શરીર માટે આમળા અમૃત સમાન માનવામાં આવે છે. એમાં વિટામીન સી પ્રચુર માત્રામાં હોય છે. શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારવામાં આમળા ખૂબ ફાયદાકારક હોય છે. આમળાની ખાસ વાત એ છે કે એનું વિટામીન સી ક્યારેય નષ્ટ થતું નથી. જાણો આમળાના ઉપયોગથી શું શું ફાયદા થાય છે.
આમળા કોલેસ્ટ્રોલને ઓછું કરે છે તથા ધમનીમાં જમાવ થતો રોકે છે. કોઇ પણ રૂપમાં આમળાનું સતત સેવન હૃદય રોગને દૂર રાખે છે.
આમળાનો મુરબ્બો નિયમિત રૂપથી ખાવાથી નાકમાંથી લોહી નિકળતું બંધ થઇ દાય છે. ત્રણ ચમચી આમળાના રસ મિશ્રી મિક્સ કરીને રોજ પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થઇ જાય છે. આ ઉપરાંક ડ્રાય આમળાને પાણીમાં પલાળીને એ પાણીથી માથું ધોવામાં આવે તો પણ લોહી નીકળતું બંધ થઇ જાય છે.
બે ચમચી આમળાનું ચૂર્ણ એક ચમચી દેશી ઘી અને એક ચમચી મિશ્રી મિક્સ કરીને સવારે ખાલી પેટ ખાવાથી થોડાક દિવસોમાં માથાનો દુખાવો દૂર થઇ જાય છે.
આમળા શરીરના સોડિયમને ઓછું કરે છે. એટલા માટે એના ઉપયોગથી વધેલુ બ્લડ પ્રેશર ઓછું થાય છે.
આમળા ખાવાથી તમને પેશાબમાં પણ સમસ્યા થતી નથી. જેનાથી શરીરના વિજાતીય દ્રવ્ય ટોક્સિન યૂરિક એસિડ વગેરે નિકળી જાય છે અને શરીર શુદ્ધ થાય છે.
વાળ માટે આમળા વરદાનના રૂપમાં કામ કરે છે. કોઇ પણ રૂપમાં આમળા ખાવા વાળ માટે ફાયદાકારક છે. આમળાનું તેલ માથામાં જરૂરથી લગાવવું જોઇએ.
ખાલી પેટ દરરોજ મુરબ્બો ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે. કોઇ પણ ઉંમરમાં લઇ શકાય છે અને કારગર સાબિત થાય છે.
આમળાના ચૂર્ણ મિશ્રીની સાથે દિવસમાં ત્રણ ચાર વખત ચૂસવાથી ખાંસી ઠીક થઇ જાય છે. આમળાનું ચૂર્ણ સવાર સાંજ એક ચમચી પાણીની સાથે લેવાથી દરેક પ્રકારની ખાંસીમાં આરામ મળે છે.
અડધા કપ પાણીમાં ચાર ચમચી આમળાનું ચૂર્ણ નાંખીને રાતે પલાળી દો. સવારે ગળીને ચાર ચપટી હળદર મિક્સ કરીને પી લો એનાથી સ્વપ્ન દોષ ઠીક થાય છે.