દરરોજ પોતાની જાતને ચોખ્ખી અને ફ્રેશ રાખવા માટે ન્હાવું ખૂબ જરૂરી છે. પહેલાના સમયમાં લોકો નદી અથવા તળાવમાં સ્નાન કરતા હતા. જો કે આજે પણ ગામમાં આપણને નદી અથવા સરોવરમાં ન્હાતા લોકો જોવા મળે છે. શહેરોમાં લોકો બાથરૂમમાં ન્હાય છેય જો કે પોતાને ફ્રેશ રાખવાનો દરેકનો ઉદ્દેશ હોય છે.
વાત જ્યારે ન્હાવાની થઇ રહી છે તો શું તમે એ પ્રશ્નનો જવાબ આપી શકો છો કે સ્નાન કરતી વખતે સૌથી પહેલા પાણી શરીરના કયા અંગ પર નાંખવું જોઇએ? મોટાભાગના લોકોને આજે પણ આ વાતની જાણકારી નથી.
સમગ્ર ધર્મમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ન્હાતી વખતે સૌથી પહેલા તમારા પગ પર પાણી નાંખવું જોઇએ. પગ બાદ સાથળ પર અને ત્યારબાદ પેટ અને શરીરના અન્ય ભાગ પર પાણી નાંખવું જોઇએ. એનાથી એક વાત તો સ્પષ્ટ છે કે ન્હાવાના ક્રમની શરૂઆત નીચેથી ઉપર તરફ હોવી જોઇએ.
હવે નિશ્ચિત રૂપથી આ સૂચન પાછળ કંઇકને કંઇક તો કારણ જરૂર હશે. વાસ્તવમાં શરીરમાં માથાનો ભાગ સૌથી ગરમ હોય છે અને પગનો ભાગ સૌથી ઠંડો હોય છે. એવામાં જ્યારે આપણે માથા પર પહેલા પાણી નાંખીએ છીએ તો બોડીનું ટેમ્પરેચર અચાનકથી ડાઉન થઇ જાય છે. એનાથી શરીરમાં લોહીનો પ્રવાહ અચાનક ઓછો થઇ જાય છે.
કહેવામાં આવે છે કે આ સ્થિતિમાં વ્યક્તિને હાર્ટ એટેક પણ આવી શકે છે. આ કારણથી એકાએક માથા પર પાણી નાંખવાથી બચવું જોઇએ અને સૌથી છેલ્લે માથામાં પાણી નાંખવું જોઇએ. એનાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે અને તણાવથી છુટકારો પણ મળે છે.