સામાન્ય રીતે મેથીના દાણાનો ઉપયોગ ભોજનમાં વઘાર કરવા માટે થત હોય છે મેથી સ્વાસ્થ્ય માટે એક ઔષધિનું કામ કરે છે. મેથીના દાણા રાતે પલાળીને સવારે ખાલી પેટે ચાવી-ચાવીને ખાઇ અને બાકી રહેલું પાણી પીવાથી સ્વાસ્થ્યથી જોડાયેલી કેટલીક સમસ્યાઓને દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે. મેથીમાં દાણામાંથી ઘણા પ્રકારના ગુણ અને પોષત તત્વો મળી રહે છે. કૌરોટિન કૉપર ઝિંક સોડિયમ ફૉલિક એસેડિ અને મેગ્નેઝિયમ વગેરે... જાણો મેથાની દાણાના ફાયદાઓ વિશે....
- મેથીની દાણા શરીરમાં ટોક્સિન બહાર કાઢીને કિડનીને હેલ્ધી રાખે છે. આ સિવાય ગેસ્ટ્રિક પ્રોબ્લેમને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
- જે લોકો બ્લેડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છે તેમના માટે પલાળેલી મેથી ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે સોયા અને મેથીને પાણીમાં પલાળેલીને રાખો અને આગામી દિવસે 5 ગ્રામ સવારે અને રાતે ખાવો જે રક્ત સંચારને ઠીક કરવાની સાથે બ્લડ પ્રેશર રેગ્યુલર કરે છે.
- જો તમે ખીલ અને વાળ ખરવાંની સમસ્યાથી પરેશાન છો તો વાળામાં મેથીના દાણાને પલાળીને પેસ્ટ લગાવો જેનાથી વાળ મજબૂત બનશે અને સફેદ પણ નહી થાય.
- મેથીના દાણામાં રહેલા સોલ્યૂબલ ફાઇબર્સ બ્લડ શુગરને કંટ્રોલ કરીને ડાયાબિટીસને નિયત્રિંત કરે છે.
- મસા એક ગંભીર બિમારી છે જેનાથી રોગીને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે. મેથી અને સોયાને રાત્રે પલાળીને બીજા દિવસે તેનો રસ મળશે મસાની સમસ્યામાંથી આરામ મળશે.
- પલાળેલી મેથી ટૂંક સમયમાં વજન ઘટાડવા માટે મદદમાં આવે છે. જો તમે રોજ સવારે નિયમિત રાત્રે પલાળેલી મેથીનું સેવન કરશો તો વજન ઘટશે અને કોઇ પણ પ્રકારની બિમારીનો સામનો નહી થાય.
- મેથીના દાણાથી હાડકાની સમસ્યામાં રાહત મળે છે. રાતે દાણા પલાળીને રાખવાથી ગુણ વધી જાય છે આ માટે પ્રયત્ન કરો કે મોટેભાગે મેથીના પાણીમાં પલાળેલા દાણાનું સેવન કરો.