બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / OMG! ભાત ખાવાથી વધી જાય છે કેન્સર સહિત હાર્ટની બીમારી, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

હેલ્થ / OMG! ભાત ખાવાથી વધી જાય છે કેન્સર સહિત હાર્ટની બીમારી, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

Last Updated: 02:04 PM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોખા ખાવાથી કેન્સર અને હૃદયરોગ થઈ શકે છે. એક રીસર્ચ મુજબ ચોખામાં આરસેનિકની વધતી માત્રા હૃદય સંબંધિત રોગો, ડાયાબિટીસ અને કેન્સર જેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને વધારી શકે છે. ભારત અને ચીન સહિત એશિયાના અનેક દેશો આ સંકટની ઝપેટમાં આવી શકે છે. જાણો રીસર્ચ શું કહે છે?

ચોખામાં આરસેનિક વધવા પાછળનું કારણ

આબોહવા પરિવર્તનને કારણે દુનિયાભરના દેશોમાં કાર્બન ડાયોકસાઈડની માત્રા વધી રહી છે, જે ધાનની ઉપજ અને તેના પોષકતત્વોને પ્રભાવિત કરી રહી છે. તાજેતરમાં કોલંબિયા યુનિવર્સિટીના મેઇલમેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકો દ્વારા ચોખામાં આરસેનિકની માત્રા અંગે એક મોટો ખુલાસો કરવામાં આવ્યો. તેઓના જણાવ્યા અનુસાર,આબોહવા પરિવર્તનના કારણે ચોખામાં આરસેનિકની માત્રા ઝડપથી વધી રહી છે.

અત્યાર સુધી ચોખામાં આરસેનિકની ઓછી માત્રા હતી જે નુક્સાનકારક નહોતી, પરંતુ હવે જે રીતે આરસેનિકનું લેવલ વધી રહ્યું છે તે ગંભીર જોખમની આશંકા ઊભી કરી રહી છે.

global-warming

એશિયાને વધુ જોખમ

રીસર્ચ અનુસાર જો તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસથી વધુનો વધારો થયો અને સાથે કાર્બન ડાયોકસાઈડનું સ્તર પણ વધ્યું, તો તે ચોખામાં આરસેનિકની માત્રા ઘણી વધી શકે છે. જો સ્થિતિ એવી જ રહી તો 2050 સુધી એશિયાની વસ્તી માટે આરોગ્યના ગંભીર જોખમ ઊભા થઈ શકે છે.

કેન્સર અને ડાયાબિટીસના કેસ વધશે

રીસર્ચ અનુસાર, ચોખામાં આરસેનિકનું પ્રમાણ વધવાથી હૃદય સંબંધિત રોગો, ડાયાબિટીસ અને કેન્સર જેવી સમસ્યાઓમાં વધારો થશે. ભારત સહિત એશિયાના ઘણા દેશોમાં ચોખા મુખ્ય આહાર છે. સંશોધકો જણાવે છે કે આબોહવા પરિવર્તનના કારણે માટીમાં આરસેનિકની માત્રા વધી રહી છે, જે ધાનના દાણા ઝડપથી શોષી લે છે.

rice-final

આરસેનિકયુક્ત ચોખા ખાવાથી ફેફસાં, મૂત્રાશય અને ચામડીના કેન્સર તેમજ ઇસ્કેમિક હૃદયરોગ જેવી બીમારીઓ થઈ શકે છે. ઉપરાંત ડાયાબિટીસ, ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યા, ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર અને રોગપ્રતિકારક શક્તિ પર પણ નકારાત્મક અસર પડી શકે છે.

rice-1

આ દેશોનો સમાવેશ

આ સંશોધનમાં બાંગ્લાદેશ, ચીન, ભારત, ઈન્ડોનેશિયા, મ્યાનમાર, ફિલિપાઈન્સ અને વિયેતનામ જેવા એશિયાના 7 દેશોને સમાવિષ્ટ રાખવામાં આવ્યા હતા. સંશોધકોએ આ દેશોમાં અકાર્બનિક આરસેનિકની માત્રા અને તેના કારણે થનારા આરોગ્ય સંબંધી જોખમોનું મૂલ્યાંકન કર્યું.

વધુ વાંચો: નકલી દવાઓ હેલ્થ માટે બની શકે છે જોખમકારક, આ 7 ટિપ્સથી કરો અસલી-નકલીની ઓળખ

ચીન અને ભારત સૌથી વધુ જોખમમાં

સંશોધકોનું માનવું છે કે જો ચોખામાં આરસેનિકની માત્રા વધશે તો ચીન સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંથી એક બની શકે છે. અહીં અંદાજે 1.34 કરોડ કેન્સરના કેસો સામે આવી શકે છે, જ્યારે વધતા તાપમાન અને કાર્બન ડાયોકસાઈડના કારણે આ સંખ્યા વધીને 1.93 કરોડ સુધી જઈ શકે છે. ભારત માટે પણ ચોખામાં વધતી આરસેનિકની માત્રા હૃદયરોગ અને કેન્સરના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rice cancer Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ