આવતી કાલે લોક ડાઉનનો છેલ્લો દિવસ છે. કેટલાક રાજ્યોએ લોક ડાઉન લંબાવ્યું છે પરંતુ કેન્દ્ર સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી. આ દરમિયાન ઝારખંડના CM હેમંત સોરેને PM મોદીને કહ્યું હતું કે 1.5 લાખ જેટલા પરપ્રાંત વાસી કામદારો પહેલેથી જ ઝારખંડ પાછા આવી ગયા છે અને ક્વોરનટાઈનમાં છે. રાજ્યમાં આર્થિક સંકટ અને બેરોજગારીના પગલે લોક ડાઉન લંબાવાય તો વિકટ પરિસ્થિતિ છે અને જો લોક ડાઉન ઉઠાવી લેવામાં આવે તો કોરોના સંક્રમણ વધી જાય એમ છે. આમ બંને પરિસ્થિતિ કપરી જ છે એમ સોરેને કહ્યું હતું.
મનરેગાના કામદારોનું દૈનિક વેતન વધારીને 300 રૂપિયા કરવા વિનંતી કરી
લોન અને GST મુદ્દે પણ રાહત આપવા માટે કરી અપીલ
ઝારખંડના CM હેમંત સોરેન લોક ડાઉન મુદ્દે વિમાસણમાં મુકાયા છે. રાજ્યમાં આર્થિક સંકટ અને બેરોજગારીના પગલે લોક ડાઉન લંબાવાય તો વિકટ પરિસ્થિતિ છે અને જો લોક ડાઉન ઉઠાવી લેવામાં આવે તો કોરોના સંક્રમણ વધી જાય એમ છે. આમ બંને પરિસ્થિતિ કપરી જ છે એમ સોરેને કહ્યું હતું.
PM મોદી સાથે વાતચીર દરમિયાન સોરેને જણાવ્યું હતું કે જો લોક ડાઉન હટાવી દેવામાં આવશે તો 5 લાખ પરપ્રાંત વાસી કામદારો ઝારખંડ તેમના વતન પાછા ફરશે તેવી શક્યતા છે. આમ થવાથી સંક્રમણ ફેલાવાનો ભય પહેલા કરતા પણ વધી જાય છે. અને જો લોક ડાઉન લંબાવવામાં આવે તો રાજ્ય સરકારની તિજોરીને હજુ વધુ ફટકો પડે તેવી પરિસ્થિતિ છે.
સોરોને PM મોદીને લોક ડાઉન મુદ્દે વીડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લોક ડાઉન ખુલે કે લંબાવાય, બંને પરિસ્થિતિમાં ઝારખંડને નુકશાન થશે એમ લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ભેગો કરેલ ડેટા દર્શાવે છે કે ઝારખંડના ઘણા કામદારો લોક ડાઉનને લીધે દેશના અલગ અલગ રાજ્યોમાં ફસાયા છે. આ કામદારો જો એક સાથે પાછા ફરશે તો પરિસ્થિતિ વકરશે કારણ કે તેઓ જે તે રાજ્યોથી સંક્રમિત થઇને કોરોના વાયરસના કેરિયર બનેલા હશે. તેમણે એમ પણ કહ્યું કે અત્યારે જ રાજ્યમાં 1.5 લાખ જેટલા પરપ્રાંત વાસી કામદારો પહેલેથી જ ઝારખંડ પાછા આવી ગયા છે અને ક્વોરનટાઈનમાં છે.
સોરેને PM મોદીને એમ પણ વિનંતી કરી છે કે મનરેગાના કામદારોના દૈનિક વેતનમાં વધારો કરવામાં આવે. તેમણે કહ્યું કે તેઓને લાગે છે કે આખા દેશમાં મનરેગાનું સૌથી ઓછું વેતન ઝારખંડમાં મળે છે. આ માટે કામદારો ઝારખંડ છોડીને બહાર કામ કરવા જાય છે જ્યાં તેમને મજૂરીનું દૈનિક વેતન 800 900 જેવું મળી રહે છે. અત્યારે ભલે સરકારે મનરેગાનું વેતન વધાર્યું હોય પણ ઝારખંડ જેવા રાજ્યમાં આ હજુ 200 રૂપિયાની આસોપાસ છે. તેને વધારીને 300 રૂપિયા કરવાની માંગ કરી હતી. નોંધનીય છે કે સરકારે 1 એપ્રિલથી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ (મનરેગા)ના વેતનમાં વધારો જાહેર કર્યો છે.
આ ઉપરાંત હેમંત સોરેને આ નાણાવર્ષની લોન માફ કરી દેવા અંગે અને GSTની બાકી રકમની ચુકવણી ઉપર પણ રાહત આપવા માટે વિનંતી કરી હતી. નોંધનીય છે કે DVC, CCL, SAIL વગેરે જેવી મોટી PSU ઝારખંડમાં સક્રિય છે અને તેમણે સરકારને ચુકવણી કરવાની બાકી છે.