બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જો રાત્રે ઊંઘતી વખતે પરસેવો આવતો હોય તો ચેંતી જજો, હોઈ શકે આ 6 મોટી બીમારીઓના સંકેત
Last Updated: 08:54 AM, 20 April 2025
ઉનાળાના દિવસોમાં પરસેવો આવવો સામાન્ય છે, પરંતુ જો રાત્રે પંખો કે એસી ચાલુ હોવા છતાં પસીનો આવે, તો તે સામાન્ય બાબત ન ગણવી જોઈએ. જો રુમ ઠંડો હોવા છતાં પરસેવો આવે, તો એ કોઈ ગંભીર બીમારી તરફ ઈશારો કરી શકે છે. આવો જોઈએ કે આ કઈ બીમારીઓના સંકેત હોઈ શકે છે?
ADVERTISEMENT
હૃદય સંબંધિત બીમારી
જો રાત્રે અચાનક ખૂબ પરસેવો આવે, તો એ હૃદયની બીમારીનું સંકેત હોઈ શકે છે. હૃદયના રોગમાં પણ રાત્રે પરસેવો આવી શકે છે. હાર્ટ એટેક આવતાં પહેલાં પણ શરીરમાં ઘણો પરસેવો આવે છે. આવા સંકેતોને અવગણવા નહિ, તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ADVERTISEMENT
થાઈરોઈડ
રાત્રે પરસેવો આવવાનું એક કારણ થાઈરોઈડ હોર્મોન પણ હોઈ શકે છે. થાઈરોઈડ શરીરમાં એવા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, જે ઘણા અગત્યના ફંક્શન્સને નિયંત્રિત કરે છે. એથી શરીરનું તાપમાન પણ નિયમિત રહે છે. જ્યારે થાઈરોઈડ હોર્મોન વધુ ઉત્પન્ન થાય છે ત્યારે શરીરનું તાપમાન વધી જાય છે અને ઠંડા વાતાવરણમાં પણ પરસેવો આવવા લાગે છે.
મહિલાઓમાં મેનોપોઝ
મહિલાઓમાં મેનોપોઝ દરમિયાન રાત્રે પરસેવો આવવો સામાન્ય લક્ષણ હોઈ શકે છે. આ સમયગાળામાં હોર્મોનલ ફેરફાર થવાને કારણે શરીર ગરમ લાગે છે અને પરસેવો આવવાનો અનુભવ થાય છે. ઘણીવાર રાત્રે ઊંઘતી વખતે વધુ પરસેવો આવતો હોય છે.
હાઇપોગ્લાયસેમિયા
જો પંખો કે એસી ચાલુ હોવા છતાં પરસેવો આવે છે, તો એ લોહીમાં ખાંડનું લેવલ ઘટી જવાનો સંકેત હોઈ શકે છે. જ્યારે બ્લડ શુગર લેઝલ અચાનક ઘટે છે ત્યારે પણ પરસેવો આવતો હોય છે. આ ડાયાબિટીસ સાથે જોડાયેલું હોઈ શકે છે.
પ્રોસ્ટેટ કેન્સર
પ્રોસ્ટેટ કેન્સર એ પુરુષોમાં થતી ગંભીર બીમારી છે. રાત્રે ઊંઘતી વખતે પરસેવો આવવો એ પણ એક સંકેત હોઈ શકે છે. આ સંકેતો ક્યારેય અવગણવા નહીં.
તણાવ
ઘણો માનસિક તણાવ હોય ત્યારે પણ રાત્રે પરસેવો આવતો હોય છે. તણાવને લીધે હૃદયના ધબકારા વધી જાય છે અને ગભરામણ લાગતી હોય છે. આ સ્થિતિમાં પણ પરસેવો આવવો શક્ય છે.
વધુ વાંચો: અખરોટ અને બદામ છોડો, સવારે ઉઠ્યા પછી બસ કરો આ કામ, તમારું મગજ AI જેવું બનશે તેજ!
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.