બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રોજ ખાઓ આ ખાટા ફળ, ડિપ્રેશન અને તણાવ થઈ જશે દૂર અને શરીર રહેશે સ્વસ્થ
Last Updated: 08:52 AM, 15 March 2025
સફરજન અને સ્વાસ્થ્ય
ADVERTISEMENT
સફરજનને લઈને અંગ્રેજીમાં એક પ્રખ્યાત કહેવત છે – "એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે." એટલે કે, રોજ એક સફરજન ખાવાથી તંદુરસ્ત રહી શકાય. આ વાક્ય તો આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ હવે એક નવી સંશોધનના આધારે જાણવા મળ્યું છે કે સફરજન સિવાય પણ એક વિશિષ્ટ ફળ છે, જે આપણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ખાસ કરીને આપણા પાચનતંત્ર માટે લાભદાયી છે.
શા માટે ખાટું ફળ ખાવું જરૂરી છે?
ADVERTISEMENT
સારી તંદુરસ્તી માટે એક આરોગ્યદાયક આંતરડા હોવા જરૂરી છે, જે ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરે, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદાકારક સાબિત થાય અને કેટલાક જુના રોગોના જોખમને ઘટાડે. જો પેટ આરોગ્યદાયક હોય, તો તે સીધી મગજ પર અસર કરે છે. શારીરિક રાસાયણિક પદાર્થો – જે આપણને સારો અનુભવ કરાવવા માટે જવાબદાર છે – જેમ કે સેરોટોનિન (90%) અને ડોપામાઇન (50% થી વધુ) મોટા ભાગે પાચનતંત્રમાં જ બને છે.
પેટ અને સારા મૂડ વચ્ચેનો સંબંધ
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના 2024ના એક સંશોધન અનુસાર, ખાટા ફળો અને મૂડ વચ્ચે એક મહત્વપૂર્ણ સંબંધ જોવા મળ્યો છે. સંશોધનમાં 30,000થી વધુ મહિલાઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આમાં જાણવા મળ્યું કે જે મહિલાઓ નિયમિતપણે વધુ ખાટા ફળોનું સેવન કરે છે, તેમનામાં ડિપ્રેશન થવાની સંભાવના ઓછી હોય છે, જેમની સરખામણીમાં ખાટા ફળ ન ખાતી મહિલાઓમાં ડિપ્રેશન વધારે જોવા મળ્યું.
દૈનિક જીવનમાં કયું ખાટું ફળ ખાવું?
બધા ફળોમાં એક ખાસ ફળ ખૂબ જ જરૂરી માનવામાં આવ્યું છે. આ ફળ ડિપ્રેશનના જોખમને 20% સુધી ઘટાડે છે, પાચનતંત્રને મજબૂત રાખે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. દરરોજ એક મધ્યમ કદનું સંતરા ખાવાથી ડિપ્રેશન થવાનું જોખમ લગભગ 20% સુધી ઘટી શકે છે. આ પ્રભાવ ફક્ત ખાટા ફળોમાં જોવા મળ્યો હતો, જ્યારે અન્ય શાકભાજી અને ફળો પર આવા સ્પષ્ટ પરિણામો જોવા મળ્યા નહોતા.
આ ખાટા ફળના ફાયદા
વધુ ખાટા ફળો ખાવાથી ફેકેલિબેક્ટેરિયમ પ્રોસ્નિટ્ઝી નામક એક ફાયદાકારક બેક્ટેરિયાના સ્તરમાં વધારો થાય છે, જે શરીરમાં સોજા ઘટાડવાના ગુણધર્મો ધરાવે છે. આ જ બેક્ટેરિયા સેરોટોનિન અને ડોપામાઇનને મગજ સુધી પહોંચવામાં પણ સહાય કરે છે. એક સંશોધન મુજબ, જે લોકો ઓછા ખાટા ફળો ખાય છે, તેઓમાં ડિપ્રેશનને લગતી સમસ્યાઓ વધતી જાય છે.
વધુ વાંચો: સવારે ખાલી પેટ ખાઓ પલાળેલા કિસમિસ, કબજિયાત-અપચાની સમસ્યા માટે કારગર ઉપાય
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.