બિલ્વપત્રના શિવજીને તો ચઢાવાય જ છે પરંતુ શું તમને ખબર છે તે જડમૂળમાંથી રોગો મટાડવા માટે બિલીના પાન છે ઉપયોગી
બિલીપત્ર છે શિવજીને પ્રિય
બિલીપત્ર આયુર્વેદિક ઔષધીમાં ઉપયોગી
ગંભીર બીમારીઓ સામે આપે છે રક્ષણ
હિંદુ ધર્મમાં દરેક તહેવારો પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી હોય છે. ત્યારે આગામી દિવસોમાં શિવરાત્રિ આવી રહી છે. આ દિવસે શિવજીને પ્રસન્ન કરવા ભક્તો બિલ્વ પત્ર, દૂધ,ધતુરો, જળ સહિત વિવિધ દ્રવ્યોથી શિવજીની પૂજા કરવામાં આવે છે. શિવજીને બિલ્વપત્ર ખૂબ પ્રિય છે. બિલિ પત્રના પાનથી ભગવાનની પૂજા કરવાથી તેમના ભક્તોને અપાર આશીર્વાદ મળે છે. બિલીપત્રનું ત્રિકોણાકાર પર્ણ હોય છે. હિન્દુ ધર્મમાં ત્રણ મુખ્ય દેવતાઓ, ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે બિલીપત્રને આયુર્વેદિક જડીબુટ્ટી ગણવામાં આવે છે અને તે ઘણી ગંભીર બિમારીઓનો સામનો કરવામાં મદદ કરી શકે છે.
શું છે બિલીપત્રના ફાયદા
બિલીપત્ર એ એક ઔષધિય છોડ છે. તેના ફળ, મૂળ, પાંદડા અને ડાળીઓનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે. તેના સવનથી કબજિયાત, ઝાડા, ડાયાબિટીસ અને અન્ય રોગો મટી જાય છે. બિલિપત્રમાં ટેનીન, ફ્લેવોનોઈડ્સ અને કુમારિન નામના રસાયણો હોય છે, જે ઘણા રોગોની સારવારમાં મદદરૂપ થાય છે. આ રસાયણો બળતરા ઘટાડવામાં મદદ કરે છે, અસ્થમા, ઝાડા અને હાઈ બ્લડ સુગર જેવા વિકારોનું જોખમ ઘટાડે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી
બિલીના પાન શરીરમાં બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. તેનું કારણ એ છે કે તેમાં ઘણાં લૈક્સટિવ ગુણો હોય છે, જે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન બનાવવામાં અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
શ્વસન સમસ્યાઓ માટે
બહુ ઓછા લોકો જાણે છે કે બિલીના પાંદડામાંથી એક પ્રકારનું તેલ કાઢી શકાય છે, જેને આવશ્યક તેલ કહેવામાં આવે છે. આ તેલ વાસ્તવમાં અસ્થમા અને શરદી સહિત શ્વસન સંબંધી સમસ્યાઓના ઈલાજમાં મદદરૂપ થઈ શકે છે.
કબજિયાતનો રામબાણ ઇલાજ
બિલીના પાનને મીઠું અને મરી સાથે ચાવવાથી કબજિયાત મટે છે. તે આંતરડામાંથી ઝેર દૂર કરવા માટે જાણીતું છે.
ઝાડા-કોલેરા
બિલીમાં ટેનીન હોય છે, જેના કારણે તે ઝાડા અને કોલેરા જેવા રોગોને દૂર કરવામાં ઉપયોગી છે. તેના સૂકા કાચા પાવડરનો ઉપયોગ જૂના ઝાડાની સારવારમાં પણ થાય છે. આ માટે તમે કાચા પાન પણ ચાવી શકો છો.
બળતરા વિરોધી ગુણધર્મો
તેમાં એન્ટી ફંગલ અને એન્ટી વાઈરલ ગુણ હોય છે, જેના કારણે તેનો ઉપયોગ શરીરમાં થતા ઘણા પ્રકારના ઈન્ફેક્શનના ઈલાજમાં થાય છે. બિલીના પાનમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણો પણ જોવા મળે છે, જે ઘણા ચેપને મટાડવામાં મદદ કરી શકે છે.