 લોકો અને એમપીમાં કુલ 7 લોકોના મોત વીજળી પડવાના કારણે થયા છે. યૂપીમાં મોતનો આંકડો સૌથી વધારે જોવા મળી રહ્યા છે. સૌથી વધારે મોત પ્રયાગરાજમાં થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
યૂપીમાં ક્યાં કેટલા મોત
યૂપીના પ્રયાગરાજમાં કુલ 14 મોત, દેહાત અને ફતેહપુરમાં 5 મોત, કૌશાંબીમાં 4 મોત, ફિરોઝાબાદમાં 3 મોત, ઉન્નાવ-હમીરપુર- સોનભદ્રામાં 2 - મોત અને કાનપુરના પ્રતાપગઢ, હરદોઈ અને મિર્ઝાપુરમાં 1-1 વ્યક્તિના મોત થયા છે. આ સિવાય 22 લોકો ફસાયા છે અને 200થી વધુ મવેશિયોના મોત પણ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તત્કાલ સહાયતા રકમ જાહેર કરવાના આદેશ આપ્યા છે. રવિવારે અહીં સ્થિતિ ખરાબ થતા અનેક જગ્યાએ વીજળી પડવાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
आकाशीय बिजली गिरने से कनवास गांव (कोटा) में 4 एवं कूदिन्ना गांव, बाड़ी(धौलपुर) में 3 बच्चों की मृत्यु बेहद हृदयविदारक है। बच्चों के परिजनों के प्रति मेरी गहरी संवेदनायें हैं। घायल बच्चों के शीघ्र स्वास्थ्य लाभ की प्रार्थना है: राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत
રાજસ્થાનમાં 20 લોકોના વીજળી પડવાના કારણે મોત
અહીં મળી રહેલી જાણકારી અનુસાર જયપુરમાં 11 મોત, ઘોલપુરમાં 3 મોત, કોટામાં 4 મોત, ઝાલાવાડમાં 1 મોત અને બારાંમાં 1 મોત થયું છે. મૃતકોના પરિજનોને રાજસ્થાનની સરકાર તરફથી 5 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરાઈ છે. તેમાંથી 4 લાખ ઈમરજંસી રિલિફ ફંડથી અને 1 લાખ સીએમ રિલિફ ફંડથી આપવામાં આવશે. જે લોકોના મોત થયા છે તેમને માટે સીએમ અશોક ગહેલોતે સંવેદના વ્યક્ત કરી છે.
જયપુરમાં સેલ્ફી લેતી વખતે વીજળી પડતા 11 લોકોના મોત
જયપુરમાં ભારે વરસાદ દરમિયાન રવિવારે આમેર મહેલમાં બનેલા વોચ ટાવર પર વીજળી પડી હતી. અહીં ફરવા આવેલા 35થી વધુ ટૂરિસ્ટ એની ઝપટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયાં છે. ઘટનામાં અનેક લોકો પહાડી પરથી નીચે ઝાડીમાં પડી ગયા હતા. ઘાયલોમાં હજુ અનેકની હાલત ગંભીર બનેલી છે. હાલ રેસ્ક્યૂ-ઓપરેશન ચાલી રહ્યું છે. રાજ્યમાં અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓ બની છે.
મધ્યપ્રદેશમાં 7 લોકોના મોત
અહીં વીજળી પડવાથી 7 લોકોના મોત થયા છે. 24 કલાકમાં 7 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. શ્યોપુર અને ગ્વાલિયરમાં વીજળી પડવાથી 2 લોકોના મોત થયા છે, તો આ સિવાય શિવપુરી, અનુપપૂર અને બૈતૂલમાં એક એક મોતના સમાચાર મળી રહ્યા છે.