આલ્કોહોલિક ડ્રિંક્સમાં બિયરનો ઉપયોગ વધી રહ્યો છે. તેમાં આલ્કોહોલનું પ્રમાણ દારૂની સરખામણીએ ઓછું હોય છે. ખરેખર તો બિયર એક નશીલો પદાર્થ છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધી અનેક ફાયદા થાય છે. બિયર જવ ઘઉં મકાઇ અને ચોખાના કિંડવન (ફર્મેંટેશન)થી બનાવવામાં આવે છે. કેટલીક બિયર એવી હોય છે જેમાં જડી બુટ્ટીઓ અને સુગંધ જન્માવનારી ચીજો મિક્સ કરવામાં આવે છે. ભારતીય બજારોમાં સામાન્ય રીતે બિયર વેચાય છે તે ખાસ કરીને જવથી બનાવવામાં આવે છે. જ્યાં અન્ય બ્રાન્ડ કરતાં બિયર ઓછું નુકસાન કરે છે.
બિયરને દારૂનો જ એક પ્રકાર માનવામાં આવે છે. તેના વધારે ઉપયોગથી વ્યક્તિમાં અનેક રોગો આવે છે. આ માટે તેને યોગ્ય પ્રમાણમાં જ લેવી જોઇએ. સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિએ રોજ 5% આલ્કોહોલની 375 મિલિથી વધારે બિયર પીવી જોઇએ નહીં.
- સાધારણ પ્રમાણમાં તેનું સેવન કરવામાં આવે તો હ્રદયની બિમારીનું જોખમ ઘટે છે. થોડા પ્રમાણમા એટલે કે 1 કે 2 પેગ અઠવાડિયે લેવામાં આવે તો સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચ.ડી. એલ. લેવલને વધારે છે. તેનાથી હ્રદય રોગનો ખતરો ઘટે છે અને ધમનીઓ બ્લોક થતી અટકે છે.
- બિયર પીનારા લોકોમાં કિડની સ્ટોન બનવાનો ખતરો 40% ઓછો રહે છે.
- બિયરમાં ઓગળી જનારું ફાઇબર હોય છે તેનાથી તે આંતરડા અને પેટને સાફ કરવામાં મદદ કરે છે અને પાચનશક્તિ વધારે છે.
- બિયરમાં મેગ્નેશિયમ સેલેનિયમ અને પોટેશિયમ જેવા પોષકતત્વો મળે છે. આ સિવાય ક્રોમિયમ વિટામિન B અને બાયોટિન પણ હોય છે.
- બિયરમાં વિટામિન બીનું પ્રમાણ વધે છે. તેમાં વિટામિન B1 B2 B6અને વિટામિન B12 હોય છે. તેમાં એન્ટી એનિમિક તત્વ પણ મળે છે.
- બિયરમાં લેક્ટોફ્લેવિન અને નિકોટિનિક એસિડ મળે છે જે અનિદ્રાની બિમારીમાં ફાયદો આપે છે.
- બિયરમાંથી સિલિકોન મળે છે તેનાથી હાડકાં મજબૂત રહે છે.
- બિયર પીવાનો અન્ય ફાયદો એ છે કે તે બ્લડ ક્લોટિંગમાં રાહત આપે છે.
- બિયર પીનારાને યાદશક્તિ સંબંધિત બિમારી અલ્ઝાઇમર અને ડેમેંશિયાની રાહત રહે છે.
- જે લોકો બિયર પીવે છે તેમને ચિંતા અને તણાવમાં રાહત મળે છે.
- બિયર પિગમેન્ટેશન સારું કરે છે. નવી ત્વચા કોશિકાઓ જન્માવે છે અને તેને સ્વસ્થ અને ચિકણી બનાવે છે.
- બિયરમાં તેમાં સારા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ મળે છે જે શરીરની કોશિકાને રિપેર કરે છે. આ એન્ટીઓક્સીડેન્ટ બિયરમાં આવનારા જવમાં મળે છે જવના સેલ વોલમાં ફેરોલિક એસિડ હોય છે જે એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે.
- એક બોટલ બિયરને ગરમ કરીને તેમાં ચાર ચમચી મધ મિક્સ કરીને પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. તે લોહીને ફરતું રાખે છે અને સાથે નાક બંધ થાય કે શ્વાસ અટકી જાય ત્યારે અને સાંધાના દર્દમાં રાહત આપે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ગરમ બિયર ફાયદો કરે છે.
- મહિલાઓ બિયરનો ઉપયોગ કરે છે ત્યારે સ્કિન અને વાળમાં ફેરફાર જોવા મળે છે. બિયરથી હેરવોશ કરવાથી તેની ક્વોલિટી સારી રહે છે.