તુલસી એક ઔષધીય છોડ છે, જેનો આપણને બધાને ખ્યાલ છે. તુલસીના પાન ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો તુલસીના પાનનો જ ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે તમને અમે જણાવવા જઇ રહ્યા છીએ કે તુલસીના માંજર કેવી રીતે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરી જાય છે.
- આયુર્વેદમાં તુલસીના માંજરનો ઉપયોગ કરવામાં આવે છે, તેના ઉપયોગથી અનેક તકલીફો દૂર કરી શકાય છે. તુલસીના માંજરમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન, ફાઇબર અને આર્યન હોય છે. તો ચાલો જાણો તુલસીના બીજથી કઇ કઇ સમસ્યાઓ દૂર કરી શકાય છે.
- તુલસીના માંજરમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે. જે શરીરના કોઇપણ ભાગમાં આવેલા સોજાને દૂર કરી શકે છે. માંજરનો ઉપયોગ ડાયેરિયામાં પણ કરી શકાય છે.
- તુલસીના છોડમાં ફ્લેવોનોઈડ અને ફેનોલિક તત્વ હોય છે જે શરીરની રોગ પ્રતિરોધક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેના માંજરમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે સ્નાયૂને સ્વસ્થ રાખી અને ક્ષતિગ્રસ્ત સ્નાયૂને મજબૂત બનાવે છે.
- તુલસીના માંજર પેટમાં જિલેટનયુક્ત પરત બનાવે છે જે પાચન ક્ષમતાને મજબૂત બનાવે છે. તેમાં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. જે પાચનશક્તિ સુધારે છે.
- તુલસીના માંજર શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત રાખે છે. જેનાથી હાઇ બીપી અને સ્ટ્રેસ ઘટે છે. તેના બીથી લિપિડ સ્તર વધે છે અને હૃદયની સુરક્ષા વધે છે.
- માંજરનો ઉયપોગ કરવાથી શરદી-ખાંસી પણ દૂર થાય છે કારણ કે તેમાં એન્ટીી સ્પૈસમોડિક ગુણ હોય છે. જે ઉધરસ અને શરદી જેવી બિમારીમાં રાહત આપે છે. આ સાથે જ તેનું સેવન કરવાથી તાવ પણ મટે છે.
- તુલસીના બીમાં કેલેરીની માત્રા ઓછી હોય છે અને તેનાથી ભૂખ પણ દૂર થાય છે. એટલા માટે તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ કરી શકાય છે.