પાકિસ્તાનમાં મોસમનો ખરાબ માર પડ્યો હતો. દેશના સિંધ પ્રાંતના ગ્રામીણ વિસ્તારોમાં(Pakistan's Sindh province) ભારે વરસાદ પછી વીજળીના પડતા 20 લોકોનાં મોત નીપજ્યાં છે અને 30 લોકો ઘાયલ થયા છે. આટલું જ નહીં, શુક્રવારે આકાશમાંથી થયેલ તબાહીને કારણે સેંકડો પ્રાણીઓ પણ મરી ગયા છે.
પાકિસ્તાનનો વીજળીનો કહેર
સિંધ પ્રાંતના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં 20 લોકોના મોત
21 લાખ લોકોનું કરાયું સ્થળાંતરણ
પાકિસ્તાની અખબાર ડોનના એક રિપોર્ટ મુજબ થારપારકર જિલ્લાના મીઠી, છેછી અને રામસિંહ સૌઢો ગામમમાં બુધવારે મોડી રાતે ભારે વરસાદ પડ્યો હતો. આ સાથે જ વીજળી પડવાનો પણ સિલસિલો ગુરૂવાર સુધી યથાવત હતો. આ ઘટનામાં 10 મહિલા સહિત 20 લોકોના મોત નિપજ્યા હતા આ સાથે જ સેંકડો પશુઓના પણ મોત થયાં હતા.
વીજળી પડવાને કારણે 30 લોકો થયાં ઘાયલ
વીજળી પડવાની ઘટડનામાં ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયાં હતા જેમને નજીકની વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક વ્યવસ્થા તંત્ર દોડતું થયું હતું અને રાહત કામગીરી હાથ ધરી હતી. જો કે, વરસાદને કારણે નદીઓ ઓવરફ્લો થતાં નીલમ ઘાટીમાં મોટી સંખ્યામાં મકાન તથા મસ્જીદ તૂટી ગયા હતા, જેમાં આશરે 28 લોકોના મોત થયાં હતા.
21 લાખ લોકોનું કરાયું સ્થળાંતરણ
તાજેતરમાં જ પાડેશી રાજ્ય બાંગ્લાદેશમાં તોફાન બુલબુલે તબાહી મચાવી જેમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત નિપજ્યા હતા. એટલું નહીં ચક્રવાતની આશંકાને ધ્યાનમાં રાખીને 21 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પીટીઆઇના અહેવાલ અનુસાર ચક્રવાત બુલબુલના કારણે પશ્ચિમ બંગાળના તટીય જિલ્લામાં 15,000 રૂપિયાથી લઇને 19,000 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઇ શકે છે.