બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સતત કેટલા ક્લાક ચલાવવો જોઈએ પંખો?, દિવસ-રાત સિલિંગ ફેન ચાલુ રાખતા લોકોને ધ્યાન આપવાની જરૂર

જાણી લેજો / સતત કેટલા ક્લાક ચલાવવો જોઈએ પંખો?, દિવસ-રાત સિલિંગ ફેન ચાલુ રાખતા લોકોને ધ્યાન આપવાની જરૂર

Last Updated: 12:12 PM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Utility News: ભારતમાં મોટાભાગના ઘરોમાં પંખાનો સૌથી વધારે ઉપયોગ થાય છે. એવામાં સવાલ એ છે કે પંખાને સતત કેટલા કલાક સુધી ચલાવી શકાય છે? તો ચાલો આનો જવાબ જાણીએ..

ઉનાળામાં ઘરમાં એસી, પંખા અને કુલરનો ખૂબ ઉપયોગ થાય છે. ભારતમાં મોટાભાગના ઘરોમાં પંખાનો સૌથી વધારે ઉપયોગ થાય છે. કુલર અને એસીના મુકાબલે પંખા ઘણા પોસાય તેવા હોવાની સાથે ઓછી વીજળી પણ વાપરે છે. જોકે, જેમના ઘરોમાં એસી કે કુલર છે, તે પણ પંખાનો ઉપયોગ કરે છે. ઉનાળામાં દિવસ-રાત પંખા ચાલે છે. એવામાં લોકોને ભય  રહે છે કે ક્યાંક ગરમીના કારણે પંખા આગ ન પકડી લે. કેમ કે લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી આ ગરમ જાય છે.

fan.original

જણાવી દઈએ, આવું એટલા માટે  થાય છે કેમ કે પંખાની મોટર વીજળીની ઝપડ બદલી નાખે છે અને પછી ગરમી પેદા કરે છે. હવે સવાલ એ છે કે પંખાને સતત કેટલા કલાક સુધી ચલાવી શકાય છે? તો ચાલો આનો જવાબ જાણીએ..

પંખાનો ઉપયોગ કેટલા સમય સુધી કરી શકાય છે?

વધુ પડતાં બ્રાન્ડેડ કે ક્વોલિટી સીલિંગ ફેન સરળતાથી 24/7 ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. એટલા માટે કોઈ ચિંતા વિના તમે આજે સીલિંગ ફેન આખો દિવસ ચાલુ મૂકી શકો છો. આનાથી પંખાને કોઈ નુકસાન થશે નહીં. પરંતુ જો તમે આ કરશો તો તમારું વીજળીનું બિલ ચોક્કસપણે થોડું વધશે. જોકે, સમય સમય પર કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુને થોડો આરામ આપવો જરૂરી છે. સીલિંગ ફેનને પણ સમયાંતરે આરામ આપવો જોઈએ. આનું કારણ એ છે કે લાંબા સમય સુધી પંખો ચલાવવાથી પંખાની મોટર વધુ ગરમ થઈ શકે છે, જે પંખાને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો તમને જણાવી દઈએ કે, આરામ અને સલામતી વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Vtv App Promotion 1

પંખાની ક્ષમતા જાળવી રાખો

લાંબા સમય સુધી સીલિંગ ફેનનો ઉપયોગ કરવા અને તેની કાર્યક્ષમતા જાળવી રાખવા માટે, તમારે સમયાંતરે બ્લેડ સાફ કરવા જોઈએ. તેમજ ખાતરી કરતા રહો કે પંખો સંતુલિત રહે. આ ઉપરાંત, જો પંખામાંથી કોઈપણ પ્રકારનો અવાજ આવે તો તરત જ ઇલેક્ટ્રિશિયનને બતાવો.

વધુ વાંચો: રોકાણકારોને કમાણીની તક! ગુજરાતી કંપનીનો ખુલ્યો 120000000 રૂપિયાનો IPO, GMP જબરદસ્ત

પંખાનો વધુ પડતો ઉપયોગ ટાળો.

તેવી જ રીતે, એ પણ ધ્યાનમાં રાખો કે પંખાનો વધુ પડતો ઉપયોગ ન થવો જોઈએ. દિવસ-રાત પંખો વાપરવાથી તેને નુકસાન થવાની શક્યતા વધી જાય છે. એવામાં, જ્યારે જરૂર ન હોય ત્યારે પંખાને આરામ કરવા દો. આનાથી પંખો સારી સ્થિતિમાં રહેશે જ, સાથે વીજળીની પણ બચત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Utility News Ceiling Fan Summer Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ