પ્રકૃતિએ આપણને અલગ-અલગ ઋતુ આપી છે તમામ ઋતુને અનુસાર ખાંણી-પીણીની વસ્તુઓ આપી છે. અલગ-અલગ ઋતુમાં આવનારા ફળ અને શાકભાજી વાસ્તવમાં અમારા શરીરને ઋતુને અનુસાર જરૂરી પોષક તત્વો આપે છે. વટાણા એમાંથી એક છે જે માત્ર શિયાળાની ઋતુમાં આવે છે. વટાણા ખૂબ જ પૌષ્ટિક હોય છે કેમકે તેમાં ફાઇબર અને એન્ટિઑક્સિડેન્ટ ઘણી માત્રામાં મળી આવે છે. નિષ્ણાતો અનુસાર વટાણા હૃદય રોગ જેવી કેટલીક ગંભીર બિમારીઓને સામે લડવા માટે તાકાત આપે છે.
લીલા વટાણામાં કેલરીની માત્રા ઓછી હોય છે જેના સ્વાદનો કોઇ જવાબ નથી. 100 ગ્રામ વટાણામાં માત્ર 35 કેલરી હોય છે. આ માટે વટાણા તમારી ભૂખને શાંત કરશે અને વજન પણ કંટ્રોલ કરશે.
લીલા વટાણામાં ફાઇબર પ્રચુર માત્રામાં હોય છે. વધતી ઉંમરના લક્ષણોને ઓછા કરે છે તે માટે દરરોજ લીલા વટાણાનું સેવન કરવાથી તમારી વાસ્તવ ઉંમરતની તુલનામાં તમે જુવાન જોવા મળશો.
એક શોધ અનુસાર લીલા વટાણાથી તમારી યાદશક્તિ વધે છે અને કોઇ પણ પ્રકારની મગજની બિમારીઓ માટે ફાયદાકારક છે.
વટાણા તમારા શરીરમાં કૉલેસ્ટ્રોલનું લેવલ ઓછું કરે છે જેનાથી ધીમે-ધીમે વજનમાં ઘટાડો થાય છે.
વટાણામાં મેગ્નેશિયમ પોટેશિયન અને કેલ્શિયમ જેવા મિનિરલ્સ મળે છે. તે તમારા બ્લડ શુગરને ઓછું કરે છે આ માટે વટાણા ખાવાથી હૃદયને લગતા રોગોમાં પણ ફાયદો મળે છે. વટાણા ટાઇપ 2 ડાયબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક છે.
વટાણામાં રહેલું ફાઇબર પચવા માટે જરૂરી જીવાણુંઓને એક્ટિવ રાખે છે તે માટે વટાણા ખાવાથી ડાઇઝેશન ઠીક થાય છે.
ચહેરા પર જો કરચલી થઇ ગઇ હોય તો આ સમસ્યાનો ઇલાજ વટાણાથી કરી શકાય છે. કરચલીઓ દૂર કરવા માટે મટરની પેસ્ટને અડધો કલાક સુધી ચહેરા પર લગાવી રાખો અને તે પછી પાણીથી ચહેરાને ધોઇ લો. ધીમે-ધીમે ફાયદો જોવા મળશે. આ સિવાય વટાણાને પેસ્ટનો સ્ક્રબ તરીકે ઉપયોગ કરી શકો છો પ્રોટીન તમારા ચહેરાને પોષણ આપશે અને ચહેરાની ચમક પણ વધારશે.