જ્યારે વાત આવે છે હેલ્દી હેબિટ્સની તો સૌથી પહેલા ધ્યાન જાય છે હેન્ડવોશ પર. હેન્ડવોશ એમ કહો કે હાથોને સારી રીતે સાફ કરવા. જો તમારા હાથ સાફ હશે તો તમારા શરીરની અંદર કીટાણુંઓ પહોંચવાની અને ફરી બિમાર પડવાની આશંકા ઓછી થઇ જાય છે. પરંતુ હાઇજીનના નામ પર થોડા સમયથી કેટલીક ગેરમાન્યતાઓ ફેલાઇ રહી છે. જેની હકીકત જાણવી ખુબ જરૂરી છે.
જ્યારે વાત આવે છે હેલ્દી હેબિટ્સની તો સૌથી પહેલા ધ્યાન જાય છે હેન્ડવોશ પર. હેન્ડવોશ એમ કહો કે હાથોને સારી રીતે સાફ કરવા. જો તમારા હાથ સાફ હશે તો તમારા શરીરની અંદર કીટાણુંઓ પહોંચવાની અને ફરી બિમાર પડવાની આશંકા ઓછી થઇ જાય છે. પરંતુ હાઇજીનના નામ પર થોડા સમયથી કેટલીક ગેરમાન્યતાઓ ફેલાઇ રહી છે. જેની હકીકત જાણવી ખુબ જરૂરી છે.
1) સેનિટાઇઝરનું એક ડ્રોપ તમારી હથેળીના તમામ કીટાણુઓને દુર કરી દેશે, તો તમે ખોટા છો. મોટાભાગે સેનિટાઇઝર્સ 60 ટકા એલ્કોહોલ ધરાવતા હોય છે. જે કીટાણુંઓને પૂર્ણ રીતે મારી શકવામાં અસમર્થ હોય છે. વારંવાર હાથ સાફ કરવા માટે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી બેક્ટેરિયા તેના પ્રતિ રેજિસ્ટેન્ટ થઇ જાય છે. એન્ટિબાયોટીક દવાઓની અસર ઓછી થઇ શકે છે. તેથી જરૂર વિના સેનિટાઇઝરની જગ્યાએ સાધારણ સાબુ તથા પાણીથી હાથ ધોવા જોઇએ. સેનિટાઇઝર્સ જ્યાં થોડીવાર માટે કીટાણુંને મારે છે તેનાથી વિરુદ્ધ સાબુ-પાણીથી હાથ ધોવાથી લાંબા સમય સુધી સાફ અને કીટાણું મુક્ત રહે છે.
2) ઘણીવાર જોવા મળે છે કે હાથને ધોતી વખતે ઓછામાં ઓછા 1 મિનિટ સુધી સારી રીતે ધોવા જરૂરી બને છે. આ એક ખોટી માન્યતા છે. હાથને માત્ર 20 સેકન્ડ સુધી સારી રીતે મસળીને સાબુ-પાણીથી ધોતા તે કીટાણું મુક્ત થઇ જશે. સેનિટાઇઝર્સ યૂઝ કરવાની જગ્યાએ 20 સેકન્ડ માટે સાબુથી હાથ ધોવા એટલા માટે પણ જરૂરી છે કે હાથો પરના સેલની દીવાલની અંદર પહોંચીને વાયરસ અને બેક્ટેરિયાનો તે ખાત્મો કરે છે.
3) હાથોને સાફ કરવા માટે એન્ટિબેક્ટેરિયલ સાબુ જ ઉપયોગ કરવો જરૂરી નથી. નિયમિત રૂપે હેન્ડવોશ કરવા માટે તમે કોઇપણ સાધારણ સાબુ પસંદ કરી શકો છો. એન્ટિબેક્ટેરિયલ સાબુનો ઉપયોગ માત્ર બીમાર લોકો તથા એવા દર્દી માટે હોવો જોઇએ જેમની ઇમ્યુનીટી કમજોર છે. જો તમારા ઘરમાં પાલતૂ જાનવર છે. તો તેને ટચ કર્યા બાદ એન્ટિબેક્ટેરિયલ સાબુ યુઝ કરવો જોઇએ. જોકે એન્ટિબેક્ટિરિયલ પ્રોડક્ટ્સનો ઓછામાં ઓછો યુઝ કરવો જોઇએ નહિંતર તે સ્કિન પર હાજર હેલ્દી બેક્ટેરિયાને મારી દેતા હોય છે.
4) એ સાચુ છે કે મોઇશ્ચરાઇઝર બેક્ટેરિયાને આકર્ષિત કરે છે. છતા તમારે દિવસભર ઓછામાં ઓછા 6 વાર હાથ ધોવા જરૂરી છે. ઓછામાં ઓછું ભોજન લેવાની પહેલા અને ટોઇલટનો ઉપયોગ કર્યા બાદ હેન્ડવોશનો ઉપયોગ જરૂરી છે. જોકે જર્મ્સના ડરથી વધારે સમય સુધી હાથ ધોવા પણ એક પ્રકારનો એન્ગ્જાઇટી ડિસઓર્ડર છે.