બારેમાસ જોઈએ ત્યારે મળી શકે તેવાં કિંમતમાં વ્યાજબી સ્વાદમાં લાજવાબ અને શરીર માટે પણ ઉત્તમ એવાં શક્કરિયાં હવે ફક્ત જાણે ઊંધિયાની સિઝનમાં અથવા તો મહાશિવરાત્રિના દિવસે જ ખવાતાં હોય તેવું લાગે છે. શક્કરિયાં ગુણોનો ભંડાર છે. તેમાં વિટામિન 'B6' ખૂબ પ્રમાણમાં આવેલું છે. વિટામિન 'B6' શરીરમાં ઉંમરને કારણે થતા રોગોને ઓછા કરે છે. ખાસ કરીને હાર્ટના રોગોને દૂર રાખે છે.
તેમાં વિટામિન 'C' ભરપૂર પ્રમાણમાં આવેલું છે. વારંવાર થતી શરદી અને ખાંસીને દૂર રાખવાનું કામ વિટામિન 'C' કરે છે. ઉપરાંત શરીરમાં હાડકાના બંધારણમાં અને દાંતની મજબૂત રહે તે માટે વિટામિન 'C' ઉપયોગી છે. શરીરમાં બ્લડસેલ બનાવવાનું અને પાચનને સારું રાખવા માટે વિટામિન 'C' ઉપયોગી છે. તેનાથી શરીર પર થયેલી ઇજામાં રૂઝ જલદી આવે છે. ઉપરાંત વારંવાર લાગતો થાક ઓછો કરે છે. ત્વચાની સ્થિતિસ્થાપકતાને જાળવી રાખી ત્વચાને સુંદર બનાવી વ્યક્તિને જવાન દેખાવ આપે છે. શરીરને ટોક્સિનથી દૂર રાખી કેન્સર સામે રક્ષણ આપે છે.
શક્કરિયાંમાં વિટામિન 'D' પણ હોય છે :
શરીરને સૂર્યપ્રકાશથી વિટામિન 'D' મળે છે જે શરીરને માંદગીથી દૂર રાખે છે. ઉપરાંત શરીરને એનર્જી આપવાનું હાડકાં મજબૂત બનાવવાનું હાર્ટ નસો ત્વચા અને દાંતને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેનાથી થાઇરોઇડ ગ્લેન્ડ બરાબર કામ કરે છે.
શક્કરિયાંમાં આયર્ન આવેલું છે
આયર્ન આપણા શરીરના લોહીમાં લાલ અને સફેદ કણ બનાવવાનું કામ કરે છે. ઉપરાંત રોગ સામે લડવાની તાકાત આપી અને ઇમ્યૂન સિસ્ટમને બરાબર કામ કરતી રાખે છે. શક્કરિયાંમાં આવેલા આયર્નને લીધે શરીરને એનર્જી પણ પ્રાપ્ત થાય છે.
મેગ્નેશિયમ અને પોટેશિયમ આવેલાં છે
મેગ્નેશિયમ એ હેલ્ધી આર્ટરી લોહી હાડકાં હાર્ટ મસલ્સ અને નર્વ્ઝને કામ કરવામાં મદદરૂપ થાય છે. પોટેશિયમ એ એક ખૂબ ઉપયોગી ઇલેક્ટ્રોલાઇટ છે જે હાર્ટબીટને નિયમિત રાખે છે. તે શરીરના સોજા ઓછા કરે છે અને કિડનીની એક્ટિવિટીને કંટ્રોલ કરે છે.
તેમાં બીટા-કેરોટીન આવેલું છે
- તે બીટા-કેરોટીન ધરાવે છે જે શરીરમાં વિટામિન 'એ' પૂરું પાડે છે. તેનાથી દૃષ્ટિ સારી થાય છે અને શરીરને રોગ સામે રક્ષણ આપે છે. ઉપરાંત તેના કારણે ઉંમરને લગતા રોગો દૂર થાય છે તે કેન્સર સામે રક્ષણ આપે છે.
-શક્કરિયાં ખરેખર તો બાફીને ખાવાં ઉત્તમ છે. તેને શેકીને ખાવાથી તેનો ગળ્યો સ્વાદ વધારે સ્વાદિષ્ટ બને છે. સામાન્ય રીતે દિવસ દરમિયાન શેકેલું એક શક્કરિયું ખાઈ શકાય છે.
-આપણે શક્કરિયાંનો ઉપયોગ ઊંધિયામાં અથવા શિવરાત્રિના દિવસે જ કરીએ છીએ પણ તે અનેક રીતે શરીર માટે ગુણકારી છે