પ્રાચીન સમયથી ભારતમાં મહેંદીનો ઉપયોગ લગ્ન તહેવાર કે અન્ય શુભ પ્રસગોમાએ કરવામાં આવે છે. મહેંદી માત્ર હાથમાં લગાવવા પૂરતી સીમિત નથી. વાળમાં મહેંદી લગાવવાથી શું ફાયદા થાય છે તે તમે જાણતા જ હશો. તમને ખબર છે કે મહેંદીનો ઉપયોગ પારંપારિક દવાઓમાં પણ કરવામાં આવે છે. મહેંદીનો છોડ માથાના દુઃખાવાથી લઈ સ્કીન પ્રોબલેમ્સને દૂર કરવા માટે અસરકારક છે. મહેંદીના પાનની જેમ તેનો પાવડર પણ ગુણકારી છે.
- જો પગમાં ફોલ્લા પડે કે ચપ્પલ ડંકે તો નાળિયેરના તેલમા મહેંદીને મિક્સ કરીને લગાવો. ફોલ્લામાં થતી બળતરાથી રાહત મળશે.
- મોંઢામાં પડેલા ચાંદા ખૂબ પીડાદાયક હોય છે. મહેંદીના પાનને રાતે ચોખ્ખા પાણીમાં પલાળી દો. સવારે પાણીમાંથી પાન કાઢીને આ જ પાણીથી કોગળા કરો. ચાંદામા રાહત મળશે.
- શરીરમાં કોઇપણ ભાગમાં વાગે ત્યારે અસહ્ય દુખાવો થાય છે. મહેંદીના પાનાને પીસીને તેમાં થોડી હળદર મિક્સ કરીને વાગ્યુ હોય ત્યાં લગાવી પાટો બાંધી દો. રાહત મળશે.
- મહેંદીમાં ટીબી જેવી ઘાતક બીમારી સામે લડવાની તાકાત ધરાવે છે. મહેંદીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોવાથી ટીબી સામે લડવામાં સક્ષમ છે. મહેંદીના પાનને પીસીને ઉપયોગ કરવાથી ટીબીમાં રાહત મળે છે. જોકે આ પાંદડાનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.
- મહેંદીમાં એવા ઘણા ગુણો રહેલા છે જેનાથી પેટની બીમારીઓમાં રાહત મળે છે. આર્યુવેદમાં મહેંદીનો ઉપયોગ પેટની બિમારીની સામે રક્ષણ આપતી દવાઓ બનાવવામાં થાય છે. આ આયુર્વેદિક દવા ખાવાથી કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી.
- મહેંદીની તાસીર ઠંડી હોય છે જેથી દુઃખાવામાં રાહત મળે છે. જો માથુ દુખે તો મહેંદીના પાનને ઘસીને લેપ લગાવવાથી રાહત મળશે. માઈગ્રેનના દુઃખાવા માટે મહેંદી સારો પ્રાકૃતિક ઉપચાર છે.
- વાળમાં ખોડો કે અન્ય કોઈપણ સમસ્યા હોય તો મહેંદી લગાવો. વાળ માટે કુદરતી કંડિશનરનું કામ કરે છે અને વાળને ચમકદાર બનાવે છે.
- મહેંદી બહુ ઠંડી હોય છે જેના કારણે તે ગુણકારી છે. મહેંદીના પાન શરીરમાંથી ગરમીને દૂર ભગાવે છે જો પગમાં મહેંદી લગાવશો તો ગરમીમાં લૂ નહી લાગે.
- મહેંદીમાં એન્ટી ફંગલ તત્વો રહેલા છે. શરીરમાં કોઈપણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. દાદરની સમસ્યા હોય તો મહેંદીને પીસીને લગાવો થોડા દિવસમાં દાદર મટી જશે.