રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમને તથા જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દિકરા આકાશના લગ્ન શ્લોકા સાથે થવાના છે. આકાશ અને શ્લોકાના લગ્ન આ વર્ષે 9 માર્ચે થશે. રિપાર્ટ અનુસાર લગ્નના ફંક્શન 3 દિવસ એટલે કે 9 10 અને 11 માર્ચ સુધી ચાલશે. મુંબઇમાં યોજાનારા લગ્નની કંકોત્રીની પ્રથમ ઝલક સામે આવી છે. આકાશ-શ્લોકાના લગ્નની સૌપ્રથમ કંકોત્રી લઇને અંબાણી પરિવાર સિદ્ઘિવિનાયક મંદિર પહોંચ્યો હતો.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ દિકરાના લગ્નું સૌથી પહેલા આમંત્રણ ગણેશજીને આપ્યુ. આ દરમિયાન નીતા-મુકેશ અંબાણી સાથે દીકરી ઈશાના સસરા અજય પિરામલ પણ હતા. અંબાણી પરિવારમાં ડિસેમ્બરમાં જ લગ્ન થયા હતા અને હવે ફરી શરણાઇ વાગશે. નીતા-મુકેશ અંબાણીની દીકરી ઈશાના લગ્ન ઉદ્યોગપતિ આનંદ પિરામલ સાથે થયા છે.
જણાવી દઈએ કે આકાશ-શ્લોકાની સગાઈ 2018માં થઈ. હવે બંને લગ્નના તાંતણે બંધાવા જઇ રહ્યા. લગ્નમાં મુંબઇમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં બીકેસીમાં યોજાશે. આકાશ અને શ્લોકા સ્કૂલમાં સાથે ભણતા હતા. બંને સ્કૂલ ટાઈમ ફ્રેન્ડ્સ છે. માર્ચ 2018માં માં આકાશે શ્લોકાને ગોવામાં પ્રપોઝ કર્યું હતું અને હવે 9 માર્ચે લગ્ન કરશે. ઉલ્લેખનીય છે કે શ્લોકા મહેતા હીરા કારબોરી રસેલ મહેતાની દિકરી છે.