બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કેમ લોકો રાખે છે એક્સ્ટ્રા મેરિટલ અફેર, આ રહ્યા ચાર મુખ્ય કારણો
6 ફોટો ગેલેરી
Last Updated: 10:31 AM, 26 April 2025
1/6
લગ્ન એક પવિત્ર બંધન છે, જે વિશ્વાસ, આદર અને પ્રેમ પર આધારિત છે. ઘર હોય તો વાસણ તો ખખડવાના આ કહેવત પણ પરિણીત યુગલ પર લાગુ પડે છે કારણે કે તેમના વચ્ચે મતભેદ થવા તે સામાન્ય છે. પરંતુ જ્યારે પરિણીત યુગલ વચ્ચે કોઈ ત્રીજો વ્યક્તિ આવે છે. ત્યારે વિશ્વાસનો દોરો તૂટી જાય છે.
2/6
3/6
જ્યારે પતિ-પત્ની વચ્ચે વાતચીત ઓછી થઈ જાય છે, અથવા તેઓ એકબીજાને સમજવાનું બંધ કરી દે છે, ત્યારે સંબંધમાં એક ખાલીપો આવવા લાગે છે. આ ખાલીપો ભરી શકતો નથી એટલે કેટલીકવાર વ્યક્તિ ત્રીજા કોઈની નજીક ખેંચાઈ જાય છે, જ્યાં તેને લાગણીસભર સમર્થન મળે છે.
4/6
5/6
આ સિવાય, પ્રશંસા અને સમજણનો અભાવ પણ મોટું કારણ બને છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનસાથી તેને સમજેઅને તેની કદર કરે. જો આવું ના થાય, અને વ્યક્તિને લાગવા લાગે કે તેની લાગણીઓનું કોઈ મૂલ્ય નથી, તો તે એવી વ્યક્તિ તરફ આકર્ષાય છે જે તેને સમજવા અને સહાનુભૂતિ આપવા તૈયાર હોય.
6/6
આજના સમયમાં સોશિયલ મીડિયા અને તકો પણ મોટા પાયે જવાબદાર છે. ડિજિટલ દુનિયામાં સંપર્ક કરવો ખૂબ સરળ બની ગયો છે. ઓફિસમાં સહકર્મચારીઓ સાથે વધુ સમય વિતાવવો, ચેટિંગ અને મેસેજિંગ દ્વારા વાતચીત કરવી. આ બધું વારંવાર લાગણીઓ ઊંડે જાય ત્યાં સુધી પહોંચે છે અને એ સંબંધો આગળ જઈને અફેરનું સ્વરૂપ લઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ